19/03/2026
આજરોજ તારીખ ૧૯/૩/૨૬ના રોજ વેરાવળ કૃષ્ણનગર ખાતે શ્રી રામ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવેલ જેમનું ખાતમુહૂર્ત સવંત ૨૦૩૩ ના અષાઢ સુદ તેરસને બુધવારના તારીખ ૨૯/૦૬/૧૯૭૭ના રોજ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં આજે ચૈત્ર સુદ એકમ ના શુભ અવસર શ્રી રામ મંદિરનો જીર્ણોદ્ધાર અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા શ્રી સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા પૂજા વિધિ અને મહા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ સીટી.પી.આઈ ગઢવી સાહેબ રામેશ્વર એક્સપોર્ટના માલિક ધનસુખભાઈ પીઠડ, ના વરદ હસ્તે પ્રભુ શ્રી રામચંદ્રની મહા આરતી કરવામાં આવી હતી અને આ મહાનુભાવો નુ કિશોરભાઈ કુહાડા દ્વારા સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલું હતું
આ શુભ અવસર પર ઉપસ્થિત રહેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, એક્સ આર્મી મેન મુકેશ ઝાલા સાહેબ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટિયા, લોહાણા મહાજન સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, વિધવાન કર્મકાંડી શાસ્ત્રી શ્રી નિમેશભાઈ પુરોહિત, દરબાર સમાજ ના અગ્રણી રમજુભાઈ ચાવડા, વેરાવળ રેયોન ઇ.આર ના મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકોર સાહેબ રજની જૈન સાહેબ, પ્રીતેશ ગૌસ્વામી સાહેબ, મીરજા સાહેબ, રીયોન કામદાર સંઘ યુનિયનના જનરલ સેકેટરી ભરતભાઈ મહેતા તથા કારોબારી સભ્યો, મરાઠા સમાજના દાદુભાઇ શેર, રાજુભાઈ કાનાબાર, ધોબી સમાજના પ્રમુખ તથા આગેવાનો, સાધુ સમાજના પૂર્વ પ્રમુખ, ભરતભાઈ કુહાડા, મહેશભાઈ કુહાડા, પ્રતાપગીરી અપારનાથી, ચુનીલાલ ફોફડી, રામભાઈ પાજારી (પોરબંદર હીરાવતી) હિતેશભાઈ વિસાવડીયા, શ્રી રામ મંદિરના પૂજારી રાજગીરી અપારનાથી, સીતારામ સેવા ટ્રસ્ટ ના ધનસુખભાઈ જુંગી તથા ધુન મંડળો તથા ખારવા સમાજ તથા હિન્દુ સમાજના તમામ આગેવાન શ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને મહા આરતી નો લાભ લીધો હતો