Collector Gir Somnath

Collector Gir Somnath page of Collector's Office, Gir Somnath.

30/05/2026

જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા જીલ્લા કક્ષાની વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવી.

30/05/2026

જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા જીલ્લા કક્ષાની વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવી

ગીર સોમનાથ જીલ્લામાં ૩૧મી-મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી માનનીય કલેકટરશ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા તથા માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અરુણકુમાર રોય અને એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. દિવ્યેશ ગોસ્વામી તેમજ સોશ્યલ વર્કર શ્રી દિપ્તી વ્યાસ જીલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ વીટીઆઈ સેન્ટર સહયોગથી સુત્રાપાડા ખાતે કરવામાં આવેલ જેમાં ૩૫૦ તાલીમાર્થીઓ અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય સહભાગીઓ દ્વારા મેદાનમાં “તમાકુને ના કહો” નો સંદેશ આપતી વિશાળ માનવ રચના (Human Formation) તૈયાર કરવામાં આવી હતી. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આકર્ષક તસવીરો દ્વારા તમાકુ મુક્ત સમાજના નિર્માણનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો. અને કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ “તમાકુને ના, સ્વાસ્થ્યને હા” નો સંકલ્પ લીધો હતો આ તકે એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી તથા સોશ્યલ વર્કર શ્રી દ્વારા જણાવેલ કે તમાકુ અને તમાકુજન્ય પદાર્થોના ઉપયોગથી દૂર રહેવા તથા અન્ય લોકોને પણ તેના દૂષણો અંગે જાગૃત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વસનતંત્રના રોગો સહિત અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધે છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી. વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં તમાકુના વધતા ઉપયોગને અટકાવવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો છે, તેમજ સોશ્યલ વર્કર દ્વારા તાલાળા આગ ખાન ફાઉન્ડેશન ખાતે ઉજવણીના ભાગ રૂપે તાલીમાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક તથા સ્પીચ આપેલ અને હાજર વાલીઓ સાથે શપથ લીધેલ તેમજ જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વ્યસન વિરોધી સંકલ્પ લીધેલ અને ઓ.પી.ડી દરમ્યાન દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન સી.એસ.આર. ના સિનિયર મેનેજર શ્રી અજીત બારડ સાહેબ, સેન્ટર હેડ શ્રી અંકુર સાહેબ તથા વીટીઆઈ સેન્ટરના તમામ સ્ટાફગણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ના હેલ્થ સ્ટાફ સુત્રાપાડાએ સહકાર આપેલ
જિલ્લા આરોગ્ય તંત્ર, ગીર સોમનાથ 🚭

તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના જમીન માપણી, રસ્તા, દબાણ, ખેત પેદાશ અને આરોગ્ય લક્ષી પ...
27/05/2026

તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના જમીન માપણી, રસ્તા, દબાણ, ખેત પેદાશ અને આરોગ્ય લક્ષી પ્રશ્નો સાંભળી, સંબંધિત અધિકારીઓને તેનો સત્વરે હકારાત્મક નિકાલ કરી અહેવાલ સોંપવા સૂચના આપવામાં આવી.

21/05/2026

*વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરતા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા*
---------------
*તા.૩૧ મે, ૨૦૨૬ સુધી https://se.census.gov.in/ પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકે છે નાગરિકો*
---------------
*સ્વ-ગણતરી પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી છે. જેમાં નાગરિકોની માહિતી સંપૂર્ણ ગોપનીય રહેશે" – કલેક્ટરશ્રી*
---------------
*રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગીદારી નોંધાવી યોગદાન આપવા અપીલ કરતા કલેક્ટરશ્રી*
---------------
સમગ્ર રાજ્યમાં જનગણના–૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (સેલ્ફ એન્યૂમરેશન) પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી જનગણનામાં ભાગીદારી નોંધાવવી વધુ સરળ અને સુવિધાજનક બન્યું છે.

જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ સ્વ-ગણતરી કરી અને જન ગણના માટેની પ્રક્રિયા કરી હતી. પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવીને કલેક્ટરશ્રીએ નાગરિક સમાજ સમક્ષ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી અને તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા માટે નમ્ર અપીલ કરી હતી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વસ્તી ગણતરીના એક અગત્યના ભાગરુપે સેલ્ફ એન્યૂમરેશન એટલે કે વસ્તી ગણતરીની માહિતી કોઈપણ હાઉસહોલ્ડ વ્યક્તિ અપલોડ કરી શકે છે અને અપડેટ કરી શકે છે.

નાગરિકો હાઉસહોલ્ડની માહિતી જાતે જ ભરી અને પોર્ટલ પર સબમિટ કરે એવો અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા ભરવામાં આવતી માહિતી સંપૂર્ણ પણે સુરક્ષિત અને ગોપનીય રહેશે.

રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની સન્નિષ્ઠ નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ અચૂક નિભાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વસ્તી ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની ઘર યાદીકરણની કામગીરી તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન થવાની છે. આ કામગીરી શરુ થાય તે પહેલા તા.૧૭/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી ‘સ્વ ગણના (સેલ્ફ એન્યૂમરેશન)’ સરકાર દ્વારા પોર્ટલ શરુ કરાયું છે.

નાગરિકો તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન, https://se.census.gov.in/ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. મોબાઇલ અથવા કૉમ્પ્યુટરના માધ્યમથી થોડી જ મિનિટોમાં રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાશે.

સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર જ્યારે ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.

00 000 00 00

*વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરતા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા*---------------*તા.૩...
21/05/2026

*વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરતા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા*
---------------
*તા.૩૧ મે, ૨૦૨૬ સુધી https://se.census.gov.in/ પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકે છે નાગરિકો*
---------------
*સ્વ-ગણતરી પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી છે. જેમાં નાગરિકોની માહિતી સંપૂર્ણ ગોપનીય રહેશે" – કલેક્ટરશ્રી*
---------------
*રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગીદારી નોંધાવી યોગદાન આપવા અપીલ કરતા કલેક્ટરશ્રી*
---------------
સમગ્ર રાજ્યમાં જનગણના–૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (સેલ્ફ એન્યૂમરેશન) પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી જનગણનામાં ભાગીદારી નોંધાવવી વધુ સરળ અને સુવિધાજનક બન્યું છે.

જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ સ્વ-ગણતરી કરી અને જન ગણના માટેની પ્રક્રિયા કરી હતી. પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવીને કલેક્ટરશ્રીએ નાગરિક સમાજ સમક્ષ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી અને તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને પૂરતો સહકાર આપવા માટે નમ્ર અપીલ કરી હતી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વસ્તી ગણતરીના એક અગત્યના ભાગરુપે સેલ્ફ એન્યૂમરેશન એટલે કે વસ્તી ગણતરીની માહિતી કોઈપણ હાઉસહોલ્ડ વ્યક્તિ અપલોડ કરી શકે છે અને અપડેટ કરી શકે છે.

નાગરિકો હાઉસહોલ્ડની માહિતી જાતે જ ભરી અને પોર્ટલ પર સબમિટ કરે એવો અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા ભરવામાં આવતી માહિતી સંપૂર્ણ પણે સુરક્ષિત અને ગોપનીય રહેશે.

રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની સન્નિષ્ઠ નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ અચૂક નિભાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વસ્તી ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની ઘર યાદીકરણની કામગીરી તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન થવાની છે. આ કામગીરી શરુ થાય તે પહેલા તા.૧૭/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી ‘સ્વ ગણના (સેલ્ફ એન્યૂમરેશન)’ સરકાર દ્વારા પોર્ટલ શરુ કરાયું છે.

નાગરિકો તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન, https://se.census.gov.in/ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. મોબાઇલ અથવા કૉમ્પ્યુટરના માધ્યમથી થોડી જ મિનિટોમાં રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાશે.

સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર જ્યારે ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.

00 000 00 00

પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ઉના નગરપાલિકા દ્વારા તા.18/05/26 ના રોજ મહાકાલેશ્વર મંદિર ગટર સફાઈ કામગીરી કરવામાં આવેલ..
18/05/2026

પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ઉના નગરપાલિકા દ્વારા તા.18/05/26 ના રોજ મહાકાલેશ્વર મંદિર ગટર સફાઈ કામગીરી કરવામાં આવેલ..

તા.૧૭/૦૫/૨૦૨૬ ના રોજ વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૮/૧૧માં આવેલ કસ્તુરબા મહિલા મંડળ રોડ મેઈન ગટરની તેમજ...
18/05/2026

તા.૧૭/૦૫/૨૦૨૬ ના રોજ વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૮/૧૧માં આવેલ કસ્તુરબા મહિલા મંડળ રોડ મેઈન ગટરની તેમજ વોર્ડ નંબર ૪ ની ગટરની પ્રિ - મોન્સુન કામગીરી હેઠળ સફાઈ હાથ ધરવામાં આવેલ.

તા.16/05/2026 ના રોજ કોડીનાર નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે  કમાલપીર રોડ તથા લાલકવાડી વિસ્તારમાં  આવેલ ગ...
18/05/2026

તા.16/05/2026 ના રોજ કોડીનાર નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે કમાલપીર રોડ તથા લાલકવાડી વિસ્તારમાં આવેલ ગટર ની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.

*કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*------------જિલ્લા કલેકટર શ...
16/05/2026

*કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*
------------
જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રોએક્ટિવ કામગીરી કરી રહી છે. પ્રોએક્ટિવ કામગીરી એ વહીવટી તંત્રની ઓળખ બની રહી છે ત્યારે તમામ વિભાગના અધિકારીઓના સંકલનથી પારદર્શી અને પ્રજાલક્ષી વહીવટની કામગીરી વેગવંતી બને તે અત્યંત જરુરી છે. કલેક્ટરશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે કલેક્ટરશ્રીના સરળ અને સહજ સ્વભાવનો ઉલ્લેખ કરી અને ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરશ્રીની કામગીરી બીરદાવી હતી અને ખેડા જિલ્લાનો કારભાર સંભાળી ઉત્તમ કામગીરી દર્શાવે એવી શુભકામના પાઠવી હતી.

ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે, સૂત્રાપાડાની જેટીના પ્રશ્નો તેમજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના બીનઅધિકૃત ધોરણે ભરડિયો ચલાવવા બાબત સહિતના પ્રશ્નો રજૂ થયાં હતાં.

કલેક્ટરશ્રીએ આ તમામ પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી અને સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓએ સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિશ્રીઓને નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે ખાસ તાકીદ કરી હતી.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી મુશ્કેલીના ઝડપી ઉકેલ પર ખાસ ભાર મૂક્યો હતો.

ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી યોગેશ જોશીએ નાગરિકો દ્વારા આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવતી વિગતોનો સમયસર જવાબ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી આવતા લોક ફરિયાદ અને રાઈટ ટૂ સીએમ અન્વયેની અરજીઓ પરત્વેની ત્વરિત કાર્યવાહી માટે પણ જિલ્લાના અધિકારીઓને માહિતગાર કર્યા હતાં.
ઉપરાંત તેમણે જિલ્લામાં અસરકારક પ્રિ-મોન્સૂન કામગીરી તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ સપ્લાય ચેઈન પર સતત નજર રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, નાગરિક અધિકાર પત્રની અરજી, નિવૃત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાંની સઘન વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી જે.વી.કાકડિયા, સહિત ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન, સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦

તા.૧૬/૫/૨૦૨૬ ના રોજ તાલાળા નગરપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી હેઠળ કર્મ જ્યોત સોસાયટી અને જગદીશ પાર્ક આજુબાજુ  વિસ્તાર...
16/05/2026

તા.૧૬/૫/૨૦૨૬ ના રોજ તાલાળા નગરપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી હેઠળ કર્મ જ્યોત સોસાયટી અને જગદીશ પાર્ક આજુબાજુ વિસ્તારમાં ગટર સફાઈ કરવામાં આવી.

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા તા.16/05/2026ના રોજ પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે વોર્ડ નં. 2 મા દલિત વિસ્તારમાં આવેલ ભૂગર્ભ...
16/05/2026

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા તા.16/05/2026ના રોજ પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે વોર્ડ નં. 2 મા દલિત વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ વોર્ડ નં 5મા સમુદ્ર તરફ જતા વરસાદી પાણી નિકાલ માટેના વોકળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.

Address

Jila Seva Sadan, Talala Road, Near Inaj Village, Veraval (Gir Somnath)
Veraval
362269

Opening Hours

Monday 10:30am - 6:30pm
Tuesday 10:30am - 6:30pm
Wednesday 10:30am - 6:30pm
Saturday 10:30am - 6:30pm

Telephone

+919016441206

Alerts

Be the first to know and let us send you an email when Collector Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Gir Somnath:

Share