સત્યદિશા સમાચાર / SatyDisha Samachar

  • Home
  • India
  • Vadodara
  • સત્યદિશા સમાચાર / SatyDisha Samachar

સત્યદિશા સમાચાર / SatyDisha Samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સત્યદિશા સમાચાર / SatyDisha Samachar, Vadodara.

DM & Call For Paid PR, Advertisement, Blog Stories , Making Advertise And Event management Also Promotion Activities.
દર ગુરુવારે પ્રસિધ્ધ થતુ સાપ્તાહિક & Digital News
સંપર્ક કરો : 8401099872

04/06/2026

અમે બંગડીઓ નથી પહેરી, હાથ ઉપાડશો તો હાથ અમારો પણ ઉપડશે : કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે પ્રો. પ્રજ્ઞેશ શાહ

vadodara

વડોદરા : વોર્ડ નં. 10માં પ્રિમોનસૂન કામગીરી પર મોટા સવાલો: જનતા મુશ્કેલીમાં, કોન્ટ્રાક્ટરો મોજમાં?નવનિયુક્ત અને રીપીટ થય...
04/06/2026

વડોદરા : વોર્ડ નં. 10માં પ્રિમોનસૂન કામગીરી પર મોટા સવાલો: જનતા મુશ્કેલીમાં, કોન્ટ્રાક્ટરો મોજમાં?

નવનિયુક્ત અને રીપીટ થયેલા નેતાઓ જવાબદારી ભૂલ્યા, અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો

વડોદરા શહેરના વોર્ડ નંબર 10 ના ભાયલી આંબેડકર સોસાયટી , મહાદેવ મંદિર નજીક પીવાના પાણી લાઈન નીકળી રહી છે જેનો વાલ વરસાદી કાશ જેવી જગ્યામાં હોય જે પાણી વિસ્તારમાં અનેકો જગ્યા પર પહોંચે છે, પ્રિમોનસૂન કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વરસાદી સિઝન નજીક આવી રહી હોવા છતાં અનેક વિસ્તારોમાં ગટર સફાઈ, ડ્રેનેજ લાઈન જાળવણી અને પાણીની લાઈનોની મરામત જેવી કામગીરી સંતોષજનક રીતે પૂર્ણ થઈ નથી તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.

નવનિયુક્ત નેતાઓ તેમજ સત્તાધારી પક્ષ દ્વારા ફરીથી તક અપાયેલા જૂના નેતાઓ પ્રજાની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે કેટલા ગંભીર છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પ્રિમોનસૂન કામગીરી માત્ર કાગળો પર જ દેખાઈ રહી છે, જ્યારે જમીન સ્તરે તેની અસર દેખાતી નથી.

બીજી તરફ, કેટલાક અધિકારીઓ સામે પણ કામગીરીમાં પારદર્શિતાના અભાવ અને કથિત ગેરરીતિઓના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રિમોનસૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિક અસર નાગરિકોને અનુભવાતી નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે.

જો સમયસર ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા સુદૃઢ નહીં કરવામાં આવે તો વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. સાથે જ પીવાના પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થવાની શક્યતા વધે છે, જેના કારણે પાણીજન્ય અને ચેપી રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો વરસાદ પહેલાં જ રોગચાળો ફેલાય અથવા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? એક તરફ જનતા તકલીફ ભોગવવાની તૈયારીમાં છે, જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોને મળેલા કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે.

વોર્ડ નંબર 10ના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક અસરથી પ્રિમોનસૂન કામગીરીની સમીક્ષા કરે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે અને વરસાદ પહેલાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરે જેથી જનતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

04/06/2026

વડોદરા : માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ વિદાય

2 તારીખના બપોરના સમયે તબિયત નાદુરસ્ત હોવાના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા હતા અંતિમ શ્વાસ

અમદાવાદી પોળના નિવાસસ્થાનેથી સવારે 10.45 વાગે નીકળી હતી અંતિમ યાત્રા

યોગેશ પટેલના નશ્વર દેહને અંતિમ દર્શન બાદ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર લઈ જવામાં આવ્યા હતા

સરકારી સન્માન સાથે અપાઈ વિદાય

નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ હાજર રહી આપશે શ્રદ્ધાંજલિ

BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને સંતોએ અંતિમ દર્શન કર્યા

નશ્વર દેશ પાસે પ્રાર્થના કરી આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવી

પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અંતિમ દર્શન માટે પહોચ્યા

યોગેશ પટેલના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવી

શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર/પીપળીયા હનુમાન મંદિરના મહિલા ભજન મંડળ અને આદિત્ય વાહિની આનંદ વાહિન...
04/06/2026

શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર/પીપળીયા હનુમાન મંદિરના મહિલા ભજન મંડળ અને આદિત્ય વાહિની આનંદ વાહિની, વડોદરાના સંયુક્ત પ્રયાસથી પુરી પીઠ શંકરાચાર્યજીના પાવન માર્ગદર્શન હેઠળ

"શ્રી સત્યનારાયણ વ્રત કથા" નું આયોજન બુધવાર, 3 જૂન, 2026 ના રોજ સાંજે 4:30 કલાકે કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ નિર્માણ પામ્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો અને
ભૂ દેવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બની આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો, અંતે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ લાવવાનો, સનાતન સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવાનો તેમજ આદિ શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાન અને ઉપદેશોને જનમાનસ સુધી પહોંચાડવાનો રહ્યો હતો।

કાર્યક્રમ સ્થાનિક સેવાભાવી કાર્યકરો અને ભક્તોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

04/06/2026

વડોદરાના લોકપ્રિય અને જનજનના પ્રિય ધારાસભ્ય સ્વ. શ્રી યોગેશભાઈ પટેલની અંતિમ યાત્રાનું જીવંત પ્રસારણ..

04/06/2026

વડોદરાના લોકપ્રિય અને જનજનના પ્રિય ધારાસભ્ય સ્વ. શ્રી યોગેશભાઈ પટેલની અંતિમ યાત્રાનું જીવંત પ્રસારણ..

સત્યદિશા 04/06/2026
03/06/2026

સત્યદિશા 04/06/2026

વડોદરામાં પત્નીની નજર સામે પતિની હ*ત્યા, એકના એક દીકરાના મો*તથી પરિવારમાં શોક....
03/06/2026

વડોદરામાં પત્નીની નજર સામે પતિની હ*ત્યા, એકના એક દીકરાના મો*તથી પરિવારમાં શોક....

|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ || સ્વ. યોગેશભાઈ પટેલ ( કાકા ) ના અંતિમ દર્શન: તારીખ : 4 જૂન 2026, ગુરૂવારસમય : સવારે 9:30 થી 10...
03/06/2026

|| ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ || સ્વ. યોગેશભાઈ પટેલ ( કાકા ) ના અંતિમ દર્શન: તારીખ : 4 જૂન 2026, ગુરૂવાર
સમય : સવારે 9:30 થી 10:30 કલાક
સ્થળ : અમદાવાદી પોળ

#વડોદરા

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when સત્યદિશા સમાચાર / SatyDisha Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સત્યદિશા સમાચાર / SatyDisha Samachar:

Share