Ekta Mitr Mandal - Sarigam, Rohitfaliyu

Ekta Mitr Mandal - Sarigam, Rohitfaliyu સૌના સહયોગ અને સર્વાનુમતે ચાલતુ મંડળ ?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમસ્ત નારીશક્તિને વંદન.
08/03/2022

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમસ્ત નારીશક્તિને વંદન.

તારીખ: 08/12/2021 ના રોજ તમિલનાડુમાં નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક...
11/12/2021

તારીખ: 08/12/2021 ના રોજ તમિલનાડુમાં નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.
પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી દિલથી પ્રાર્થના...

આ દેશ આપની સેવાને ક્યારેય નહી ભૂલે.

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે....
04/11/2021

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
- એકતા મિત્ર મંડળ, રોહિતફળિયું, સરીગામ

એકતા મિત્ર મંડળ, રોહિત ફળિયુંસરીગામ દ્વારા - કચરાપેટી વિતરણ કાર્યક્રમ (2021)એકતા મિત્ર મંડળ, રોહિત ફળિયું સરીગામ દ્વારા ...
19/10/2021

એકતા મિત્ર મંડળ, રોહિત ફળિયું
સરીગામ દ્વારા - કચરાપેટી વિતરણ કાર્યક્રમ (2021)

એકતા મિત્ર મંડળ, રોહિત ફળિયું સરીગામ દ્વારા તારીખ:- 17/10/2021, રવિવારના દિને કચરાપેટી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં કરજગામ ખાતે જોગમોડી માતાજીના મંદિરના પટાંગણમાં 12 નંગ જેટલી 100લીટરની કચરાપેટી મૂકવામાં આવી હતી જેથી માતાજીના દર્શને આવતા દરેક દર્શનાર્થીઓ જ્યાં-ત્યાં કચરો ન ફેંકી કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે અને મંદિરનું વાતાવરણ સ્વચ્છ અને સુંદરતા જળવાઇ રહે તે હેતુથી અમારા તરફથી એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે અમારા રોહિત ફળિયામાં ટોટલ 38 નંગ જેટલી 35 લીટરની કચરાપેટી ઘરે-ઘરે આપવામાં આવી, જેથી અમારા રોહિત ફળિયાની સ્વચ્છતા અને સુંદરતા જળવાઇ રહે.

આ કાર્યક્રમમાં એકતા મિત્ર મંડળના તમામ સભ્યો તથા ગામના વડીલો બહેનો તથા બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો અને જોગમોડી માતાજીના આશીર્વાદ લઈ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

જેના માટે મંડળના
પ્રમુખશ્રી :- નિલેશ રોહિત
ઉપપ્રમુખશ્રી :- ધર્મેશ રોહિત
સેક્રેટરીશ્રી :- અરવિંદ રોહિત
ખજાનચીશ્રી :- રવિન્દ્ર રોહિત
ના તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવા આવેલ સર્વે સદસ્યોનો આભાર વ્યક્ત કરીએ છે. સાથે સાથે જોગમોડી માતાજીનાં ટ્રસ્ટને ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

05/10/2021

સરીગામ રોહિતવાસ ફળીયામા વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ - 2021

એક્તા મિત્ર મંડળ સરીગામ, રોહિતવાસ દ્વારા તા. 11.7.2021 ના રવિવાર દિને અમારા રોહિતવાસ ફળીયામા ઘરે ઘરે જઈને ઘર દીઠ 4-5 છોડ આપીને (ટોટલ 150 જેટલા છોડ) વૃક્ષા રોપણનો કાર્યક્રમ તથા દર વર્ષની જેમ આ વર્ષે પણ રોહિતવાસ ના ભણતા તમામ વિદ્યાર્થીઓને નોટબુકોનુ (ટોટલ 500 જેટલી નોટબુક) વિતરણનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો.
જેમા મોટી સંખ્યામા વડીલો, બહેનો, બાળકો તથા એકતા મિત્ર મંડળના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી અને આ બન્ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જેના માટે પ્રમુખ શ્રી નિલેશ રોહિત દ્વારા તમામનો આભાર માન્યો હતો અને એવી રીતે બધા સાથે મળીને દરેક કાર્યક્રમો થતા રહેશે અને બધા સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી.
તથા સેક્રેટરીશ્રી અરવિંદ રોહિત દ્વારા પણ જણાવવામા આવ્યુ કે રોહિત સમાજ સેવા ટ્રસ્ટમા પણ રુ 3000/- આપીને આજીવન સભ્ય બને અને આપણો સમાજ મજબૂત બને તેમા સહભાગી થાય તે માટે અપીલ કરી હતી.

સરીગામ રોહિતવાસ ફળીયામા વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ - 2021એક્તા મિત્ર મંડળ સરીગામ, રોહિતવાસ દ્...
05/10/2021

સરીગામ રોહિતવાસ ફળીયામા વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ - 2021

એક્તા મિત્ર મંડળ સરીગામ, રોહિતવાસ દ્વારા તા. 11.7.2021 ના રવિવાર દિને અમારા રોહિતવાસ ફળીયામા ઘરે ઘરે જઈને ઘર દીઠ 4-5 છોડ આપીને (ટોટલ 150 જેટલા છોડ) વૃક્ષા રોપણનો કાર્યક્રમ તથા દર વર્ષની જેમ આ વર્ષે પણ રોહિતવાસ ના ભણતા તમામ વિદ્યાર્થીઓને નોટબુકોનુ (ટોટલ 500 જેટલી નોટબુક) વિતરણનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો.
જેમા મોટી સંખ્યામા વડીલો, બહેનો, બાળકો તથા એકતા મિત્ર મંડળના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી અને આ બન્ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જેના માટે પ્રમુખ શ્રી નિલેશ રોહિત દ્વારા તમામનો આભાર માન્યો હતો અને એવી રીતે બધા સાથે મળીને દરેક કાર્યક્રમો થતા રહેશે અને બધા સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી.
તથા સેક્રેટરી શ્રી અરવિંદ રોહિત દ્વારા પણ જણાવવામા આવ્યુ કે રોહિત સમાજ સેવા ટ્રસ્ટમા પણ રુ 3000/- આપીને આજીવન સભ્ય બને અને આપણો સમાજ મજબૂત બને તેમા સહભાગી થાય તે માટે અપીલ કરી હતી.

તારીખ - 06/07/2019 ના રોજ એક્તા મિત્ર મંડળ, સરીગામ (રોહિતવાસ) દ્વારા અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા સરીગામ જ્યાં અમે...
05/10/2021

તારીખ - 06/07/2019 ના રોજ એક્તા મિત્ર મંડળ, સરીગામ (રોહિતવાસ) દ્વારા અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા સરીગામ જ્યાં અમે અમારા ભણતર ની સરુવાત કરેલી ત્યા આજે અમને સેવા કરવાનો અવસર મળ્યો.
એક્તા મિત્ર મંડળ દ્વારા નાના બાળકોને નોટબુક અને બોલપેન નુ વિતરણ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
એક્તા મિત્ર મંડળ શાળાના આચાર્યશ્રી અને બધા શિક્ષકોનો આભાર માને છે. 👏👏🙏

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2019તારીખ-13/06/2019 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા ખૂબ જ સરસ કાર્ય સતત...
05/10/2021

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2019

તારીખ-13/06/2019 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા ખૂબ જ સરસ કાર્ય સતત ચોથા વર્ષ સરીગામ રોહિતવાસ ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેન નુ વિતરણ કરવામા આવ્યુ.
એકતા મિત્ર મંડળ ના તમામ સભ્યોનો હદયથી આભાર આવી જ રીતે બધા સાથે મળીને કંઈક ને કંઈક નવું કાર્ય કરતા રેહશુ, ગર્વ છે મને મારા એકતા મંડળ પર. 👏👏

કેરલા ફ્લડ સપોર્ટ - ૨૦૧૮તારીખ:- 28/08/2018 ના રોજ કેરલાના દુઃખદ સમયમાં સરીગામ એકતા મિત્ર મંડળ અને ફળિયાના વડીલો, ભાઈઓ, બ...
05/10/2021

કેરલા ફ્લડ સપોર્ટ - ૨૦૧૮

તારીખ:- 28/08/2018 ના રોજ કેરલાના દુઃખદ સમયમાં સરીગામ એકતા મિત્ર મંડળ અને ફળિયાના વડીલો, ભાઈઓ, બહેનો, તથા યુવાનો દ્વારા ફંડ એકઠું કરી જરૂરી સામગ્રી કેરલા સમાજ સરીગામ - ભીલાડ ને સોપવામાં આવી. 👏👏

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2017તારીખ- 11/06/2018 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા સતત ત્રીજા વર્ષે સ...
05/10/2021

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2017

તારીખ- 11/06/2018 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા સતત ત્રીજા વર્ષે સરીગામ, રોહિતવાસના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેનનુ વિતરણ કરવામા આવ્યુ અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
એકતા મિત્ર મંડળના તમામ સભ્યોનો હદય થી આભાર.
આવી જ રીતે બધા સાથે મળીને કંઈક ને કંઈક નવું કાર્ય કરતા રેહશુ.

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2017તારીખ 28/05/2017 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા સતત બીજા વર્ષે સરીગ...
05/10/2021

એક્તા મિત્ર મંડળ નોટબુક વિતરણ - 2017

તારીખ 28/05/2017 ના રોજ એકતા મિત્ર મંડળ સરીગામ (રોહિતવાસ) દ્વારા સતત બીજા વર્ષે સરીગામ રોહિતવાસના તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેન નુ વિતરણ કરવામાં આવ્યુ.
એકતા મિત્ર મંડળના તમામ સભ્યોનો આભાર.

સૌના સહયોગ અને સર્વાનુમતે ચાલતુ મંડળ એટલે એકતા મિત્ર મંડળ, સરીગામ રોહિતફળિયું
05/10/2021

સૌના સહયોગ અને સર્વાનુમતે ચાલતુ મંડળ એટલે એકતા મિત્ર મંડળ, સરીગામ રોહિતફળિયું

Address

Sarigam Road
Umargam
396155

Website

Alerts

Be the first to know and let us send you an email when Ekta Mitr Mandal - Sarigam, Rohitfaliyu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ekta Mitr Mandal - Sarigam, Rohitfaliyu:

Share

Category