16/01/2023
https://youtube.com/watch?v=TiNeXPtYYO0&si=EnSIkaIECMiOmarE
આજ રોજ તા.૧૬/૦૧/૨૦૨૩ ના રોજ મે, હિતેશ જોયશર પોલીસ અધિક્ષક સા.શ્રી સુરત ગ્રામ્ય, સુરતનાઓની અધ્યક્ષતામા જીલ્લા ટ્રાફીક શાખા સુરત ગ્રામ્ય દ્વારા શ્રી વશિષ્ઠ વિધ્યાલય, વાવ, તા.કામરેજ જી.સુરત ખાતે “૩૩મા માર્ગ સલામતી સપ્તાહ”ની ઉજવણી નીમીત્તે ટ્રાફીક અવરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ.
મે, પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓ દ્વારા રોડ ઉપર બનતા જીવલેણ અક્સ્માતો કેવી રીતે બને છે અને અક્સ્માતો ના બને તે માટે પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામને સમજ કરેલ અને ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવેલ.
આ પ્રોગ્રામમાાં RTO, NHAI, R&B તેમજ નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલોના માલીકો, ડ્રાઇવરો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જાગૃત નાગરિકો હાજર રહેલ. જેમને ટ્રાફીક અવરનેસના શોર્ટ વિડીયો બતાવી અક્સ્માતનો ભોગ ના બને તે માટે અવગત કરવામાાં આવેલ. વાહન ચાલકો/વાહન માલીકોને શપથ પણ લેવડાવવામાં આવેલ.
ટ્રાફીક પોલીસ, ફાયર વિભાગ, ઇમરજન્સી એમબ્યુલન્સ ૧૦૮, NHAI દ્વારા પોત-પોતાના ઇક્યુપ્મેન્ટ તથા બેનરો સાથે પ્રદર્શન કરવામાાં આવેલ જેમાં જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા હાઇવે પેટ્રોલ કાર તથા ઇન્ટર સેપ્ટર કારમાં લગાવેલ ઇક્યુપમેન્ટને પ્રદર્શનમાં રાખી આશરે ૩૦૦૦ જેટલા સ્ટુડન્ટ/વ્યક્તિઓને બતાવી પેમ્પ્લેટ વિતરણ કરી ટ્રાફીક અવરનેસના પ્રોગ્રામને સાકાર બનાવવાનો સફળ પ્રયાસ કરેલ છે.
ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ સફળ બનાવનાર
(૧) શ્રી વી.કે પટેલ પોલીસ ઈન્સપેક્સટર, જીલ્લા ટ્રાફીક શાખા
(૨) શ્રી પી.ડી. ગોંડલીયા પોલીસ સબ ઈન્સપેક્સટર જીલ્લા ટ્રાફીક શાખા
(૩) જીલ્લા ટ્રાફીક ટીમ
(૪) શ્રી વશિષ્ઠ વિધ્યાલય ના સહયોગથી
Email- [email protected]