02/04/2026
આજે આપણી શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો શાળા દિક્ષાંત સમારોહ શાળા કક્ષાએ ઉજવાયો, સમગ્ર કાર્યક્રમનું આયોજન ધોરણ 8ના વર્ગ શિક્ષક મિત્રો ભદ્રેશભાઈ પટેલ અને સ્નેહલબેન પટેલે હાથ ધર્યું હતું જેમાં સમગ્ર શાળા પરિવાર સહયોગી થયો હતો.
વિદ્યાર્થીનીઓએ શાળા સમયના પોતાના અનુભવો અને સંસ્મરણો વાગોળતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
શાળાની અન્ય ધોરણની વિદ્યાર્થીનીઓ અને સમગ્ર શાળા પરિવાર તથા શાળાના આચાર્ય જશીબેન પટેલ અને (અ)ભૂતપૂર્વ આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.