14/08/2019
.
પાલનપુરની બ્રાન્ચ શાળાનં 1માં
લીંબળો,અડુસી,કરાંજી,કરંજ, વડનું વાવેતર કરાયું
પાલનપુર
પાલનપુર શહેરમાં પર્યાવરણ માટે કાર્યરત સોસાયટી ફોર કલીન એન્ડ ગ્રિન ઇન્વાયરમન્ટ દ્વારા બ્રાન્ચ શાળા નં-૧ સ્કૂલમાં રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટ નિમિતે વૃક્ષવિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા 121 રોપા બાળકોને અપાયા હતા જેમાં લીંબળો,અડુસી, કરાંજી, કરંજ,વડ સહિતના છોડનું વિતરણ કરવામા આવ્યુ હતું. શાળાના છાત્રોને સંબોધતા લલિત ભાઈએ જણાવ્યું હતું કે "જેમ દેશના સૈનિકો ભારત માતાની રક્ષા કરે છે, જેમ ભાઈ બેનની રક્ષા કરે તેવીજ રીતે આ છોડ પણ વાતાવરણની રક્ષા કરે છે, જો દરેક વ્યક્તિ પોતાના ઘર અગણે એક એક છોડ નું જતન કરે તો આવનાર 5 વરસમાં હરિયાળી છવાઈ જશે. સંસ્થા દ્વરા પાલનપુર શહેરમાં 1 હજારથી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આપણે સહુ રક્ષાબંધનનાં દિવસે જો વૃક્ષને પણ રાખડી બાંધીએ તો આપણે સહુ એ વૃક્ષની કાળજી રાખીશું અને એને નુકસાન થવાથી રોકીશું.
🌴
ko