જન કલ્યાણ ટ્રસ્ટ

જન કલ્યાણ ટ્રસ્ટ "મારો સમાજ ...મારું ગૌરવ"
શિક્ષિત બનો ..�
સંગઠિત બનો. �
સંઘર્ષ કરો ......�

આઝાદી ના 75 વર્ષ થઇ ચુક્યા છે. ભારત ના દલિત લોકો ની સામાજિક સમાનતા માં ઘણો ફરક પડવો જોઈતો હતો.  પણ અચાનક જ અત્યાચાર ની ઘ...
21/07/2023

આઝાદી ના 75 વર્ષ થઇ ચુક્યા છે. ભારત ના દલિત લોકો ની સામાજિક સમાનતા માં ઘણો ફરક પડવો જોઈતો હતો. પણ અચાનક જ અત્યાચાર ની ઘટનાઓ વારંવાર બને છે અને નિર્દોસ દલિત સમુદાય ના લોકો ની કરપીણ હત્યા કરવામાં આવી રહી છે. આ ખુબ દુઃખ ની વાત છે.

આધુનિક યુગ માં ટેક્નોલોજી નો ઉપયોગ કરી ચન્દ્ર અને મંગળ સુધી પહોંચવું ખુબ સારી બાબત છે પણ, દલિત સમુદાય ની રક્ષા અને યોગ્ય ન્યાય ના મળવો એક સંશોધન નો વિષય બને છે.

ભારત ના તમામ નાગરિકો ને દેશ માં શાંતિ પૂર્વક રહેવાનો અધિકાર છે. સરકારશ્રી એ તમામ ને રક્ષણ આપવી એ મૂળભૂત જરૂરિયાત છે.

25/06/2023

Dilipbhai Parsottambhai Harijan wants to raise funds for Offer A Helping Hand To Support Bhagyshree Yogesh Waghelas Treatment. Your donation has the power to help them move closer to their goal amount. Please contribute.

17/05/2023

75 વર્ષ પછી પણ દલિત સુરક્ષિત નથી...

14/11/2022

CORO સંસ્થા ની ટીમ દ્વારા લવાલ ની મુલાકાત લેવા માં આવી "જન કલ્યાણ ટ્રસ્ટ" શું કાર્ય કરે છે અને ગામડા ના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી, "શિક્ષણ એજ કલ્યાણ - સંકુલ" ની બાળકી ની સાથે સંવાદ કર્યો...

https://youtu.be/Au1zsMgkhYg
21/09/2022

https://youtu.be/Au1zsMgkhYg

આજ ના કાર્યક્ર્મનો હેતુ ખાસ કરીને દલિત તથા સમાનતા માનતા સમુદાય ના લોકોમાં રાજકીય જાગૃતિ ઊભી થાય અને આવનારી વિધાન.....

26/08/2022

"ધૂંધવાયેલું (ગોટાળે ચઢેલું) આધુનિક શિક્ષણ"

આધુનિક શાળા માં પહેલા ધોરણ માં અભ્યાસ કરતો બાળક ના વજન કરતા તેના થેલા નો વજન વધારે હોય છે. શું પાંચ વાર, દસ વાર લખવાથી હોશિયાર બની જવાય? કે ટાઈપ રાઇટર મશીન બની જવાય? બાળક ની વિચાર શક્તિ વધે કે ના વધે દર વર્ષે બાળક ને ઊંચકવાનો ભાર (થેલા નું વજન) અવશ્ય વધી જાય છે.
શિક્ષણ એવું હોવું જોઈએ જેમાં બાળક ને વિચારો ઉદ્દભવવા માટે પ્રયત્ન થવા જોઈએ પરંતુ બિલકુલ ઉલટું થઇ ગયું છે. શાળા માં બાળકો ના વિચારો ની જ હત્યા કરવામાં આવી રહી છે.
દરેક શાળાઓ માં વિદ્યાર્થીઓ ને માત્ર પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે, જિંદગી જીવતા શીખાડવામાં આવતી નથી, અને શાળા ઓ ની બેદરકારી અને પરીક્ષા લક્ષી તૈયારી ને કારણે ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા નો ભોગ બનતા જોવા મળે છે.
બાળક સ્વપ્નાઓ પુરા કરવા ખુબ મહેનત કરતો જોવા મળે છે પરંતુ કોના સ્વપ્ન પુરા કરવા તે લડી રહ્યો હોય છે તેની ખબર પડતી નથી. મમ્મી - પપ્પા, શાળાના શિક્ષકો એક વિદ્યાર્થી માટે અલગ - અલગ સ્વપ્ન જોત હોય છે.
ગોટાળે ચઢેલું શિક્ષણ, બાળક ધોરણ 8 સુધી પહોંચી જાય ત્યાં સુધી તેને બરાબર લખતા કે વાંચતા પણ આવડતું નથી અને બાળક જયારે ધોરણ 9 માં પ્રવેશ કરે ત્યારે તે કિશોર અવસ્થામાં આવતો હોવાથી શરમ ને કારણે બોલી પણ શકતો નથી અને શિક્ષક તેને પહેલે થી જ ઠોઠ જાહેર કરી દેતા જોવા મળે છે. ક્યારેય બાળક ની માનસિકતા જાણવાનો પ્રયત્ન સુધ્ધા પણ કરતા નથી અને બાળક ને માત્ર પોતાના સ્વાર્થી પરિણામ અને સારી નામના કમાવવા માટે કોસતાં જોવા મળે છે. ત્યાર બાદ શિક્ષક માત્ર એક વર્ષ ની પરીક્ષા માં પાસ કરવા અને પોતાનું પરિણામ સાચવવા બાળક ની જિંદગી ની પરીક્ષા ની ત્યાંજ ગોર ખોદતો જોવા મળે છે.

શિક્ષક બાળક ને પ્રશ્ન પત્રો, ઉપયોગી પ્રશ્નો અને પરીક્ષાલક્ષી ટૂંકા પ્રશ્નો દસ વખત કે વીસ વખત લખવા આપી ને તૈયાર કરાવી ને બાળક ના મગજ માં ફૂટતા વિચારો ના અંકુર ને ત્યાંજ મરોડી દેતા જોવા મળે છે.

બાળક ને ભવિષ્ય માટે તૈયાર કરવાનો હોય છે, જિંગદી માં આવતા કપરા ચઢાણ અને વિપરીત પરિસ્થિઓ નો સામનો કેવી રીતે કરવો તે શીખવવું અત્યંત જરૂરી હોય છે, એકલતામાં કેવી રીતે રહેવું, નિષ્ફળતા માં કેવી રીતે હિમ્મત હાર્યા સિવાય આગળ વધવું અને વિકટ પરિસ્થિતિ માં કેવી રીતે ટકી રહેવું તે શીખવવું જોઈએ જેથી એક તંદુરસ્ત અને તણાવ મુક્ત નાગરિક બની શકે.

ગોટાળે ચડેલા શિક્ષણ ની આડઅસર ના આંકડા

એક સર્વે મુજબ 51% વિદ્યાર્થીઓ શાળા - કોલેજ માં માનસિક તણાવ નો ભોગ બનતા જોવા મળે છે, આટલી નાની ઉંમર માં તણાવ ક્યાંથી આવે છે? કોણ આપે છે આ પ્રેસર? તાજેતર ના એક અહેવાલ માં જાણવામાં આવ્યું છે કે ભારત દેશ માં 64% વિદ્યાર્થીઓ શાળા દરમિયાન માનસિક તણાવ ને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દેતા જોવા મળે છે. National Crime Records Bureau ના અહેવાલ મુજબ ભારત માં દરરોજ 28 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા જોવા મળે છે. અધધધ... આતો શિક્ષણ કહેવાય? કે બાળકો સાથે થઇ રહેવું પરીક્ષણ!,કઈ સમજાતું જ નથી.

આધુનિક શાળાઓ જાણે કે કારખાના માં ફેરવાઈ ગયેલી જોવા મળે છે. શાળા માંથી માણસ નહીં પરંતુ મશીનો નું ઉત્પાદન પૂર જોસ માં વધી રહ્યું છે.

શિક્ષક ની ભૂમિકા બાળક ને જીવતર શીખવવા માટે ની હોવી જોઈએ પરંતુ, આધુનિક શિક્ષણ માં બાળક ને માત્ર ને માત્ર ગોખણ પટ્ટી અને પરીક્ષાલક્ષી જ તૈયારી કરાવવામાં આવે છે. જેના થી તેની જિજ્ઞાસાવૃત્તિ ઉદ્ભવતા પહેલા જ મરી જતી જોવા મળે છે. 'curiosity is the mother of invention' એટલે જીજ્ઞાશા એ શોધ ની જનની છે. પરંતુ આધુનિક શિક્ષણમાં કુમળા બાળક ને જીવતર ના પાઠ ભણાવ્યા પહેલા જ દફનાવી દેવાતો જોઈ શકાય છે.

દિલીપ સોલંકી
(સ્થાપક - જન કલ્યાણ ટ્રસ્ટ)

દિવ્યાંગ વ્યક્તિ સાથે થયેલ અપમાન માટે GSRTC પગલાં લઇ રહ્યું છે... અને ત્રણ દિવસ માં દોષિતો સામે નિયમોનુસાર કાર્યવાહી કરશ...
23/07/2022

દિવ્યાંગ વ્યક્તિ સાથે થયેલ અપમાન માટે GSRTC પગલાં લઇ રહ્યું છે... અને ત્રણ દિવસ માં દોષિતો સામે નિયમોનુસાર કાર્યવાહી કરશે..... 🙏

13/04/2022

"ડો. બાબા સાહેબ અમર થઇ ગયા, પણ તેમના વિચારો દફન થઇ ગયા...!"

ડો. બાબા સાહેબ આંબેડકર ના ચરણો માં નતમસ્તક વંદન સાથે 131 મી જન્મ જયંતિ ની શુભકામના.

કેટલું સંઘર્ષમય જીવન! કદાચ ડો. બાબા સાહેબ જેટલો સંઘર્ષ ભારતભર માં કોઈ એ કર્યો જ નથી. તેઓ જિંદગી બીજા માટે જ જીવ્યા, જ્ઞાન નો ભંડાર અને બંધારણ ના ઘડવૈયા જેઓ એ બંધારણ ઘડવામાં જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ રાત - દિવસ એક કરી ને વિશ્વ નું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ ની ભેટ ભારતીય નાગરિકો ને આપનાર, ભારતરત્ન ડો. બાબા સાહેબ ભારત ની એ તમામ બાબતો માં અમર થઇ ગયા જ્યાં બંધારણ નો ઉપયોગ થાય છે એટલે કે સંપૂર્ણ ભારત 'બંધારણ' ને આધીન છે.

ડો. બાબા સાહેબ આંબેડકરે શું કર્યું તમારા માટે વિચારો?

• નાદુરસ્ત તબિયત હોવા છતાં બંધારણ લખ્યું.
• ભારતીય મહિલાઓ ને "હિન્દુકોડ બિલ" ની ભેટ.
• મહિલાઓ ને પ્રસુતિ ની રજા.
• કામ ના 12 કલાક ના 8 કલાક ની દેન.
• સમાનતા નો અધિકાર.
• શિક્ષણ નો અધિકાર.
• અનુસૂચિત જાતિ અને જન જાતિઓ ને સમ્માન અને અનામત ની અમૂલ્ય ભેટ.
• આભળછેટ નાબૂદી માટે (એટ્રોસિટી એક્ટ)
• સામાજિક જાગૃતતા માટે ચાર દીકરાઓ નું બલિદાન.
• વ્હાલી રમા નો વિરહ.
• સમાજ ના લોકો માટે અપમાન સહન કર્યા.
• 5000 વર્ષ ની ગુલામી માંથી મુક્ત કરવા એકલા લડ્યા.
• ભારતીય રિઝર્વ બેંક ની દેન.
• લઘુતમ વેતન ધારો.
• સરકારી નોકરીમાં સમાન હક.
• મહિલા અનામત.

ડો. બાબા સાહેબ સાથે અત્યાચાર થયા છે તેના પુરાવા છે, પરંતુ બાબા સાહેબ રાષ્ટ્રપ્રેમી હતા તેઓ એ ક્યારેય કોઈ સાથે અન્યાય નથી કર્યો, સર્વશ્રેષ્ઠ બંધારણ એજ રાષ્ટ્રપ્રેમ ની સાબિતી છે. પરંતુ ભારત માં "ડો. બાબા સાહેબ આંબેડકર" ને માત્ર દલિત નેતા તરીકે ઓળખ આપી તેમનું હળાહળ અપમાન કરેલું જોવા મળે છે.

ડો. બાબા સાહેબ ના વિચારો તેમના પુસ્તકો અને લખાણ પરથી જાણી શકાય છે, તેઓ કેવું ભારત ઇચ્છતા હતા અને પીડિતો, શોષિતો, ગરીબ, લઘુમતી અને મહિલાઓ માટે ભગીરથ કાર્ય કરી ને સમ્માનભેર જીવન જીવતા કર્યા. પરંતુ દુઃખ ની વાત છે કે એ મહા - પુરુષ નું બલિદાન ને આજે લોકો માત્ર અમુક દિવસે યાદ કરી ને માર્યાદિત બનાવી દીધું છે.

ડો. બાબા સાહેબ ના ચાહકો ની સંખ્યા લખો માં જોવા મળે છે પણ તેમના વિચારો ને દિલ થી અનુસરવા વાળા ની સંખ્યા જૂજ જોવા મળે છે.

• વિચારો નું દફન

1. ડો. બાબા સાહેબ આંબેડકર ને હજી સુધી રાષ્ટ્રીય નેત તરીકે ની ખ્યાતિ આપવા કેમ હિચકિચાટ થાય છે ?

2. બાબા સાહેબ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા અત્યાચાર નાબૂદી માટે કાયદા બનાવ્યા, શું તે કાયદા નું ચુસ્તપણે અને યોગ્ય પાલન થાય છે?

3. અછુતો માટે પોતાના વહાલસોયા ચાર દીકરા ખોયા, વ્હાલી રમા ને ખોય, સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા માટે બંધારણ લખ્યું પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત આભળછેટ મુક્ત ના બની શક્યું.

4. બાબા સાહેબે કામના 12 કલાક ને 8 કલાક કરાવવા માટે લડત કરી કર્મચારીઓ ને 8 કલાકની ભેટ આપી પરંતુ ખાનગી કારણ માં શોષણ ની કોઈ હદ નથી.

5. બાબા સાહેબ મહિલા ના વિકાસ માં જ સમાજ નો વિકાસ ગણતા હતા પરંતુ અત્યારે મહિલા નું શોષણ થઇ રહ્યું છે. અને રબર સ્ટેમ્પ બનાવી દેવાય છે.

6. ટૂંક માં ડો. બાબા સાહેબ ને પાઠ્યપુસ્તક માં વાંચીએ છીએ, ભારતરત્ન થી સમ્માનિત કરી મહાન બનાવી દીધા પણ મહા - માનવ ના અમૂલ્ય વિચારો ને આજે દફનાવી દીધેલા જોઈ શકાય છે.

ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર ભારતમાં જ નહિ વિશ્વભર માં "SYMBOL OF KNOWLEDGE" તરીકે ની ખ્યાતિ ધરાવે છે. હજી આવનારા 100 વર્ષ સુધી તેમના જેવું વ્યક્તિત્વ આખી દુનિયાના કોઈપણ ખૂણા માં જોવા નહિ મળે.

અંતે એટલુંજ કહીશ કે માત્ર એક દિવસ પૂરતું ડો. બાબા સાહેબ નું નામ લેવાનું નથી કે માત્ર બોલવા ખાતર જ જય ભીમ બોલવાનું નથી, સાચા દિલ થી બાબા સાહેબ ને સમજીને તેમના વિચાર અને અધૂરા સ્વપ્ન ને સાકાર કરવાનું છે, તો જ બાબા સાહેબ નું બલિદાન ફળશે.

દિલીપ સોલંકી
(સ્થાપક - જન કલ્યાણ ટ્રસ્ટ)

28/03/2022

*"સ્ત્રી અને ધર્મ બન્ને માંથી મહાન કોણ?"*

*આ લેખ માં માત્ર સ્ત્રી અને ધર્મ ની ચર્ચા છે, કેમ કે સ્ત્રી ને જ ધાર્મિક બંધનો નડતર રૂપ બનતા જોવા મળે છે, પુરુષ ને નહિ !*

*સ્ત્રી પણ બધી અને ધર્મ પણ બધા કોઈ એક જ સ્ત્રી કે કોઈ માત્ર એક જ ધર્મ ની વાત અહીંયા નથી.*

*ભારત દેશ ના તમામ ધર્મ અને પ્રદેશ માં સ્ત્રી ની માત્ર ગુલામગીરી જ નજરે પડે છે. સમગ્ર માનવ જાત ની ઉત્પત્તિ સ્ત્રી ને આધીન છે પરંતુ સ્ત્રી ને જ કેમ બંધનયુક્ત બનાવાય છે?*

*હું નાનો હતો ત્યારે વાર્તા સાંભળતો કે રામાયણ, મહાભારત કે અન્ય ધર્મ ની વાર્તા સાંભળતો ત્યારે મને માત્ર પુરુષ નું જ વર્ચસ્વ સાંભળવા અને જોવા મળતું. રામ, લક્ષ્મણ, કૃષ્ણ, સુદામા, બલરામ, ભીમ, અર્જુન અને અન્ય પુરુષ પાત્રો ને આશ્રમ માં અભ્યાસ માટે જતા જોયા કે સાંભળ્યા હતા. પરંતુ સીતા, દ્રૌપદી, ઉર્મિલા, રાધા, કુંતા કે અન્ય સ્ત્રી પાત્ર ની શિક્ષણ ની ક્યાંય વાત જોવા મળતી નથી, કેમ ? ખબર નહીં? શું માત્ર પુરુષ ને જ શિક્ષણ નો અધિકાર હતો?*

*કોઈ પુરુષ નું અવસાન થાય એટલે સ્ત્રી ને સતી કરવાનો રિવાજ હતો. પણ ક્યાંય એવું નથી સાંભળવા મળ્યું કે કોઈ સ્ત્રી નું અવસાન થાય અને પુરુષ ને સતો કરવો પડ્યો હોય.*

*મસ્જિદ માં સ્ત્રી ને પ્રવેશ નથી હોતો કેમ ? સમજાતું નથી કોઈ ધર્મ એવો તો કેવો હોઈ શકે જે સ્ત્રી - પુરુષ માં ભેદભાવ ઉભો કરે!, પુરુષ માત્ર ત્રણ વખત બોલે તલાક, તલાક, તલાક અને છૂટું પડી જવાય પરંતુ સ્ત્રી આખું જીવન બૂમો પાડી ને પોતાના દુઃખો સાંભળાવે છતાં ન્યાય નથી મળતો.*

*કોઈ સ્ત્રી માસિક માં હોય ત્યારે મંદિર માં પ્રવેશ નહિ. અને અમુક પુરુષ તો આ સમય દરમિયાન સ્ત્રી ને પશુ સમાન વ્યવહાર કરતા જોવા મળે છે. પાણી નો પ્યાલો અલગ, જમવાનુ અલગ, એક ખૂણા માં બેસી રહેવાનું કોઈ ને સ્પર્શ કરવાનો નહિ.*

*દક્ષિણ ભારત માં ચાલતી દેવદાસી પ્રથા એ કેટલી કલંક રૂપ છે. એવી તે કેવી પ્રથા જેમાં કોઈ છોકરી ને દેવ (મૂર્તિ) સાથે લગ્ન કરાવી દેવામાં આવે અને અલગ મંદિરમાં રહેવાનું અને ગામના લંપટ લોકો એ દેવની વહુ ઉપર શારીરિક સંબંધ બાંધે. અને પ્રથા સમજવી કે શારીરિક ભૂખ સંતોષવાની એક યોજના.*

*મહારાષ્ટ્ર ના એક મંદિર માં નવરાત્રી દરમિયાન કુંવારીકા ઓ દ્વારા મંદિરમાં નગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવાની પ્રથા. કેટલી યોગ્ય ?*

*દેવી - દેવતા માં જો કોઈ ભેદભાવ નથી, સ્ત્રી પણ માતાજી સ્વરૂપે જોવા મળે છે તો સ્ત્રી ની આવી દશા કેમ?*

*હું જયારે એક સામાજિક સંસ્થા માં કામ કરતો હતો ત્યારે ઇઝરાયેલ દેશ નું એક કપલ એડ્રિયનભાઈ અને રિચેલબેન મારા મિત્રો છે. હું એક વાર તેમના રૂમ માં મળવા ગયો ત્યારે હું દ્રશ્ય જોઈ ને આશ્ચર્ય ચકિત થઇ ગયો. રિચેલબેન પથારીમાં વાંચી રહ્યા હતા અને એડ્રિયનભાઈ કપડાં ધોઈ રહ્યા હતા. મેં પૂછ્યું કેમ તમે કપડાં ધોવો છો ? મને જવાબ મળ્યો અમે બન્ને એ કામ વહેંચેલા છે તે જમવાનુ બનાવે તો હું વાસણ ધોઈ નાખું. તમામ કામ બન્ને કરતા. પણ આપણે ઉલટૂં કરીએ છીએ. ઘરનું તમામ કામ માત્ર સ્ત્રી જ કરે છે. અને પુરુષ ઘર કામ માં મદદરૂપ બનતો જોવા મળતો નથી.*

*સમર્પણ ની ભાવના પણ એક સ્ત્રી માં જોવા મળે છે. સાથે-સાથે વેદના, દુઃખ, પીડા, દર્દ, ભૂખ, તરસ, નિરાશા, એકલાપણુ, ત્યાગ, બલિદાન, કલંક, આરોપ, કનળગત, બળત્કાર, ધિક્કાર, તિરસ્કાર, અપમાન, નીચ, હિંસા અને કુરિવાજો માં ફસાયેલી જોવા મળે છે. છતાં મૂંગા મોઢે સહજતાથી સહન કરી ને પોતાના ઘર - સંસાર નું ગાડું ચલાવે છે.*

*સમજાતું જ નથી સ્ત્રી ની સરખામણી એ કોઈ આવી શકે ? તો સ્ત્રી જ મહાન છે. ધર્મ તો સ્ત્રી ને દબાવવા નું કાર્ય કરે છે તેને બંધન માં રાખવા માંગે છે જયારે સ્ત્રી ધર્મ ને વરી એ સંસ્કાર નું સિંચન કરે છે.*

*સ્ત્રી છે એટલે ધર્મ છે, ધર્મ માં તો સ્ત્રી નું અસ્તિત્વ ક્યાં છે ?*

*દિલીપ સોલંકી*
*(સ્થાપક - જન કલ્યાણ ટ્રસ્ટ)*

09/03/2022

*ચાલો ગાંધીનગર...* *ચાલો ગાંધીનગર...*

*"ગાંધીનગર સફાઈ કર્મચારી હારશે, તો ગુજરાત નો વાલ્મીકિ સમાજ હારશે....!"*

*નોંધ : તારીખ 13/03/2022 રવિવાર નો કાર્યક્રમ*
*તારીખ 15/03/2022 ને મંગળવારે યોજવામાં આવશે.*
*સ્થળ- સેક્ટર 12 નો બગીચો, સિવિલ હોસ્પીટલ ની પાછળ, ગાંધીનગર.*
*સમય - 10:00*

ગુજરાત ના તમામ વાલ્મીકિ ભાઈઓ - બહેનો, સામાજિક કાર્યકરો, સમાજ ના પટેલશ્રીઓ, સંગઠન અને મંડળો ના પ્રમુખશ્રી, સામાજિક સંસ્થાઓ, યુનિયન, સંઘ અને તમામ રાજકીય પક્ષ સાથે જોડાયેલ સમાજ ના ભાઈઓ તથા બહેનો. આવો સમાજ ને સંગઠિત કરી સમાજમાં ક્રાંતિ લાવીએ. *બસ એક જ વાત સંગઠિત થઈશું આજ તો સુરક્ષિત હશે આપણી આવતીકાલ.*

ગુજરાત ના તમામ વાલ્મીકિ ભાઈઓ - બહેનો ને વિંનતી કે ગાંધીનગર માં વાલ્મીકિ સફાઈકર્મચારીઓ પોતાના અધિકારો માટે 75 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર તરફ થી તેઓ ને સાંભળવામાં આવી રહ્યા નથી. તો ગુજરાત ની વાલ્મીકિ સમાજ ને વિંનતી કે આગળ આવીએ અને આપણા હક અધિકાર માટે લડીએ.

તારીખ 15/03/2022 ને મંગળવારે માનનીય મુખ્યમંત્રીશ્રી ને "ખુલ્લોપત્ર" આપી ને વાલ્મીકિ સમાજ ના શુભચિંતકો સમાજમાટે બલિદાન આપવા તૈયાર. તમે પણ થઇ જાવ તૈયાર આરપાર ની લડાઈ લડવા આપણા હક અને અધિકાર મેળવવા. કોઈ ના માટે નહિ પોતાના માટે લડીએ.

*ચાલો સંગઠિત થઈએ અને સંઘર્ષ કરીએ*

દરેક પ્રશ્નો નો ઉકેલ બંધારણ માં છે જ તો ચાલો સામાજિક ક્રાંતિ માટે એક થઇએ અને આધિકારો માગી ને નહિ પણ લડી ને લઈએ.
સમાજ ના ભાઈઓ બહેનો ને જણાવવાનું કે જો સમાજ માં શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્રાંતિ લાવવી હોય તો આજ ની ઊંઘ કુરબાન કરીશું તો આવનારી પેઢી નું ભવિષ્ય બનાવી શકીશું.

*એક જ દવેય અને ઉદેશ સાથે સંગઠિત થઈએ જીત મેળવી ને રહીએ"*

સમાજ ના શુભચિંતકો...

*નોંધ- જો કોઈ વ્યક્તિ નું નામ ભુલાઈ ગયું હોય તો સમાજ નો નાનો ભાઈ સમજી માફ કરશો, વાલ્મીકિ સમાજ ની એકતા અને અખંડિતતા અને વાલ્મીકિ સમાજના ની જીત માટે ગાંધીનગર ઉમટી પડવા જાહેર આમંત્રણ.*

આપ પણ આપનું નામ અને નંબર લખી આ સંદેશ આગળ મોકલો.

1). દિલીપભાઈ સોલંકી (ખેડા) 6354461125
2). પ્રદીપભાઈ જેઠવા (જૂનાગઢ) 95371 27533
3). રમેશભાઈ વાઘેલા (ખંભાળિયા) 93757 45888
4). આશિષભાઇ જેઠવા (ધોરાજી) 7016861142
5). અમિતભાઈ પરમાર (જામનગર) 82009 25166
6). ધર્મેશભાઈ વાઘેલા (ગોંડલ) 99240 19075
7). દિલીપભાઈ વાઘેલા (પોરબંદર) 97237 04506
8). મહેશભાઈ બાબરીયા (જામનગર) 87808 62012
9). સુનિલભાઈ વાઘેલા (અમદાવાદ) 78018 10308
10). કિરણભાઈ સોલંકી (અમદાવાદ) 91375 42890
11). બટુકભાઈ વાઘેલા (રાજકોટ) 99240 17682

ચાલો સાથે મળી ક્રાંતિ લાવીએ, હક, અધિકાર માટે અવાજ ઉઠાવીએ.
24/12/2021

ચાલો સાથે મળી ક્રાંતિ લાવીએ, હક, અધિકાર માટે અવાજ ઉઠાવીએ.

Address

Nadiad

Website

Alerts

Be the first to know and let us send you an email when જન કલ્યાણ ટ્રસ્ટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category