12/05/2020
બહુચરાજીમાં કોરોના ના કેસ આવ્યા છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ છે પણ હવે આપડા સૌ ની જવાબદારી છે કોરોના ની ચેઇન તોડીને એને વધારે ના પ્રસરવા દઈએ. અત્યારસુધી બહુચરાજી પ્રશાસન દ્વારા ખુબજ સારા નિર્ણયો કરીને આ મહામારીથી દરેક તાલુકા-ગ્રામજનોને બચાવવાના ખુબજ ઉમદા હિતકારી નિર્ણયો કર્યા છે હવે સૌ એ સાથે મળીને આ કોરોના રૂપી રાક્ષસ ને હરાવવાનો છે. દરેક બહુચરાજી તાલુકા વાસી ને વિનંતી છે મહેરબાની કરીને થોડા સમય માટે હવે ધંધા રોજગાર બંધ રાખો આપડે સુરક્ષિત છીએ આપણનેતો થઈ જ શકે નહીં એવા વહેમ માં ના રહો જે-જે લોકો ને થયો છે દુનિયામાં એ પણ આવુજ વિચારતા હતા તમે ધ્યાન નહીં રાખો તો હવે તમારો નંબર હશે અને માત્ર તમારો નહીં તમારા કારણે તમારા કુટુંબ નો નંબર હશે અત્યારે નહીં સમજીએ તો એ તમારા કુટુંબ ને ભોગવવું પડશે એટલું યાદ રાખી લેજો. ખાસ તમારા ઘરના વડીલો અને નાના બાળકો નું ધ્યાન રાખવુજ પડશે આને સહેલાઈથી લઈ શકાય એવું સહેજપણ નથી આવતા 20 દિવસમાં મહત્તમ વડીલોની અને બાળકોની તબિયતનું આપણે ધ્યાન રાખીશું અને આપણે સૌ આપણાં પરિવાર, સાગા સંબંધીઓ અને મિત્ર વર્તુળનું સાવચેતી સાથે સલામતીનું ધ્યાન રાખીશું.ખાસ કરીને જેને રેગ્યુલર દવાઓ (ડાયાબિટીસ, કિડની, ફેફસા, હૃદય વિગેરેની) ચાલુ છે તે લોકો ક્યાંયે બહાર નહી નીકળે અને કોઈના સંપર્કમાં નહીં આવે તે બાબતે ખાસ ધ્યાને રાખીશું.
આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીએ ઘરેજ ઉકાળો બનાવીને રોજ આપડા કુટુંબ ને પીવડાવીએ એ દરેક ગૃહિણીને વિનંતી છે.સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ દિવસ માં 2 ટાઈમ પીવાનું રાખો,ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી માટે)
તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી..વારે વારે 2-2 ઘૂંટડા ગરમ પાણીના પીએ અને બહાર કોઈપણ પબ્લિક એરિયા માં ન જઇયે બસ આટલી સાવચેતી રાખીયે...
સૌની સુખાકારીની માં બહુચરને પ્રાર્થના...
કોરોનાને ડરથી નહીં, સાવચેતીથી ભગાડીયે.
-આપનો રજની પટેલ
(પૂર્વગૃહમંત્રી,ગુજરાત)
https://m.facebook.com/story.php?story_fbid=2965838556836227&id=493100334110074
બહુચરાજીમાં કોરોના ના કેસ આવ્યા છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ છે પણ હવે આપડા સૌ ની જવાબદારી છે કોરોના ની ચેઇન તોડીને એને વધારે ના પ્રસરવા દઈએ. અત્યારસુધી બહુચરાજી પ્રશાસન દ્વારા ખુબજ સારા નિર્ણયો કરીને આ મહામારીથી દરેક તાલુકા-ગ્રામજનોને બચાવવાના ખુબજ ઉમદા હિતકારી નિર્ણયો કર્યા છે હવે સૌ એ સાથે મળીને આ કોરોના રૂપી રાક્ષસ ને હરાવવાનો છે. દરેક બહુચરાજી તાલુકા વાસી ને વિનંતી છે મહેરબાની કરીને થોડા સમય માટે હવે ધંધા રોજગાર બંધ રાખો આપડે સુરક્ષિત છીએ આપણનેતો થઈ જ શકે નહીં એવા વહેમ માં ના રહો જે-જે લોકો ને થયો છે દુનિયામાં એ પણ આવુજ વિચારતા હતા તમે ધ્યાન નહીં રાખો તો હવે તમારો નંબર હશે અને માત્ર તમારો નહીં તમારા કારણે તમારા કુટુંબ નો નંબર હશે અત્યારે નહીં સમજીએ તો એ તમારા કુટુંબ ને ભોગવવું પડશે એટલું યાદ રાખી લેજો. ખાસ તમારા ઘરના વડીલો અને નાના બાળકો નું ધ્યાન રાખવુજ પડશે આને સહેલાઈથી લઈ શકાય એવું સહેજપણ નથી આવતા 20 દિવસમાં મહત્તમ વડીલોની અને બાળકોની તબિયતનું આપણે ધ્યાન રાખીશું અને આપણે સૌ આપણાં પરિવાર, સાગા સંબંધીઓ અને મિત્ર વર્તુળનું સાવચેતી સાથે સલામતીનું ધ્યાન રાખીશું.ખાસ કરીને જેને રેગ્યુલર દવાઓ (ડાયાબિટીસ, કિડની, ફેફસા, હૃદય વિગેરેની) ચાલુ છે તે લોકો ક્યાંયે બહાર નહી નીકળે અને કોઈના સંપર્કમાં નહીં આવે તે બાબતે ખાસ ધ્યાને રાખીશું.
આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીએ ઘરેજ ઉકાળો બનાવીને રોજ આપડા કુટુંબ ને પીવડાવીએ એ દરેક ગૃહિણીને વિનંતી છે.સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ દિવસ માં 2 ટાઈમ પીવાનું રાખો,ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી માટે)
તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી..વારે વારે 2-2 ઘૂંટડા ગરમ પાણીના પીએ અને બહાર કોઈપણ પબ્લિક એરિયા માં ન જઇયે બસ આટલી સાવચેતી રાખીયે...
સૌની સુખાકારીની માં બહુચરને પ્રાર્થના...
કોરોનાને ડરથી નહીં, સાવચેતીથી ભગાડીયે.
-આપનો રજની પટેલ
(પૂર્વગૃહમંત્રી,ગુજરાત)