Vanchan Valonu

Vanchan Valonu વાંચન - વિચાર ને વરેલ પ્રકલ્પ ..
દરેક સાહિત્યપ્રેમીને આવકાર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢમાં ‘સાહિત્ય શનિવાર’ ઉજવાઈ ગયો. મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાં...
31/03/2026

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢમાં ‘સાહિત્ય શનિવાર’ ઉજવાઈ ગયો.

મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી તા. ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારે જૂનાગઢ સ્થિત શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે બે મહત્ત્વપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમો યોજાયા હતા.
સવારના સત્રમાં ‘માતૃભાષા શિક્ષણ’ વિષયક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટથી પધારેલા ડૉ. રાજેન્દ્ર ચોટલિયાએ ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ વિષે ગહન અને માહિતીસભર વિચારો રજૂ કર્યા હતા.સંસ્થાના પ્રમુખ લાભશંકર જોશીએ માતૃભાષા શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ ડૉ. માતંગ પુરોહિતે કાર્યક્રમના સંચાલન દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢના માતૃભાષા પ્રેમીઓ તેમજ પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહી જ્ઞાનસમૃદ્ધ બન્યા હતા.
સાંજના સત્રમાં પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢના જાણીતા કવિ તથા તબીબ ડૉ. ઉર્વિશ વસાવડાએ ‘દેવો ધાધલ’ પુસ્તકનું રસદર્શન કરાવ્યું હતું, જ્યારે પ્રા. હરેશ કાવાણીએ ‘મહોતું’ પુસ્તક અંગે રસપ્રદ પરિચય આપ્યો હતો. બંને વક્તાઓએ પોતાની અસરકારક રજૂઆતથી ઉપસ્થિત સાહિત્ય રસિકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા દર્શાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. હર્ષાબેન પાડલિયાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જૂનાગઢના સાહિત્ય રસિકો, વાંચનપ્રેમીઓ તેમજ મુક્તધારા ફાઉન્ડેશન ‘વાંચન વલોણું’ના ટ્રસ્ટીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

@ Vanchan Valonu

www.VanchanValonu.org

જૂનાગઢના આંગણે એક સુંદર અવસર તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર સવારે ૧૦:૦૦ કલાકે "માતૃભાષા શિક્ષણ" વિષય પર વાત કરશે ૧) ડૉ. રાજેન્દ્...
25/03/2026

જૂનાગઢના આંગણે એક સુંદર અવસર
તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવાર
સવારે ૧૦:૦૦ કલાકે
"માતૃભાષા શિક્ષણ" વિષય પર વાત કરશે
૧) ડૉ. રાજેન્દ્ર ચોટલિયા અને
૨) શ્રી એલ. વી. જોશી
અને સાંજે ૦૫:૦૦ કલાકે
પુસ્તક પરિચય યોજાશે
જેમાં પુસ્તક "દેવો ધાધલ" વિશે
ડૉ. ઉર્વિશ વસાવડા
તથા પુસ્તક "મહોતું" વિશે
પ્રો. હરેશ કાવાણી રસદર્શન કરાવશે.
બંને કાર્યક્રમનું સ્થળ :
પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઈ ભરાડ સંચાલિત
શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર,
બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ
જૂનાગઢની સાહિત્ય પ્રેમી જનતાને આ સાહિત્ય શનિવારનો લાભ લેવા ઈજન છે.

26/02/2026

જૂનાગઢના જાણીતા ઇતિહાસવિદ્ ડૉ. પ્રદ્યુમ્ન ખાચર સાહેબને સાંભળવાનો મોકો ચૂકવા જેવું નથી. અને પસંદ કરાયેલું પુસ્તક પણ ખુબ સરસ છે.
શ્રીમાન નરોત્તમભાઈ પલાણનું "હુહુ".
આ પુસ્તકની કેટલીક વાતો જુનાગઢ સાથે જોડાયેલી છે. જાણવા માટે તમારી વ્યસ્તતા માંથી સમય કાઢી અને ખાસ પધારજો. શ્રી પ્રેમાનંદ સ્કૂલના આંગણે
તા.૨૮-૨-૨૦૨૬ - શનિવારે સાંજે 5:30 કલાકે.

https://youtu.be/QZhBhG4wkTc

' વાંચન વલોણું ' - ના નવા સભ્યોને ખ્યાલ આવે અને ગ્રૂપને જોઈતી દરેક માહિતી / ફોટા / વિડીયો પ્રાપ્ત થઈ શકે એ રીતે આપણાં ફેસબુક + ઇંસ્ટાગ્રામને ફોલો + શેર કરો

📘https://www.youtube.com/?sub_confirmation=1
📖 https://www.facebook.com/vanchanvalonu
📚 https://www.instagram.com/vanchanvalonu

અકિલા - દૈનિક માં આજે પ્રકાશિત થયેલ વાંચન વલોણું સંસ્થાની  કામગીરી નો અહેવાલ
12/02/2026

અકિલા - દૈનિક માં આજે પ્રકાશિત થયેલ વાંચન વલોણું સંસ્થાની કામગીરી નો અહેવાલ

જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ નરસિંહ સરોવર ખાતે આવતા લોકો માટે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શાંત ચિત્તે વાંચી શક...
11/02/2026

જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ નરસિંહ સરોવર ખાતે આવતા લોકો માટે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શાંત ચિત્તે વાંચી શકે તેવી આવકાર્ય વ્યવસ્થા કરી રહ્યા છે. મ્યુ. ના મેયર,સ્થાયી સમિતિના ચેરમેન સહીત સૌ વાંચન વલોણું સંસ્થાને સાથે રાખી આ કામગીરી કરશે.

05/02/2026

વાંચનવલોણુ, જુનાગઢ આયોજિત બુક મંથનના પ્રારમ્ભિક મણકામાં ડો બકુલચંદ્ર સી. જોશી
https://youtu.be/7w1sY9ytoTQ

President & COO (T.Stanes & Company) આપણને બેસ્ટ સેલર બુક *DEEP WORK* of Cal Newport નું રસપાન કરાવશે. ડો જોશી એક MNC ના ટ્રેનિંગ કોચ પણ છે.

કોઈપણ વ્યક્તિ zoom app અથવા નીચેની લિંક ઉલર ક્લિક કરી જોડાઈ શકશે.
Join Zoom Meeting
ID: 553 165 8335
Password: 123456 OR
Just Click on
https://us06web.zoom.us/j/5531658335...
આ રસપ્રદ ઉપક્રમનો મેસેજ અન્ય ગ્રુપમાં મિત્રોને શેર કરીએ -

' વાંચન વલોણું ' - ના નવા સભ્યોને ખ્યાલ આવે અને ગ્રૂપને જોઈતી દરેક માહિતી / ફોટા / વિડીયો પ્રાપ્ત થઈ શકે એ રીતે આપણાં ફેસબુક + ઇંસ્ટાગ્રામને ફોલો + શેર કરો

📘https://www.youtube.com/?sub_confirmation=1
📖 https://www.facebook.com/vanchanvalonu
📚 https://www.instagram.com/vanchanvalonu

#ગુજરાત , , , , , , #પુસ્તક , #વાંચનપ્રેમી , , , , #ફેસબુક , #ઇન્સ્ટાગ્રામ ,

04/02/2026

વાંચન વલોણું આયોજિત આગામી કાર્યક્રમ બુક મંથન સંદર્ભે ડોક્ટર હર્ષા પાડલીયા એ ઊંડાણપૂર્વક માહિતી આપેલ.

વાંચનવલોણુ, જુનાગઢ આયોજિત બુક મંથનના પ્રારમ્ભિક મણકામાં
ડો બકુલચંદ્ર સી. જોશી
President & COO (T.Stanes & Company) આપણને બેસ્ટ સેલર બુક *DEEP WORK* of Cal Newport નું રસપાન કરાવશે. ડો જોશી એક MNC ના ટ્રેનિંગ કોચ પણ છે.
કોઈપણ વ્યક્તિ zoom app અથવા નીચેની લિંક ઉલર ક્લિક કરી જોડાઈ શકશે.
Join Zoom Meeting
ID: 553 165 8335
Password: 123456 OR
Just Click on
https://us06web.zoom.us/j/5531658335?pwd=WjnvOoWZECZS88GOdsyqL8k8C4LMZ8.1&omn=82994124610
આ રસપ્રદ ઉપક્રમનો મેસેજ અન્ય ગ્રુપમાં મિત્રોને શેર કરીએ -

- @ Vanchan Valonu

04/02/2026

લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની અભિલાષા જગાડવા માટે આપણું વાંચન વલોણું * 📚 નું નવતર આયોજન - *બુક મંથન આગામી શનિવાર તારીખ7️⃣ સાતમી ફેબ્રુઆરીથી વાંચન વલોણું દ્વારા આ ઓનલાઇન કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે.🎇 દર મહિનાના પહેલા શનિવારે આ કાર્યક્રમ રજૂ થશે, જેમાં વાંચન દ્વારા પોતાના જીવનને સુખી સમૃદ્ધ અને સફળ બનાવનાર લોકો પોતાને વાંચેલા પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તક વિશેની આપણને યાત્રા કરાવશે. ઇન્ક ટુ ઇનસાઇટ લખેલા શબ્દોમાંથી તેનો સાર કાઢી અને આખા પુસ્તકના નીચોવીને તેનો અર્ક આપણી સાથે વહેચશે અને તે બુક વાંચ્યા જેટલો જ આનંદ ઉપલબ્ધ થાય તેવા આ કાર્યક્રમમાં જોડાવા બધાને નિમંત્રણ છે. ઓનલાઇન ચાલનારા આ કાર્યક્રમમાં આપણને પુસ્તકો પોતાની વાત પોતાની સમૃદ્ધિ તેના શ્રેષ્ઠ વાચક દ્વારા આપણી સમક્ષ મૂકશે ✨..ચાલો જે પુસ્તકને આપણે વાંચી શકતા નથી તેવા પુસ્તકના અહેસાસ પ્રાપ્ત કરવા માટે આપણે આ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાઈએ .

વાંચનવલોણુ, જુનાગઢ આયોજિત બુક મંથનના પ્રારમ્ભિક મણકામાં
ડો બકુલચંદ્ર સી. જોશી
President & COO (T.Stanes & Company) આપણને સફળતા અને સમૃદ્ધિ ને અવરોધતી આજના સમયની સમસ્યાઓનું સમાધાન આપતી બેસ્ટ સેલર બુક *DEEP WORK* of Cal Newport નું રસપાન કરાવશે. ડો જોશી એક MNC ના ટ્રેનિંગ કોચ પણ છે.

કોઈપણ વ્યક્તિ zoom app અથવા નીચેની લિંક ઉલર ક્લિક કરી જોડાઈ શકશે.
Join Zoom Meeting
ID: 553 165 8335
Password: 123456 OR
Just Click on
https://us06web.zoom.us/j/5531658335?pwd=WjnvOoWZECZS88GOdsyqL8k8C4LMZ8.1&omn=82994124610
આ રસપ્રદ ઉપક્રમનો મેસેજ અન્ય ગ્રુપમાં મિત્રોને શેર કરીએ -

મુકતધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ આયોજિત પુસ્તક પરિચય કાર્યક્રમનો આઠમો મણકો એન.આર.વેકરિયા કેમ્પસ,જૂનાગઢ ખાતે સાહ...
03/02/2026

મુકતધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ આયોજિત પુસ્તક પરિચય કાર્યક્રમનો આઠમો મણકો એન.આર.વેકરિયા કેમ્પસ,જૂનાગઢ ખાતે સાહિત્યિક ભાવાવરણમાં સફળતાપૂર્વક યોજાયો. સાહિત્યપ્રેમી નગરજનો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો.કાર્યક્રમ વિશેષ રીતે “3 ઇન 1” સ્વરૂપે યોજાયો હતો. પ્રથમ તબક્કે સ્વ. શ્રી નાનજીભાઈ વેકરિયાની પ્રેરણાથી સૌરાષ્ટ્ર પંથકની પ્રથમ ઓપન ડિજિટલ ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઇ-લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકોને વાંચનની વિશેષ સુવિધા પ્રાપ્ત થશે. આ સાથે ‘વાંચન વલોણું’ના નવા પ્રકલ્પ તરીકે ઓનલાઇન પુસ્તક પરિચયની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે પ્રા‌સંગિક પ્રવચનમાં પુસ્તક અને વાંચન પ્રત્યે સૌને પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વિદ્વાન ડૉ. દિનેશભાઈ પંડ્યાએ “દિવ્ય ભાગવત : સત્યં પરં ધીમહિ” વિષય પર મનનીય પ્રવચન આપ્યું. તેમણે ગ્રંથના ગહન આધ્યાત્મિક પાસાઓને સરળ શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ આવા સાહિત્યિક આયોજનોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા.અંતમાં આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સાહિત્યપ્રેમી મિત્રો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ વાંચનલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

મુકતધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ આયોજિત પુસ્તક પરિચય કાર્યક્રમનો આઠમો મણકો એન.આર.વેકરિયા કેમ્પસ,જૂનાગઢ ખાતે સાહ...
30/01/2026

મુકતધારા ફાઉન્ડેશન સંચાલિત ‘વાંચન વલોણું’ આયોજિત પુસ્તક પરિચય કાર્યક્રમનો આઠમો મણકો એન.આર.વેકરિયા કેમ્પસ,જૂનાગઢ ખાતે સાહિત્યિક ભાવાવરણમાં સફળતાપૂર્વક યોજાયો. સાહિત્યપ્રેમી નગરજનો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો.કાર્યક્રમ વિશેષ રીતે “3 ઇન 1” સ્વરૂપે યોજાયો હતો. પ્રથમ તબક્કે સ્વ. શ્રી નાનજીભાઈ વેકરિયાની પ્રેરણાથી સૌરાષ્ટ્ર પંથકની પ્રથમ ઓપન ડિજિટલ ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઇ-લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકોને વાંચનની વિશેષ સુવિધા પ્રાપ્ત થશે. આ ઓપન લાયબ્રેરીનો કોઈપણ નાગરિક www.vanchanvalonu.org પર ઉપયોગ કરી શકશે

આ સાથે ‘વાંચન વલોણું’ના નવા પ્રકલ્પ તરીકે ઓનલાઇન પુસ્તક પરિચયની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે પ્રા‌સંગિક પ્રવચનમાં પુસ્તક અને વાંચન પ્રત્યે સૌને પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વિદ્વાન ડૉ. દિનેશભાઈ પંડ્યાએ “દિવ્ય ભાગવત : સત્યં પરં ધીમહિ” વિષય પર મનનીય પ્રવચન આપ્યું. તેમણે ગ્રંથના ગહન આધ્યાત્મિક પાસાઓને સરળ શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ આવા સાહિત્યિક આયોજનોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા.અંતમાં આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સાહિત્યપ્રેમી મિત્રો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ વાંચનલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

- @ Vanchan Valonu

પુસ્તક પરિચયનો આઠમો મણકો યોજાવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમ 3 ઇન 1 બની રહેશે.જેમાં ડિજિટલ ઇ લાઇબ્રેરીનું લોકાર્પણ, મુક્તધારા...
28/01/2026

પુસ્તક પરિચયનો આઠમો મણકો યોજાવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમ 3 ઇન 1 બની રહેશે.
જેમાં ડિજિટલ ઇ લાઇબ્રેરીનું લોકાર્પણ, મુક્તધારા ફાઉન્ડેશનના એક નવા પ્રકલ્પની જાહેરાત તથા
વિદ્વાન ડો. દિનેશભાઈ પંડ્યા "દિવ્ય ભાગવત : સત્યં પરમ ધીમહિ" વિષય પર પુસ્તક પરિચય આપશે.

તો સૌ સારસ્વત મિત્રો આવતીકાલે સવારે 11:00 કલાકે પહેલા શ્રી એન. આર. વેકરીયા કોલેજ કેમ્પસના એમબીએ બિલ્ડિંગના સભાખંડમાં પોતાનું સ્થાન મેળવી લેશો તેવી વિનંતી.

મુક્તધારા ફાઉન્ડેશન- વાંચન વલોણું વતી

Address

Haridwar , A-18 , RadhaKrushannagar Society
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vanchan Valonu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category