25/06/2022
તા. 20-05-2022નાં રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીનાં અધિક કમિશ્નરશ્રી નારાયણ માધુ સર શ્રી ડી.કે.વી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં ઇનનોવેશન કલબ ના વર્ક શોપ માં તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવા જામનગર આવેલા, સાથે સરકારી વાણિજ્ય કોલેજ, જામનગરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કોલેજ ની સમગ્ર કામગીરી અંગે માહિતી મેળવી હતી, કોલેજની કામગીરી અંગે માહિતી મેળવી પ્રભાવિત થયા હતા અને તેમણે કોલેજનાં આચાર્યશ્રી ડો. એચ. બી. ઘેલાણી સર તેમજ તમામ અધિકારીઓ/કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. આ મુલાકાત દરમ્યાન કોલેજના તમામ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.