31/05/2019
આયુર્વેદના મહાન ઋષિઓમાંના એક એવા મહર્ષિ ચરકની મૂર્તિનું ગાંધીનગરના વનૌષધિ ઉદ્યાન ખાતે અનાવરણ થયું
****************************************************
30 મે 2019 ,ગુરુવાર ના રોજ સવારના 11 કલાકે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ સંચાલિત શ્રી જવાહરલાલ નહેરુ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ,ગાંધીનગર ખાતે આયુર્વેદના ભીષ્મ પિતામહ [ Father of medicine ] એવા મહર્ષિ ચરકની મૂર્તિનું અનાવરણ શ્રી એસ.કે.ચતુર્વેદી,આઈ.એફ.એસ., એડીશનલ પ્રિન્સિપલ ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ,ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું . આ પ્રસંગે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને ઉદ્યાનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તસ્વીરમાં ડાબેથી અવની યાજ્ઞિક,ક્રિષ્ના સખરેલીયાપંચાલ , કનુ યોગી , એસ.કે.ચતુર્વેદી અને ભૂપેન્દ્રસિંહ માત્રોજા દ્રશ્યમાન છે — Krishna Sakhreliya Panchalની સાથે