23/05/2026
ગુજરાત ક્ષત્રિય સમાજ ના મોભી અગ્રણી શ્રી વિરામદેવસિંહ અખૂભાબાપુ ચુડાસમા* (ગામ – કાદીપુર, હાલ વડોદરા) એ સમાજસેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગોહિલવાડની ગૌરવવંતી સંસ્થા શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ સાહેબના ભત્રીજા ભુપેન્દ્રસિંહના પુત્ર રઘુરાજસિહની શુભ સગાઈ પ્રસંગે, પોતાના પરિવારનો પ્રસંગ સમજીને ક્ષત્રિય સમાજના ડ્રીમ પ્રોજેક્ટ “મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિદ્યાસંકુલ – વરતેજ” માટે રૂ. *15,51,000* /- (પંદર લાખ એકાવન હજાર)નું દાન અર્પણ કરી મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ રૂપ સૌને પ્રેરિત કર્યા છે.
આ શુભ પ્રસંગે સમાજશ્રેષ્ઠીઓ શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, આઈ.કે. જાડેજા સાહેબ, દિગુભા ગોહિલ સાહેબ, સગાસંબંધીઓ તેમજ ટીમ મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલની ઉપસ્થિતિમાં થયેલ આ દાનસેવાને સૌએ હૃદયથી બિરદાવી હતી.
શ્રી વિરામદેવસિંહ બાપુની જીવનયાત્રા પણ ખૂબ પ્રેરણાદાયી રહી છે. નાનપણથી જ સાહસિક અને તરવરાટભર્યા સ્વભાવ ધરાવતા તેઓએ વર્ષ 1977માં ફોર્સમાં કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ વડોદરા આવી નોકરી તેમજ નાના-મોટા ધંધાઓથી શરૂઆત કરી પોતાના અદમ્ય આત્મવિશ્વાસ, નીડરતા અને મહેનતના બળે જીવનમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી. તેઓએ માત્ર પોતાનો વિકાસ નહીં, પરંતુ પોતાના સમગ્ર કુટુંબ અને સમાજને સાથે લઈને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો.
વડોદરામાં રાજપૂત સમાજની મજબૂત ઓળખ ઉભી કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
વડોદરા કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ આપ્યું. આશરે 15 વર્ષ પહેલાં સમાજ ભવન માટે લગભગ 4 કરોડ રૂપિયા એકત્રિત કરવાની ઐતિહાસિક શરૂઆત પોતાનાથી કરી હતી. ત્યારબાદ ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે 7 વર્ષ દરમિયાન અંદાજે 10 કરોડના વિકાસકાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. ખાસ કરીને ચુડાસમા સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે થયેલી ભવ્ય ઉજવણી તેમના કાર્યકાળની શિરમોર સિદ્ધિ ગણાય છે. ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામી રહેલા શિક્ષણ સંકુલમાં પણ તેમનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલ, ભાવનગર સાથે પણ તેઓ લાગણીપૂર્વક જોડાયેલા છે.પાઈફંડ સોસાયટીના દાતા છે. તેમના દ્વારા સામાજિક સંસ્થાઓને અનેક પ્રસંગોએ ઉદાર સહયોગ પ્રાપ્ત થયો છે.
આવા દાન, સમાજપ્રેમ, સંગઠનશક્તિ અને સેવાભાવ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમના માટે હોદ્દાએ ગૌણ બાબત છે.સમાજકાર્ય એ મુખ્ય હેતુ છે.તેઓ નિરાભિમાની મોજીલા, સરળ અને સહજ સ્વભાવના છે..
શ્રી વિરામદેવસિંહ ચુડાસમાને હાર્દિક અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ....