23/01/2024
કવિ જિમની કલમે...✍️....અને 1992માં દિયોદર તાલુકાના સરદારપુરાના 27 વર્ષના માળી યુવાને કારસેવા કરી હતી !
બોસે રજા મંજૂર કરવાની ના પાડી હોવા છતાં નોકરીની પરવા કર્યા વગર ગાંધીનગર માહિતી ખાતાના સીનિયર ક્લાર્ક અને ત્યારબાદ ચીફ ઑફિસર તરીકે નિવૃત થયેલા સરદારપુરાના અસરકારક "સરદાર" એવા પાંચાભાઈ વાલાભાઈ માળીએ પણ બાબરી ધ્વંસ અર્થાત રામ મંદિર માટે યથાશક્તિ કારસેવા કરી હતી. તેમના કપાળમાં અન્ય કારસેવકનું ત્રિકમ વાગ્યું હતું અને યાદગીરી સ્વરૂપે તેઓ ત્યાંથી એક લોખંડનો ખીલો લેતા આવ્યા હતા ! હવે બાબરી મસ્જિદ નથી એટલે એ બહાને એ મુદ્દા પર રાજનીતિ નહિ થાય અને હકીકત હોય તે સૌકોઈએ સ્વેચ્છાએ સ્વીકારી લેવી જોઈએ એમ સાહેબનું માનવું છે !
નોંધ : બોસ મુસ્લિમ હોવા છતાં પણ કટ્ટર ન હતા તેથી પહેલાં રજા મંજૂર કરવાની ના પાડી હતી પણ આખરે ઉદાર દિલથી રજા મંજૂર કરી દીધી હતી...
ઐતિહાસિક દિન 22/1/2024 ને મૂર્ત સ્વરૂપ આપવા માટે ઇતિહાસમાં વર્ષ ૧૯૯૨ ના ૬ ડિસેમ્બર ના રોજ બાબરી મસ્જિદ નો ઢાચો તોડવામાં જે હિન્દુ શૂરવીરો અયોધ્યા ગયાં હતાં. એમાંના એક માળી સમાજનો મર્દ પણ હતો. સરદારપુરા ના સુરવીર શ્રી પાંચાભાઈ માળી કારસેવકોએ જે અયોધ્યામાં પરાક્રમ બતાવ્યું હતું તે આખી દુનિયા નિહાળતી હતી ધન્ય છે આવા કારસેવક માળી સમાજના પનોતા પુત્રને. આખા ભારતવર્ષની અંદર સરદારપુરા ગામનું, માળી સમાજનું ગર્વ વધારવાનું કામ કર્યું એવા સનાતન ધર્મમાં આસ્થા રાખતા રામભક્ત પાંચાભાઇ વી. માળી ને ખૂબ ખૂબ અભિનંદન.
આજે ઈતિહાસના એક મહાન સંઘર્ષ નો અંત આવવાની સાથે એક નવા સંઘર્ષ ની શરુઆત પણ થઈ છે "મહાન ભારતનું નિર્માણ", "વિશ્વ ગુરુનું નિર્માણ". ભારત પોતાના રાષ્ટ્રની સમસ્યાઓનું સમાધાન કરવાની સાથે વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે.
#જયશ્રીરામ