बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर

  • Home
  • India
  • Dahod
  • बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर

बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर, Social service, ऊसरवाण रोड़ दाहोद ( कामचलाऊ कार्यालय जोहार नगर दाहोद ), Dahod.

Ramesh Damor Jasvantsinh Bhabhor Maheshbhai Bhuriya Rameshbhai katara Krushnaraj Bhuriya Raghubhai Machhar Sheetal Vaghe...
26/08/2025

Ramesh Damor Jasvantsinh Bhabhor Maheshbhai Bhuriya Rameshbhai katara Krushnaraj Bhuriya Raghubhai Machhar Sheetal Vaghela Pargi Pravin DrChintan Taviad Adv Krishna Charel Drkuberdindor Chetana Bamania Rathava Narendra Modi Raju Valvai @

આજરોજ બિરસા મુંડા ભવન   દાહોદ ખાતે, મળેલ, નવનિયુક્ત સરપંચશ્રીઓ નું સમાજ તરફ થી સ્વાગત અને સન્માન તથા માસિક મિટિંગ નું ખુ...
27/07/2025

આજરોજ બિરસા મુંડા ભવન દાહોદ ખાતે, મળેલ, નવનિયુક્ત સરપંચશ્રીઓ નું સમાજ તરફ થી સ્વાગત અને સન્માન તથા માસિક મિટિંગ નું ખુબ સરસ આયોજન થયું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર એસ નિનામા સાહેબ, ડો કે આર ડામોર સાહેબ, શ્રી બી બી વહોનિયા સાહેબ, શ્રી શીતલબેન વાઘેલા મેડમ,શ્રી ગરોડ સાહેબ તથા ટ્રસ્ટ મંત્રી શ્રી સિ આર સંગાડા સાહેબ, ટ્રસ્ટી મંડળ ના સભ્યોશ્રી , મેનેજમેન્ટ ટિમ ના સભ્યો શ્રી તથા સૌ સમાજ ના વડીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,,
મિટિંગ માં નવીન સરપંચ શ્રીઓ નું સાલ અને બુકે થી સ્વાગત કરવા માં આવ્યું,l સાથે સાથે સમાજ ના વિકાસ માં સૌથી મોટો ફાળો સરપંચશ્રીઓ નો હોય છે એ બાબત નું આહવાન કરવા માં આવ્યું, સરપંચ શ્રીઓ એ તેઓ ના વિચારો રજુ કર્યા અને સમાજ ના વિકાસ માટે ભાગીદારી કરીશું એવી બહેદારી આપી,
ખોટા આદિવાસી સર્ટિફિકેટ નો મુદ્દો ખુબ વિસ્તૃત રીતે ચર્ચાવા માં આવ્યો, પાયા થી લઈને સમજણ આપવા માં આવી, એક ખોટા સર્ટિફિકેટ વાળો વ્યક્તિ જો આપણા ને આટલુ મોટુ નુકસાન કરી શકે તો આ તો હજારો બોગસ આદિવાસી સર્ટિફિકેટ છે, તમામ ની સામે લડત આપવા ની ચાલુ છે અને વધારે તાકાત થી લડત ચલાવીશું, ઘણા ખોટા આદિવાસી સર્ટિફિકેટ વાળા ઓ એ નોકરી અને પોતાની કારકિર્દી ગુમાવી છે અને હવે તો સોશ્યિલ મીડિયા નો સમય છે આસાની થી ખોટા ને ઓળખી શકાય છે,
સાથે સાથે શિક્ષણ અને સમાજ ના અન્ય પ્રશ્નો ની ચર્ચા કરવા માં આવી.
સૌએ સાથે મળી ભોજન કર્યું અને મિટિંગ ની પુર્ણાહુતી કરવા માં આવી 🙏🙏

Jasvantsinh Bhabhor Narendra Modi Drkuberdindor Maheshbhai Bhuriya Rameshbhai katara Krushnaraj Bhuriya Raghubhai Machhar DrChintan Taviad Ramesh Damor Krishna Charel Chetana Bamania Rathava Dr Mohan Yadav Raju Valvai

શોકસભા/ શ્રધ્ધાંજલિ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદના અધ્યક્ષ અને મેનેજીંગ ટ્રસ્ટી સ્વ.શ્રી વી એમ પારગી તા.૦૪/૦૧/૨૦...
11/01/2025

શોકસભા/ શ્રધ્ધાંજલિ

બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદના અધ્યક્ષ અને મેનેજીંગ ટ્રસ્ટી સ્વ.શ્રી વી એમ પારગી તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ દેવલોક પામ્યા છે,આદિવાસી સમાજના ઉમદા,નિષ્ઠાવાન,પ્રામાણિક આગેવાન હતા,નિવૃત્તિ પછી તેમના સાંનિધ્યમાં સમાજના ઘણા કામો થયા, તેમની વિદાય વસમી છે,તેમના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શોકસભા(પ્રાર્થનાસભા),શ્રધ્ધાંજલિ કાર્યક્રમ તા.૧૨/૦૧/૨૦૨૫ ના રવિવારે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન બિરસા મુંડા સમાજ ભવન દાહોદ ખાતે રાખવામાં આવેલ છે જેમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે.
લિ.બિરસા મુંડા સમાજ ભવન દાહોદ

*નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક શ્રી વી.એમ.પારગી (IPS) સાહેબના અવસાનથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમા...
04/01/2025

*નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક શ્રી વી.એમ.પારગી (IPS) સાહેબના અવસાનથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી.*

નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી વી.એમ.પારગી (IPS) સાહેબનું અઢી મહિના જેટલી લાંબી બિમારી બાદ 65 વર્ષની વયે આજ રોજ તારીખ 04/01/2025 ના રોજ દુઃખદ અવસાન થવાથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. સૌ સમાજ જનો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
શ્રી વી.એમ.પારગી (IPS) સર, અધિક રાજ્ય પોલીસ વડા તરીકેના પદ પરથી નિવૃત્ત થયા પછી પણ ખૂબ જ પ્રવૃત રહ્યા હતા. તેઓનું બહોળુ જ્ઞાન, બહોળુ વાંચન, બહોળો અનુભવ, ઉજ્જવળ કારકિર્દી, ઉજ્જવળ કાર્યો, વિરલ અને વિરાટ વ્યક્તિત્વ સમાજના વિદ્યાર્થીઓ, યુવાઓ, વાલીઓ અને સમાજજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે હેતુસર તેઓએ ગાંધીનગર ખાતે આશાવલ સિવિલ સર્વિસીસ એકેડમીની સ્થાપના કરી હતી.દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજ માટે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદ બનાવવા માટેની નિર્માણ સમિતિના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓના માર્ગદર્શન હેઠળ ભવનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતુ. અને તારીખ 17/04/2022 ના રોજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

તેઓનું પૂરું નામ શ્રી વેચાતભાઈ મોતીભાઈ પારગી છે. તેઓનો જન્મ તારીખ 01/06/1959 ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે થયો હતો. તેઓએ ધોરણ 1 અને 2 પ્રાથમિક શાળા ખેડાપા, ધોરણ 3 થી 7 વરુણા આશ્રમશાળા, ધોરણ 8 થી 12 એમ.વાય. હાઇસ્કુલ દાહોદથી પૂર્ણ કર્યુ હતુ.
B.E. ( electronics and communication) નો અભ્યાસ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો.
વર્ષ 1983માં તેઓએ નેશનલ ફરટીલાઈઝર્સ લીમીટેડ, નંગલ, પંજાબથી ઈજનેર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1984 થી 1986 સુધી ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રાયબરેલી, ઉત્તરપ્રદેશમાં ઈજનેર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1987થી 1988 સુધી ધી ઇન્ડિયન રેલવેઝમાં ટેલીકોમ ઈજનેર તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 1988માં UPSC પરીક્ષા ઉત્તીર્ણ થઇ IPS થયા હતા. મસૂરી, હૈદરાબાદ, પોરબંદર અને જૂનાગઢ ખાતે તાલીમ લીધી હતી. તાલીમ પૂર્ણ કર્યા બાદ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે લુણાવાડા અને પોરબંદર ખાતે ફરજ બજાવી હતી.
વર્ષ 1992 થી જિલ્લા પોલીસ વડા તરીકે રાજકોટ, વલસાડ અને સુરત જિલ્લામાં ફરજ બજાવી હતી. SRPF ગૃપ 8 ના કમાન્ડન્ટ તરીકે ગોંડલ ખાતે ફરજ બજાવી હતી. ગુજરાતના મહામહીમ રાજ્યપાલના ADC તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 2005 માં DIGP તરીકે પ્રમોશન મળ્યું હતુ. અને એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ તરીકે વડોદરા શહેર અને સુરત શહેર ખાતે ફરજ બજાવી હતી.

વર્ષ 2007 માં ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પ્રમોશન મળ્યુ હતુ. અને જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે સુરત અને આર્મંડ યુનિટ ગાંધીનગર, CEO - Gujarat state Disaster Management Authority, ગાંધીનગર ખાતે ફરજ બજાવી હતી.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બોર્ડર રેંજ, ભુજ ( કચ્છ, પાટણ, બનાસકાંઠા) ખાતે ફરજ બજાવી હતી.
વર્ષ 2015માં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પ્રમોશન મળ્યું હતુ. સ્પેશ્યલ કમિશ્નર ઑફ પોલીસ, સુરત સિટી, ADGP (reforms), ADGP (enquiry), ADGP (technical services and SCRB, ગુજરાત રાજ્ય) તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 2004 માં તેઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે પોલીસ મેડલ મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું.

વર્ષ 2014માં વિશિષ્ટ સેવા બદલ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે રાષ્ટ્રપ્રમુખ પોલીસ મેડલ મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયુ હતુ.
તેઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બિરસા મુંડા સમાજ ભવન દાહોદ દ્વારા લગ્ન પ્રસંગોમાં દહેજ, ડીજે, દારૂ નાબુદી અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જયપાલસિંહ મુંડા ખેલ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કારકિર્દી માર્ગદર્શન સેમીનારો યોજવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગો ચલાવવામાં આવ્યા હતા. ભીલ સમાજ પંચની રચના કરવામાં આવી હતી. અલગ અલગ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝને બોલાવીને નોકરી વાંચ્છુ ઉમેદવારો માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. સમાજના વડીલ બુઝુર્ગ સમાજ સેવકોનું આદિવાસી સમાજ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જુદા જુદા વિષય અને ક્ષેત્રોના તજજ્ઞોના વ્યાખ્યાન અને પરિસંવાદ યોજવામાં આવ્યા હતા. સમૂહ લગ્નો યોજવામાં આવ્યા હતા. સામાજિક પ્રસંગોમાં બિન જરૂરી ખર્ચો ઓછો થાય, કુરિવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય,ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની જાગૃતિ ઊભી થાય તે હેતુસર દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પ્રચાર રથ ફેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ તેઓના નેતૃત્વમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેઓના નિધનથી આદિવાસી સમુદાયે અણમોલ રતન ગુમાવ્યું છે.

અત્યંત દુઃખ સાથે
હાર્દિક શ્રદ્ધાંજલિ.
અંતિમ જોહાર.
ૐ શાંતિ શાંતિ શાંતિ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏

Narendra Modi Jasvantsinh Bhabhor Maheshbhai Bhuriya Rameshbhai katara Shaileshbhai Bhabhor Mla Limkheda Sheetal Vaghela Raghubhai Machhar DrChintan Taviad Chetana Bamania Rathava Dr Mohan Yadav Krushnaraj Bhuriya Ramesh Damor Raju Valvai Pargi Pravin बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर Ashawal Civil Services Academy Krishna Charel Drkuberdindor

લિ.
પ્રા.ડૉ.હરિપ્રસાદ એન.કામોલ.

નમસ્કાર.. જોહાર..   આનંદની અનુભૂતિ સાથે જણાવવા નું કે વિક્રમ સંવત 2081 નૂતન વર્ષની શુભ કામનાઓ..!સમાજ ના પદાધિકારીઓ, અધિક...
09/11/2024

નમસ્કાર..
જોહાર..
આનંદની અનુભૂતિ સાથે જણાવવા નું કે વિક્રમ સંવત 2081 નૂતન વર્ષની શુભ કામનાઓ..!
સમાજ ના પદાધિકારીઓ, અધિકારી ગણ,સામાજિક આગેવાનો,સમાજ ચિંતક યુવાનો, માતાઓ, બહેનો ની પ્રેરક ઉપસ્થિતિ મા "સ્નેહ મિલન "તથા "સમાજ ગોષ્ઠી" કાર્યક્રમ યોજવા મા આવેલ છે જેમાં આપને સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ છે..🙏🏻

સ્થળ:-બિરસા મુંડા ભવન ઉસરવાણ,દાહોદ
તારીખ.10 નવેમ્બર 2024
સમય- સવારે 9:30 કલાકે

*નિમંત્રક*
બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ તથા
બિરસા મેનેજમેન્ટ ટિમ,દાહોદ

Jasvantsinh Bhabhor Shaileshbhai Bhabhor Mla Limkheda Maheshbhai Bhuriya Rameshbhai katara Krushnaraj Bhuriya Raju Valvai Sheetal Vaghela Ramesh Damor Krishna Charel Chetana Bamania Rathava Raghubhai Machhar DrChintan Taviad Narendra Modi Pargi Pravin Drkuberdindor Dr Mohan Yadav Ashawal Civil Services Academy बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ, દારુ, ડીજે અને ઊંચ...
27/10/2024

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ, દારુ, ડીજે અને ઊંચા વ્યાજનું દેવું દૂર કરવાના અભિયાન દરમિયાન સમાજને ભીલ સમાજ પંચની જરૂરિયાત વર્તાઈ હતી. તેથી ત્રણેય જિલ્લાના ભીલ સમાજના આગેવાનોએ સાથે મળીને ભીલ સમાજ પંચની રચના કરવા માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ મુસદ્દો આજ તા.૨૭. ૧૦.૨૦૨૪ ના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે મળેલી ત્રણેય જીલ્લા ના આગેવાનો ની મિટિંગમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો અને સૌએ તેનો સ્વીકાર કર્યો હતો. ભીલ સમાજ પંચના બંધારણ મુજબ તેના અધ્યક્ષ તરીકે માનનીય મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોડ સાહેબ તથા ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા.ભીલ સેવા મંડળના અધ્યક્ષ શ્રી શાંતિલાલ નિનામા ગુરુજી, સમાજના આઈએએસ અધિકારી શ્રી આર.એસ નીનામા સાહેબ,દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરતાનભાઇ કટારા સાહેબ શ્રી અભિષેક ભાઈ મેડા સાહેબ, નિવૃત્ત અધિક કલેકટર શ્રી એસ એસ બારીયા સાહેબ, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના ઉપ પ્રમુખશ્રી ડો. અનિલ બારીયા સાહેબ, શ્રી રાવજી ભાઈ માવી સાહેબ સહિત ત્રણે જિલ્લાના ભીલ સમાજના અનેક આગેવાનો આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. ભીલ સમાજની રચના થયા પછી તરત જ આજની પ્રથમ મીટીંગમાં જ ભીલ સમાજ પંચનું લગ્ન બંધારણ મંજૂર કરીને સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા તાલુકા ભીલપંચો, 12- ગામ ભીલ પંચો, ગામ ભીલપંચો અને ફળિયા ભીલ પંચોની રચના અને ગઠન કરવા માટે પણ ઠરાવવામાં આવ્યું હતું. ભીલ સમાજ પંચ ની મીટીંગો દર મહિને મળશે અને સમાજને લગતા તમામ મુદ્દાઓ પર દર મહિને વિચાર વિમર્શ કરીને જરૂરી નિર્ણયો તેમજ કાર્યવાહી કરવામાં આવશે. ભીલ સમાજ પંચની રચના થવાથી ભીલ સમાજ ને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તથા સમાજની ઝડપી પ્રગતિ થશે તેવો આશાવાદ સૌ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયને એક ઐતિહાસિક કાર્ય લેખાવ્યો હતો.

Drkuberdindor Jasvantsinh Bhabhor Rameshbhai katara Maheshbhai Bhuriya Krushnaraj Bhuriya Ramesh Damor Raju Valvai Sheetal Vaghela Shaileshbhai Bhabhor Mla Limkheda Raghubhai Machhar Pargi Pravin Narendra Modi Chetana Bamania Rathava Krishna Charel बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर Ashawal Civil Services Academy DrChintan Taviad Dr Mohan Yadav

સમાજના આગેવાનો સાથે ભીલ સમાજ પંચ ની રચના તથા ભીલ સમાજ નું લગ્ન બંધારણ મંજૂર કરવા માટે ની ઉપરોક્ત મિટિંગ માં ઉપસ્થિત રહેવ...
24/10/2024

સમાજના આગેવાનો સાથે ભીલ સમાજ પંચ ની રચના તથા ભીલ સમાજ નું લગ્ન બંધારણ મંજૂર કરવા માટે ની ઉપરોક્ત મિટિંગ માં ઉપસ્થિત રહેવા માટે સૌને વિનંતી છે. લગ્ન બંધારણ બાબતે સોશિયલ મીડિયા પર પણ સૂચનો મંતવ્યો રજૂ કરવા સૌને વિનંતી છે.🙏🙏🙏

Jasvantsinh Bhabhor Ramesh Damor Rameshbhai katara Chetana Bamania Rathava Krushnaraj Bhuriya Maheshbhai Bhuriya Shaileshbhai Bhabhor Mla Limkheda Raju Valvai Sheetal Vaghela Krishna Charel Geeta Bhuriya Mukesh Mukeshbhai Bamniya

12/10/2024
આજરોજ તારીખ 28/09/2024 શનિવારના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ગ્રંથાલય નિયામક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા *"એ...
28/09/2024

આજરોજ તારીખ 28/09/2024 શનિવારના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ગ્રંથાલય નિયામક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા *"એક દિવસીય ગ્રંથાલય સેમિનાર"* નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં વિશાળ સંખ્યામાંમાં વિદ્યાર્થીઓ તથા વડીલો/આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ.🙏🙏
27/09/2024

સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ.🙏🙏

કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ ,દાહોદ શ્રી યોગેશ નિર્ગુડે ( IAS ) સાહેબ , ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી દાહોદ,એન.બી....
27/09/2024

કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ ,દાહોદ શ્રી યોગેશ નિર્ગુડે ( IAS ) સાહેબ , ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી દાહોદ,એન.બી.રાજપૂત મેડમ તથા મામલતદાર,દાહોદ શ્રી એમ.કે.મિશ્રા સાહેબનાઓ દ્વારા આજ રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન,દાહોદની મુલાકાત લેવામાં આવી.💐💐🙏🙏

Address

ऊसरवाण रोड़ दाहोद ( कामचलाऊ कार्यालय जोहार नगर दाहोद )
Dahod
389151

Telephone

+916353392922

Website

Alerts

Be the first to know and let us send you an email when बिरसा मुंडा भवन दाहोद , पंचमहाल , महिसागर posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category