Info Kutch GoG

Info Kutch GoG page of district information office, Kutch, Government of Gujarat

પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરાયા ૦૦૦૦૦૦રાજ...
02/06/2026

પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરાયા
૦૦૦૦૦૦
રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા તથા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ૭ પંચાયતોને પ્રોત્સાહિત કરાઇ
૦૦૦૦૦

માહિતી બ્યૂરો, ભુજ

ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, યોજનાનું માળખું સુદ્રઢ બને, પાણી વેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે. જે હેઠળ તાજેતરમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા તથા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પંચાયતોને પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ યોજના ૦ % થી ૩૦ % સુધી પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની પંચાયતોને જ લાગુ પડે છે. આ ગામોમાં E-ગ્રામ પોર્ટલ મુજબ ઉઘરાવેલ પાણી વેરાની ખરાઈ કર્યા બાદ પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક યોજનાની રકમ ફાળવવામાં આવે છે. યોજનાના માપદંડ મુજબ પાણી વેરાની થયેલ વસૂલાત કુલ માંગણાના ૫૦ % કરતાં વધુ હોવી જોઇએ. ગ્રામ પંચાયતને મહત્તમ રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની મર્યાદામાં પ્રોત્સાહન રકમ મળવા પાત્ર છે. ઉપરાંત નાણાંકીય વર્ષ દરમિયાન જેટલા ઘરોમાંથી પાણી વેરા વસૂલાત થયેલી હોય તે માટે ગ્રામ પંચાયતના VCEને ડેટા એન્ટ્રી થયેલ પ્રતિ ઘર લેખે રૂ. ૭/- પ્રોત્સાહન મળવાપાત્ર રહે છે. છે.
પાણી વેરા પ્રોત્સાહન યોજનાના પ્રારંભિક વર્ષ ૨૦૨૪-૨૫માં કચ્છ જિલ્લા પંચાયત કચેરીએથી દરખાસ્ત થયેલ અને મંજૂર થયેલ કુલ ૪૨ જેટલી ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૨૬.૧૦ લાખની પ્રોત્સાહક રકમ તેમજ ગ્રામ પંચાયતના VCE મારફતે સહયોગ / કરેલ કામગીરી માટે વેરો ઉઘરાવાયેલ પ્રતિ ઘર દીઠ રૂ. ૭/- લેખે કચ્છ જિલ્લાના કુલ ૨૨૪ જેટલા VCEને કુલ રૂ. ૧૦.૦૫ લાખ જેટલી પ્રોત્સાહન રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવેલ છે.
ઉપરોક્ત ૪૨ પૈકી ૦૭ જેટલી ગ્રામ પંચાયતોને ભુજ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ત્રિકમ છાંગા, પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાણી વેરા વસૂલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશાસહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦% વેરા વસૂલાત કરનાર રાપર તાલુકાની શાણપર, ૫૦% વેરા વસૂલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર, નાગોર, નખત્રાણા તાલુકાની નેત્રા, માંડવી તાલુકાની ગૂંદીયાળી, લખપત તાલુકાની જુણાગીયા, ભચાઉ તાલુકાની ઘરાણા ગ્રામ પંચાયતોને સન્માનિત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગામોમાં પાણી વેરા વસૂલાત ખૂબ જ ઓછી છે તે ગામો માટે આ પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો અન્ય પાણી સમિતિઓ / ગ્રામ પંચાયતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

23/05/2026

*कच्छ से देश की राजधानी दिल्ली के लिए नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ*

*माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव एवं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से दिखाई हरी झंडी*

रेल यात्रियों की सुविधा को सर्वोपरि रखते हुए तथा कच्छ क्षेत्र को देश की राजधानी दिल्ली से सीधे एवं बेहतर रेल संपर्क प्रदान करने की दिशा में एक महत्वपूर्ण कदम के रूप में आज दिनांक 22 मई, 2026 को भुज एवं दिल्ली के बीच नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ किया गया। गाड़ी संख्या 19403/19404 भुज–दिल्ली–भुज एक्सप्रेस का उद्घाटन माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव एवं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल द्वारा वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हरी झंडी दिखाकर किया गया।

इस अवसर पर माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव ने कहा कि आज़ादी के बाद से भुज–जालोर–पाली क्षेत्र को दिल्ली के साथ सीधी रेल कनेक्टिविटी देने का सपना आज साकार हुआ है। उन्होंने बताया कि देशभर में 1300 रेलवे स्टेशनों का पुनर्विकास किया जा रहा है। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी द्वारा रेलवे के लिए रिकॉर्ड बजट आवंटित किया गया है, जिसके अंतर्गत गुजरात में 4600 करोड़ रुपये के निवेश से 85 स्टेशनों का विकास किया जा रहा है, जिनमें से 15 स्टेशनों का कार्य पूर्ण हो चुका है। इसके अतिरिक्त 24 गतिशक्ति कार्गो टर्मिनलों का निर्माण किया जा रहा है तथा 14,000 करोड़ रुपये के निवेश से डेडिकेटेड फ्रेट कॉरीडोर का कार्य भी पूरा हो चुका है। उन्होंने बताया कि तारंगा हिल–अंबाजी रेल लाइन का कार्य भी तीव्र गति से प्रगति पर है तथा इसका पहला खंड दिसंबर माह में प्रारंभ किया जाएगा।

उन्होंने कहा कि वर्तमान में भुज–बरेली साप्ताहिक ट्रेन सेवा संचालित की जा रही है, जिसमें लगभग 80 प्रतिशत यात्री बरेली एवं उत्तर भारत क्षेत्र के होते हैं। नई भुज–दिल्ली एक्सप्रेस के प्रतिदिन संचालन से यात्रियों को अधिक सुविधाजनक, नियमित एवं बेहतर रेल सेवा उपलब्ध होगी।

माननीय रेल मंत्री ने आगे कहा कि नई भुज–दिल्ली एक्सप्रेस से गुजरात के 6 शहरों तथा अन्य 19 शहरों को दिल्ली से सीधी रेल कनेक्टिविटी प्राप्त होगी। इस ट्रेन सेवा से विद्यार्थियों, श्रमिकों, हस्तशिल्प उद्योग से जुड़े कारीगरों, व्यापारियों, उद्योग जगत एवं किसानों को विशेष लाभ मिलेगा। उन्होंने कहा कि रणोत्सव के दौरान दिल्ली एवं उत्तर भारत के यात्रियों को कच्छ आने के लिए प्रतिदिन सीधी ट्रेन सुविधा उपलब्ध रहेगी, जिससे पर्यटन को भी बढ़ावा मिलेगा।

इस अवसर पर गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने कहा कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में पिछले 12 वर्षों में भारतीय रेल का अभूतपूर्व कायाकल्प हुआ है। उन्होंने बताया कि हाल ही में अहमदाबाद–धोलेरा सेमी हाई स्पीड रेल परियोजना की सौगात भी गुजरात को मिली है। उन्होंने कहा कि ‘मेक इन इंडिया’ के अंतर्गत निर्मित वंदे भारत एवं नमो भारत रैपिड रेल जैसी आधुनिक ट्रेनों ने न केवल यात्रियों को बेहतर सुविधा प्रदान की है, बल्कि देश के विकास को भी नई गति दी है।

मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने कहा कि देश की पहली बुलेट ट्रेन परियोजना मुंबई–अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर का कार्य गुजरात में तीव्र गति से चल रहा है तथा 508 किलोमीटर लंबी परियोजना में से 348 किलोमीटर का निर्माण गुजरात में हो रहा है। उन्होंने बताया कि वर्ष 2026 के बजट में गुजरात को रिकॉर्ड 17,366 करोड़ रुपये का आवंटन प्राप्त हुआ है, जो वर्ष 2014 की तुलना में लगभग 29 गुना अधिक है। वर्तमान में गुजरात राज्य में 1,28,748 करोड़ रुपये लागत की विभिन्न रेल परियोजनाओं पर कार्य प्रगति पर है। उन्होंने आगे कहा कि पिछले 12 वर्षों में गुजरात के सभी रेलवे मार्गों का 100% विद्युतीकरण किया गया है।

इस अवसर पर भुज स्टेशन पर आयोजित कार्यक्रम में श्री त्रिकमभाई छांगा, माननीय उच्च एवं तकनीकी शिक्षा राज्य मंत्री, गुजरात सरकार एवं माननीय विधायक – अंजार, माननीय सांसद (कच्छ) श्री विनोद एल. चावड़ा, माननीय विधायक (भुज) श्री केशुभाई शिवदास पटेल, श्री प्रद्युम्नसिंह जाडेजा, माननीय विधायक – अबडासा, पश्चिम रेलवे के महाप्रबंधक श्री रामाश्रय पाण्डेय, मंडल रेल प्रबंधक अहमदाबाद श्री वेद प्रकाश सहित रेलवे के वरिष्ठ अधिकारीगण एवं अन्य गणमान्य अतिथि उपस्थित रहे।

नई दैनिक ट्रेन सेवा के शुभारंभ से कच्छ क्षेत्र के यात्रियों को दिल्ली के लिए सीधी रेल सुविधा उपलब्ध हो गई है। यह ट्रेन गुजरात एवं राजस्थान के विभिन्न महत्वपूर्ण शहरों एवं स्टेशनों को जोड़ते हुए यात्रियों को सुरक्षित, सुगम एवं आरामदायक यात्रा सुविधा प्रदान करेगी।

*गाड़ी संख्या 19403/19404 भुज–दिल्ली–भुज एक्सप्रेस*

गाड़ी संख्या 19403 भुज–दिल्ली एक्सप्रेस 23 मई 2026 से प्रतिदिन भुज से 11:15 बजे प्रस्थान कर अगले दिन 11:45 बजे दिल्ली पहुंचेगी।
इसी प्रकार, गाड़ी संख्या 19404 दिल्ली–भुज एक्सप्रेस 24 मई 2026 से प्रतिदिन दिल्ली से 16:40 बजे प्रस्थान कर अगले दिन 19:35 बजे भुज पहुंचेगी।

*मार्ग में प्रमुख ठहराव*

यह ट्रेन दोनों दिशाओं में अंजार, गांधीधाम, भचाऊ, भीलड़ी, धानेरा, रानीवाड़ा, मारवाड़ भीनमाल, मोदरान, जालोर, मोकलसर, समदड़ी, लूणी, पाली मारवाड़, मारवाड़ जंक्शन, ब्यावर, अजमेर, किशनगढ़, जयपुर, गांधी नगर-जयपुर, बांदीकुई, अलवर एवं रेवाड़ी स्टेशनों पर ठहरेगी।

इस ट्रेन में 2-टियर एसी, 3-टियर एसी, स्लीपर एवं सामान्य श्रेणी के कोच उपलब्ध रहेंगे।

इस अवसर पर स्थानीय नागरिकों एवं जनप्रतिनिधियों द्वारा भुज से हरिद्वार के लिए सीधी ट्रेन सेवा प्रारंभ करने की मांग भी रखी गई, जिस पर पश्चिम रेलवे के महाप्रबंधक श्री रामाश्रय पाण्डेय ने सकारात्मक विचार करने एवं आवश्यक प्रक्रिया आगे बढ़ाने का आश्वासन दिया।

*यह नई रेल सेवा कच्छ क्षेत्र के सामाजिक, आर्थिक एवं सांस्कृतिक विकास में महत्वपूर्ण भूमिका निभाएगी।*
*****

*कच्छ से देश की राजधानी दिल्ली के लिए नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ**माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव एव...
23/05/2026

*कच्छ से देश की राजधानी दिल्ली के लिए नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ*

*माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव एवं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से दिखाई हरी झंडी*

रेल यात्रियों की सुविधा को सर्वोपरि रखते हुए तथा कच्छ क्षेत्र को देश की राजधानी दिल्ली से सीधे एवं बेहतर रेल संपर्क प्रदान करने की दिशा में एक महत्वपूर्ण कदम के रूप में आज दिनांक 22 मई, 2026 को भुज एवं दिल्ली के बीच नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ किया गया। गाड़ी संख्या 19403/19404 भुज–दिल्ली–भुज एक्सप्रेस का उद्घाटन माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव एवं गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल द्वारा वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हरी झंडी दिखाकर किया गया।

इस अवसर पर माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव ने कहा कि आज़ादी के बाद से भुज–जालोर–पाली क्षेत्र को दिल्ली के साथ सीधी रेल कनेक्टिविटी देने का सपना आज साकार हुआ है। उन्होंने बताया कि देशभर में 1300 रेलवे स्टेशनों का पुनर्विकास किया जा रहा है। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी द्वारा रेलवे के लिए रिकॉर्ड बजट आवंटित किया गया है, जिसके अंतर्गत गुजरात में 4600 करोड़ रुपये के निवेश से 85 स्टेशनों का विकास किया जा रहा है, जिनमें से 15 स्टेशनों का कार्य पूर्ण हो चुका है। इसके अतिरिक्त 24 गतिशक्ति कार्गो टर्मिनलों का निर्माण किया जा रहा है तथा 14,000 करोड़ रुपये के निवेश से डेडिकेटेड फ्रेट कॉरीडोर का कार्य भी पूरा हो चुका है। उन्होंने बताया कि तारंगा हिल–अंबाजी रेल लाइन का कार्य भी तीव्र गति से प्रगति पर है तथा इसका पहला खंड दिसंबर माह में प्रारंभ किया जाएगा।

उन्होंने कहा कि वर्तमान में भुज–बरेली साप्ताहिक ट्रेन सेवा संचालित की जा रही है, जिसमें लगभग 80 प्रतिशत यात्री बरेली एवं उत्तर भारत क्षेत्र के होते हैं। नई भुज–दिल्ली एक्सप्रेस के प्रतिदिन संचालन से यात्रियों को अधिक सुविधाजनक, नियमित एवं बेहतर रेल सेवा उपलब्ध होगी।

माननीय रेल मंत्री ने आगे कहा कि नई भुज–दिल्ली एक्सप्रेस से गुजरात के 6 शहरों तथा अन्य 19 शहरों को दिल्ली से सीधी रेल कनेक्टिविटी प्राप्त होगी। इस ट्रेन सेवा से विद्यार्थियों, श्रमिकों, हस्तशिल्प उद्योग से जुड़े कारीगरों, व्यापारियों, उद्योग जगत एवं किसानों को विशेष लाभ मिलेगा। उन्होंने कहा कि रणोत्सव के दौरान दिल्ली एवं उत्तर भारत के यात्रियों को कच्छ आने के लिए प्रतिदिन सीधी ट्रेन सुविधा उपलब्ध रहेगी, जिससे पर्यटन को भी बढ़ावा मिलेगा।

इस अवसर पर गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने कहा कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में पिछले 12 वर्षों में भारतीय रेल का अभूतपूर्व कायाकल्प हुआ है। उन्होंने बताया कि हाल ही में अहमदाबाद–धोलेरा सेमी हाई स्पीड रेल परियोजना की सौगात भी गुजरात को मिली है। उन्होंने कहा कि ‘मेक इन इंडिया’ के अंतर्गत निर्मित वंदे भारत एवं नमो भारत रैपिड रेल जैसी आधुनिक ट्रेनों ने न केवल यात्रियों को बेहतर सुविधा प्रदान की है, बल्कि देश के विकास को भी नई गति दी है।

मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने कहा कि देश की पहली बुलेट ट्रेन परियोजना मुंबई–अहमदाबाद हाई स्पीड रेल कॉरिडोर का कार्य गुजरात में तीव्र गति से चल रहा है तथा 508 किलोमीटर लंबी परियोजना में से 348 किलोमीटर का निर्माण गुजरात में हो रहा है। उन्होंने बताया कि वर्ष 2026 के बजट में गुजरात को रिकॉर्ड 17,366 करोड़ रुपये का आवंटन प्राप्त हुआ है, जो वर्ष 2014 की तुलना में लगभग 29 गुना अधिक है। वर्तमान में गुजरात राज्य में 1,28,748 करोड़ रुपये लागत की विभिन्न रेल परियोजनाओं पर कार्य प्रगति पर है। उन्होंने आगे कहा कि पिछले 12 वर्षों में गुजरात के सभी रेलवे मार्गों का 100% विद्युतीकरण किया गया है।

इस अवसर पर भुज स्टेशन पर आयोजित कार्यक्रम में श्री त्रिकमभाई छांगा, माननीय उच्च एवं तकनीकी शिक्षा राज्य मंत्री, गुजरात सरकार एवं माननीय विधायक – अंजार, माननीय सांसद (कच्छ) श्री विनोद एल. चावड़ा, माननीय विधायक (भुज) श्री केशुभाई शिवदास पटेल, श्री प्रद्युम्नसिंह जाडेजा, माननीय विधायक – अबडासा, पश्चिम रेलवे के महाप्रबंधक श्री रामाश्रय पाण्डेय, मंडल रेल प्रबंधक अहमदाबाद श्री वेद प्रकाश सहित रेलवे के वरिष्ठ अधिकारीगण एवं अन्य गणमान्य अतिथि उपस्थित रहे।

नई दैनिक ट्रेन सेवा के शुभारंभ से कच्छ क्षेत्र के यात्रियों को दिल्ली के लिए सीधी रेल सुविधा उपलब्ध हो गई है। यह ट्रेन गुजरात एवं राजस्थान के विभिन्न महत्वपूर्ण शहरों एवं स्टेशनों को जोड़ते हुए यात्रियों को सुरक्षित, सुगम एवं आरामदायक यात्रा सुविधा प्रदान करेगी।

*गाड़ी संख्या 19403/19404 भुज–दिल्ली–भुज एक्सप्रेस*

गाड़ी संख्या 19403 भुज–दिल्ली एक्सप्रेस 23 मई 2026 से प्रतिदिन भुज से 11:15 बजे प्रस्थान कर अगले दिन 11:45 बजे दिल्ली पहुंचेगी।
इसी प्रकार, गाड़ी संख्या 19404 दिल्ली–भुज एक्सप्रेस 24 मई 2026 से प्रतिदिन दिल्ली से 16:40 बजे प्रस्थान कर अगले दिन 19:35 बजे भुज पहुंचेगी।

*मार्ग में प्रमुख ठहराव*

यह ट्रेन दोनों दिशाओं में अंजार, गांधीधाम, भचाऊ, भीलड़ी, धानेरा, रानीवाड़ा, मारवाड़ भीनमाल, मोदरान, जालोर, मोकलसर, समदड़ी, लूणी, पाली मारवाड़, मारवाड़ जंक्शन, ब्यावर, अजमेर, किशनगढ़, जयपुर, गांधी नगर-जयपुर, बांदीकुई, अलवर एवं रेवाड़ी स्टेशनों पर ठहरेगी।

इस ट्रेन में 2-टियर एसी, 3-टियर एसी, स्लीपर एवं सामान्य श्रेणी के कोच उपलब्ध रहेंगे।

इस अवसर पर स्थानीय नागरिकों एवं जनप्रतिनिधियों द्वारा भुज से हरिद्वार के लिए सीधी ट्रेन सेवा प्रारंभ करने की मांग भी रखी गई, जिस पर पश्चिम रेलवे के महाप्रबंधक श्री रामाश्रय पाण्डेय ने सकारात्मक विचार करने एवं आवश्यक प्रक्रिया आगे बढ़ाने का आश्वासन दिया।

*यह नई रेल सेवा कच्छ क्षेत्र के सामाजिक, आर्थिक एवं सांस्कृतिक विकास में महत्वपूर्ण भूमिका निभाएगी।*
*****

ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઈડ અને વન વિભાગ, કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨...
22/05/2026

ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઈડ અને વન વિભાગ, કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ
૦૦૦૦
જૈવ વિવિધતા માનવ જીવનનો અભિન્ન ભાગ: કચ્છમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો વધારવા નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
૦૦૦૦
‘સ્થાનિક સ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ (Acting Locally for Global Impact) થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી થઈ
૦૦૦૦

માહિતી બ્યૂરો, ભુજ:
ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે 'આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬' ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય "વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ" (Acting locally for global impact) રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી જૈવિક વિવિધતાના મહત્વ વિશે જાણકારી આપી હતી.

આ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષકશ્રી ડૉ. ધીરજ મિત્તલે કચ્છમાં બાયોડાયવર્સિટી દિવસની ઉજવણી થઈ રહી છે તે વાતની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો જૈવિક સંપદાઓથી સમૃદ્ધ જિલ્લો છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ એ પ્રકૃતિની કચ્છને વિશેષ દેન છે. તેઓએ નાનામાં નાના જીવની પરવા કરીને જીવસુષ્ટિનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શ્રી મિત્તલે બાયોડાયવર્સિટી દિવસની ઉજવણીની થીમ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, દુનિયામાં બાયોડાયવર્સિટીનું જતન કરવું હશે તો સ્થાનિકકક્ષાએ સંરક્ષણ પ્રયાસો થાય એ ખૂબ જ જરૂરી છે. બાયોડાયવર્સિટી દિવસની શુભેચ્છા આપીને તેઓએ સ્થાનિકલોકોને આજીવિકા પ્રાપ્ત થાય એવા પ્રોજેક્ટના અમલીકરણ માટે વનવિભાગ સતત પ્રયત્નશીલ છે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત તજજ્ઞો દ્વારા જૈવવિવિધતાને લગતા વિવિધ વિષયો પર જ્ઞાનવર્ધક વક્તવ્યો આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર બાયોડાયર્વસિટી બોર્ડના ડી.સી.એફ.શ્રી શ્રેયસ પટેલ દ્વારા 'જૈવિક વિવિધતા અધિનિયમ-૨૦૦૨', બોર્ડની વિવિધ કામગીરીઓ અને એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ માળખા વિશે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. શ્રી શ્રેયસ પટેલે બાયોડાયવર્સિટી દિવસની ઉજવણી દરમિયાન કચ્છની જૈવ વિવિધતાની મુક્તમને પ્રસંશા કરી હતી. તેઓએ બાયોડાયવર્સિટી બોર્ડની રચના, કાયદાઓ, ગ્રામજનોની બાયોડાયવર્સિટી સંરક્ષણમાં ભૂમિકા વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. સ્થાનિક લોકોને બાયડાયોવર્સિટીનું આર્થિક વળતર મળે તે રીતે ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ સાઈટનો વિકાસ કરાશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ગાઇડ સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ. જયેશ ભટ્ટ દ્વારા બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રી જયેશ ભટ્ટે ગ્રામજનોને બાયોડાયર્સિટીના ખરા સંરક્ષક ગણાવીને ગ્રામકક્ષાએ બાયોડાયવર્સિટી કમિટિનું ગઠન તેમજ યોગ્ય અમલીકરણ કરવા જણાવ્યું હતું.

પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. શ્રી હર્ષ ઠક્કરે "જૈવવિવિધતા - માનવ જીવનનો અભિન્ન ભાગ" વિષય પર વક્તવ્ય આપીને રોજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણના અમલી પગલાંઓ વિશે સવિસ્તાર વાત કરી હતી. શ્રી હર્ષ ઠક્કરે ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં નોંધાયેલા વન વિસ્તારો અને વન્યજીવોનું સંરક્ષણ એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તાર જાહેર થયો છે ત્યારે તેનું સંરક્ષણ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. તેઓએ કચ્છની વિશેષ વનસ્પિત તેમજ વન્યજીવો વિશે સૌને વિસ્તારપૂર્વક સમજણ પુરી પાડી હતી.
ગાઇડના પ્રોજેક્ટ આસિસ્ટન્ટશ્રી વિવેક ચૌહાણે કચ્છ જિલ્લામાં જોવા મળતી વૃક્ષોની વિવિધતા અંગે રસપ્રદ માહિતી ફોટોગ્રાફ સાથે આપી હતી. જ્યારે સરહદ ડેરીના મધમાખી પ્રોજેક્ટ હેડશ્રી અનિલ કે.મહેતા દ્વારા મધમાખી ઉછેરના પર્યાવરણીય અને આર્થિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને જૈવવિવિધતા સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુનેરી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી સહિત વૃક્ષોના સંરક્ષણ કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાની ભૌગોલિક, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વૈવિધ્યતાનો ખ્યાલ આપીને ગાઈડ સંસ્થાના ડીરેક્ટરશ્રી વી.વિજયકુમારે કચ્છના સંતુલિત વિકાસ માટે સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ સુશ્રી તૃપ્તિ ગોહેલ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કર, નાબાર્ડના ડીડીએમશ્રી નિરજકુમાર સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંશોધકો, વિદ્યાર્થીઓ, વનવિભાગના અધિકારીશ્રો અને કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦@

22/05/2026

*રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષશ્રી હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ*
૦૦૦૦
*સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા આયોગના ઉપાધ્યક્ષશ્રીનું સૂચન*
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :

ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષશ્રી હરદીપસિંહ ગીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ભુજ, કચ્છ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સફાઈ કામદારશ્રીઓના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલે સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક, કોન્ટ્રાક્ટ દ્વારા નિયમ પાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ 'એક્શન ટેકન રિપોર્ટ' આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમોનુસાર જિલ્લા તેમજ તાલુકાકક્ષાએ તમામ બેઠકો યોજાઈ તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

કચ્છના નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિશ્રી વિનોદ રોહિત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે. કિશ્ચિયન, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ, અખિલ કચ્છ વાલ્મિકી સમાજ તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષશ્રી રાજેશ વાઘેલા, કચ્છની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ સફાઈ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

*રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષશ્રી હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમ...
22/05/2026

*રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષશ્રી હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ*
૦૦૦૦
*સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા આયોગના ઉપાધ્યક્ષશ્રીનું સૂચન*
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :

ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષશ્રી હરદીપસિંહ ગીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ભુજ, કચ્છ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સફાઈ કામદારશ્રીઓના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલે સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક, કોન્ટ્રાક્ટ દ્વારા નિયમ પાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ 'એક્શન ટેકન રિપોર્ટ' આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમોનુસાર જિલ્લા તેમજ તાલુકાકક્ષાએ તમામ બેઠકો યોજાઈ તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

કચ્છના નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગીલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિશ્રી વિનોદ રોહિત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે. કિશ્ચિયન, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ, અખિલ કચ્છ વાલ્મિકી સમાજ તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષશ્રી રાજેશ વાઘેલા, કચ્છની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ સફાઈ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦

*કચ્છમાં ઈંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*૦૦૦૦ માહિતી બ્યૂરો, ભ...
22/05/2026

*કચ્છમાં ઈંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો અવિરત જળવાઈ રહે તે હેતુથી કચ્છ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ફિલ્ડ ઓફિસર્સ, એસ.ટી. વિભાગ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારુ વિતરણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે હાલમાં કન્ઝ્યુમર પંપ ખાતે ડીઝલના ભાવ રિટેલ પંપ કરતાં વધી ગયા છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈપણ રિટેલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલનો પુરવઠો આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત, રિટેલ પંપ ખાતે ડીઝલનો પુરવઠો જળવાઈ રહે અને બલ્ક સેક્શનના ભાવોમાં ઘટાડો કરવામાં આવે તે માટે વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારશ્રી સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આવેલા પોર્ટ પર અમુક મશીનરી સંપૂર્ણપણે ડીઝલ આધારિત જ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આવા યુનિટ્સનું લિસ્ટિંગ કરીને તેની વિગતો ઓઇલ કંપનીઓને સોંપવામાં આવી છે, જેથી ત્યાં વિના અવરોધે અને સરળતાથી પુરવઠો પહોંચાડી શકાય. ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને ઈંધણનો પુરતો જથ્થો મળી રહે તે માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. વધુમાં, જ્યાં પુરવઠો ન હોવાથી પેટ્રોલ પંપ ડ્રાય થઈ જાય છે ત્યાં દેખરેખ વધારવા માટે પુરવઠા વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે.

ખાસ કરીને ખાનગી કંપની 'નાયરા'ના પેટ્રોલ પંપ ડ્રાય થતા હોવાનું ધ્યાને આવતા વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. કચ્છના આવા ૭૪ પેટ્રોલ પંપો ખાતે વિવિધ અધિકારીશ્રીઓને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરીને સપ્લાય ચેઈન જાળવી રાખવા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે. આ સંયુક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી. પી. ચૌહાણે પણ ઉપસ્થિત રહીને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શ હાશ્મી સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, બેન્ટોનાઈટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એન્ડ કન્ટેનર એસોસિએશન, જીએસઆરટીસી સહિત વિવિધ ઔદ્યોગિક એકમો સંબંધિત સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી
૦૦૦૦

21/05/2026

*ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને વન વિભાગ -કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાશે*..............................
*ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરાયેલ ગુનેરીની ઇનલેન્ડ મેન્ગૃવના કચ્છ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે*...........................
*ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે*

*‘સ્થાનિક સ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ (Acting Locally for Global Impact) થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ ઉજવાશે*

*‘કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD’ જે વર્ષ ૧૯૯૩થી અમલમાં : ભારત સહિત આજે ૧૯૦ થી વધુ દેશો દ્વારા આ કરારનો સ્વીકાર*
............................
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શનમાં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આવતીકાલે તા. ૨૨ મે-૨૦૨૬ના રોજ કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવનાર છે.આ વર્ષે ઉજવણી માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ – ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમનું વિશેષ મહત્વ રહેલું છે. આ સ્થળ તેની અનોખી પર્યાવરણીય વિશેષતાઓને કારણે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જૈવવિવિધતાના સંરક્ષણ માટે પ્રેરણારૂપ છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે નાગરિકોની સહભાગિતાથી જૈવવિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન જૈવવિવિધતા સંરક્ષણ અંગે વિશેષ વ્યાખ્યાન, પ્રદર્શન, વૃક્ષારોપણ, જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ-BMCના સભ્યો સાથે સંવાદ યોજાશે. કાર્યક્રમમાં વિવિધ ગ્રામ્ય જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, પરંપરાગત જ્ઞાન ધરાવતા વૈદ્યો અને સ્થાનિક નાગરિકો ભાગ લેશે.
આ વર્ષ ૨૦૨૬ની થીમ ‘સ્થાનિક સ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ આપણને એ સંદેશ આપે છે કે જૈવવિવિધતાનું સંરક્ષણ માત્ર સરકારો અથવા વૈશ્વિક સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ ગામ, શહેર અને સ્થાનિક સમુદાય સ્તરે કરવામાં આવતા નાના પ્રયાસો પણ સમગ્ર વિશ્વ પર સકારાત્મક અસર કરી શકે છે. પાણી, જંગલો, જમીન, વન્યજીવો અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીને જ ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણનું નિર્માણ શક્ય બનશે.

*ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા*

ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા જૈવવિવિધતા અધિનિયમ, ૨૦૦૨ની જોગવાઈઓ મુજબ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ખાતે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ-BMCની રચના કરવામાં આવે છે. આ સમિતિઓ દ્વારા લોકોના સહભાગથી પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર-PBR તૈયાર કરવામાં આવે છે, જેમાં સ્થાનિક જૈવવિવિધતા, પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંસાધનોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. ઉપરાંત, લાભોની પ્રાપ્તિ અને વહેંચણી (ABS)ની વ્યવસ્થા દ્વારા સ્થાનિક સમુદાયોને જૈવવિવિધતાના સંરક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્યમાં જૈવવિવિધતા મહત્વ ધરાવતા વિસ્તારોને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ-BHS’ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા પણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૫માં કચ્છ જિલ્લાના ગુનેરી ખાતે આવેલ ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ને પણ BHS તરીકે જાહેર કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા રાજ્યભરમાં જૈવવિવિધતા જાગૃતિ માટે વિવિધ કાર્યશાળાઓ, તાલીમ કાર્યક્રમો, રેડિયો કાર્યક્રમો, શાળાકીય સ્પર્ધાઓ, પ્રદર્શન તેમજ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના માધ્યમથી જૈવવિવિધતાના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ અને સહભાગિતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

*‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિશે:*

જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ ૧૯૯૨માં બ્રાઝીલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી "અર્થ સમિટ" દરમિયાન "કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD" અસ્તિત્વમાં આવ્યું. જે ૨૯ ડીસેમ્બર, ૧૯૯૩થી અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે ૧૯૦ થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના ત્રણ મુખ્ય લક્ષ્યો છે: જૈવવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી. હકીકતમાં કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD ૨૯ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ અમલમાં આવી હતી પરંતુ ઘણા દેશોમાં હોલિડે આવતો હોવાથી યોગ્ય ઉજવણી કરવી મુશ્કેલ હતી. જેથી યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બ્લીએ ૨૨ મે ને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે ૨૨ મે ૧૯૯૨ના રોજ નૈરોબી ફાઈનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટને અપનાવવાની યાદમાં છે. જેથી તેના મહત્વને દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ૨૨ મેના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં જૈવવિધતાના મહત્વની જાણકારી આપવી, પ્રાકૃતિક સંસાધનોની જાળવણીનું મહત્વ સમજાવવું અને વિવિધ સ્તરે લોકો અને સંસ્થાઓને જૈવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વધુમાં, કચ્છ જિલ્લો તેની અનન્ય પર્યાવરણીય વિશેષતાઓ, સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે. કચ્છનો વિશાળ વિસ્તાર યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, જે અહીંના વૈવિધ્યસભર પર્યાવરણ અને કુદરતી સંપદાનું પ્રતિબિંબ આપે છે. ઉપરાંત, તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરાયેલ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલ ‘ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમ’ વૈશ્વિક સ્તરે અતિ દુર્લભ પરિસ્થિતિઓમાં જોવા મળતા મેન્ગૃવ પરિતંત્રોમાંનું એક છે.
વિશ્વમાં ગણતરીની જગ્યાઓ પર જ જોવા મળતા આવા ઇનલેન્ડ મેન્ગૃવમાંથી એક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ હોવું રાજ્ય માટે ગૌરવ સમાન છે...............

*ભુજના કુનરિયા ગામે ખેડૂતોને આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું*૦૦૦૦માહિતી બ્યૂરો, ભુજ :ભુજ તાલ...
20/05/2026

*ભુજના કુનરિયા ગામે ખેડૂતોને આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું*
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :

ભુજ તાલુકાના કુનરિયા ગામે ‘સંકલિત ખાતર વ્યવસ્થાપન જાગૃતિ અભિયાન’ અંતર્ગત એક ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ હાજરી આપીને આધુનિક ખેતી અને ખાતરના યોગ્ય વપરાશ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય તેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા માટે ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કેવી રીતે કરવો તેની સરળ સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય તે હેતુથી બજારમાં ઉપલબ્ધ યૂરિયા અને ડીએપીના અન્ય અસરકારક વિકલ્પો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને રોજિંદી ખેતીમાં ઉપયોગી એવી ‘કૃષિ પ્રગતિ એપ’ના વિવિધ લાભો અને તેના ડિજિટલ વપરાશ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, સરકારી યોજનાઓ અને સહાયનો સીધો લાભ મેળવવા માટે જરૂરી ખેડૂત નોંધણીની પ્રક્રિયા પણ સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી જેથી ખેડૂતો સરળતાથી તેનો લાભ લઈ શકે.

આ તાલીમ શિબિરમાં કૃષિ વિભાગના ગ્રામસેવકશ્રીઓ કિમ્પલ દેત્રોજા, અંકિત માડમ અને હર્ષદીપસિંહ રાણા, ક્રીભકોના ડિસ્ટ્રિક્ટ ઓફિસર હાર્દિક આદ્રોજા, જીએસએફસીના ડિસ્ટ્રિક્ટ લેવલ કોર્ડિનેટર ધરમસિંહ વાલા તેમજ કાઝરી (કુકમા)ના વૈજ્ઞાનિક ડો. અવિનાશ બોચાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ તજજ્ઞોએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપી મૂંઝવણો દૂર કરી હતી. કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત સૌ ખેડૂતોને "આવો, શીખો, પ્રગતિ કરો" ના સૂત્ર સાથે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતી કરવા અપીલ કરી હતી.
૦૦૦૦

Address

Jilla Mahiti Bhavan, Near Swaminarayan Mandir
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Info Kutch GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Kutch GoG:

Share