11/04/2026
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોરસદ તાલુકાની સાધારણ સભા અને કારોબારી બેઠક તારીખ 11-04-2026 ને શનિવારના રોજ વૃંદાવન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ મુકામે યોજવામાં આવી, કારોબારીમાં બોરસદ તાલુકાના 85 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા, બેઠકમાં RSS નડિયાદ વિભાગ સદભાવ પ્રમુખ રમેશભાઈ નાઈ, આણંદ જિલ્લા RSS સંપર્ક પ્રમુખ કનુભાઈ પટેલ,બોરસદ નગર RSS કાર્યવાહ ચૈતન્ય ભાવસાર,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ જિલ્લા અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહજી મહિડા ,મંત્રીશ્રી રિતેશભાઈ પટેલ, સંગઠન મંત્રીશ્રી જીગ્નેશભાઈ પંડ્યા જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ શર્મિષ્ઠાબેન પટેલ જિલ્લા સહ મંત્રી સુરેશભાઈ ઠાકર,જિલ્લા સહ સંગઠન મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી બોરસદ તાલુકા અધ્યક્ષશ્રી સુરેશભાઈ રાઠોડએ હાજર પદાધિકારીઓનો પરિચય કરાવ્યો મુખ્ય વક્તાશ્રી રમેશભાઈ નાઈનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. મુખ્ય વક્તા રમેશભાઈ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ રાષ્ટ્રીય વિચારધારા અને સામાજિક સમરસતા ધરાવનાર સંગઠન છે આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ શિક્ષકોને એક છત્ર હેઠળ લાવવા, વિધાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણની સાથે દેશભક્તિ કર્તવ્યનિષ્ઠા જાગૃત કરવાનું કાર્ય, શિક્ષક વિધાર્થી વાલી સાથેના સંબંધો ,શાળાને તીર્થ બનાવવાની ભાવના,શિક્ષણમાં સંસ્કૃતિ, રાષ્ટ્રીય શિક્ષણનીતિમા ભારતીયતા સાથે પંચ પરિવર્તનના વિવિધ મુદ્દાઓ વિશે વિવિધ ઉદાહરણો આપી સમજાવ્યું,આણંદ જિલ્લા મંત્રી રિતેશભાઇ પટેલે 2026 થી 2029 માટે તાલુકાની નવીન ટીમની ઘોષણા કરી સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓએ ૐ ધ્વની નાદ સાથે આવકારી. જિલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહજી મહીડાએ સંગઠનની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને કાર્યકર્તા નિર્માણ બાબતે વિસ્તૃત માહિતી આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોરસદ તાલુકા મંત્રી હેમંતસિંહ મહિડા દ્વારા કરવામાં આવ્યું અંતે બોરસદ તાલુકા સંગઠન મંત્રી રમેશભાઈ જાદવે ઉપસ્થિત સૌ મહાનુભાવો, કાર્યકર્તા ભગીની/બંધુનો આભાર વ્યક્ત કર્યો, કલ્યાણ મંત્ર કરી બેઠક પૂર્ણ જાહેર કરી.
ભવદિય:
બોરસદ તાલુકા
પ્રચાર/પ્રસાર પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ