26/04/2026
માત્ર મનુષ્ય માં વિચારવા ની કે સર્જન કરવાની ક્ષમતા છે એ વિચાર જ ભૂલ ભરેલો છે.
સુગરી નો માળો
કીડી ના કીડીઆરા
મધમાખી નો મધપૂડો
મોર ની કળા
પ્રાણી, પક્ષી, જીવ-જંતુઓ માં પણ બુધ્ધિમત્તા હોય છે.
તેઓ પણ પોતાની જરૂરત પ્રમાણે નવી શોધ કરવા નું જાણે છે.
મધમાખી નો મધપૂડો અને મધ બનાવવા ની રીત કોઈ ઇંડસ્ટ્રિયલ રેવોલ્યૂશન થી ઓછી છે ? આટલી બધી મધમાખીઓ એક સાથે સામંજસ્ય થી કામ કરે, એક નક્કી ગુણવત્તા નું મધ તૈયાર કરે, મધપૂડો તૈયાર કરે, રાણી ની સુરક્ષા પણ કરે.
એવી જ રીતે સુગરી ના માળા ને એક ઉચ્ચ પ્રકાર ની ડિઝાઇન કહી શકાય. એક ઉચ્ચ ગુણવત્તા નું સિવિલ એન્જિનિરીંગ. ઘર બનાવ્યું, બચ્ચાઓ ની રક્ષા પણ થાય, વરસાદ થી રક્ષણ પણ મળે અને સૌથી મોટી વાત કોઈ પર્યાવરણ ને નુકશાન કર્યા વિના તેમાં થી જરૂર જેટલા નકામા ખરી પડેલા તણખા માંથી બનાવે.
મોર નું કળા કરવું એ નૃત્ય કલા થી કઈ ઓછું છે ?
શું કોયલ નો કલરવ કોઈ સંગીત સંધ્યા થી ઓછો છે ?
આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ પર મનુષ્ય ની બુદ્ધિ અને કુત્રિમ બુદ્ધિ થી ખૂબ વિશેષ અને ચઢિયાતી એવી પ્રાકૃતિક બુદ્ધિમત્તા અને કળા સર્જન શક્તિ વિશે એક વિચાર !
પ્રકૃતિ નો નિયમ છે સર્જન કરવા નો. કોઈ એકાધિકાર કે નાણાંકીય ફાયદા ની લાલચ થી નહીં પરંતુ કુદરતી રીતે જ. માણસ નો પણ કુદરતી સ્વભાવ છે સર્જન કરવાનો શોધ કરવાનો. મોટામાં મોટી શોધ જોશો તો એ કોઈ પણ લાલચ વિના થયેલ છે, જિજ્ઞાસા, કુતુહલ, નવું જાણવા કરવા ની કુદરતી પ્રેરણા થી.
વિચારવા જેવું છે કે બૌદ્ધિક સંપદા અધિકારો ને કેવી રીતે પ્રોત્સાહન સુધી મર્યાદિત રાખી અને કેવી રીતે એકાધિકાર અને નાણાકીય લાભ પાછળ ની દોડ ને અટકાવીએ ?
સૌ ને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ની સુભેચ્છાઓ !