22/04/2023
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુનું પૂજન કરવું એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ સાંસ્કૃતિક વારસને ચરિતાર્થ કરી બતાવ્યું વેજલપુર ગુજરતી પબ્લિક સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી શ્યામશરણ જીભાઇકુમાર દેસાઈ એ. શાળાના બધાજ ગુરુજનો ને પોતાના ઘરે આમંત્રિત કરી
'ગુરુ વંદના' નું આયોજન જાતે કર્યું. એક આદર્શ શિષ્યમાં જે ગુણ જોવા ગમે તે તમામ ગુણ શ્યામમાં જોવા મળે. તમામ ક્ષેત્રોમાં આગળ. રમત ગમત અને સંગીત એનો રસનો વિષય. તેના પિતા જીભાઇકુમાર દેસાઈ એ ગુજરાત સરકારમાં વર્ગ 1અધિકારી તરીકે ફરજ બજાવે છે. કોરોના કાળ દરમ્યાન તેમની બદલી અમદાવાદમાં થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની વેજલપુર ગુજ.પબ્લિક સ્કૂલમાં પ્રવેશ લીધો. આજે કહેતા ગર્વ થાય છે હાલમાં તેમની બદલી આણંદ થઈ તેમ છતાં તેના પિતાને કહે છે કે "પપ્પા તમે અપ ડાઉન કરજો, હું આ શાળા નહિ છોડું." પ્રાઇવેટ શાળા તરફ આંધળી દોટ મુકતા વાલીઓ માટે આ સમજવા જેવું છે. તેના પિતા તેને નામદાર પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે છે પરંતુ એક સરકારી શાળા વાસ્તવમાં બાળકોને જીવનના તમામ આયામો માટે તૈયાર કરે છે.
શાળા પર મુકેલ વિશ્વાસ ને સાચા અર્થમાં શાળાના શિક્ષકો એ સાબિત કરી બતાવ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂજન ને સાચા અર્થમાં તેણે કરી બતાવ્યું.
આજે ગર્વ છે શ્યામ પર અને તેના માતા પિતા પર
આજે ગર્વ છે શાળાના તમામ ગુરુજનો પર.