25/04/2026
ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલર કોટેચા તથા જનરલ મેનેજર શ્રી કે.બી. પટેલે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ અવસરે ખેડૂતોના હિતમાં અમલમાં મૂકાનારી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
રાજ્યના નાના તથા સીમાંત ખેડૂતો સુધી યોજનાઓનો વ્યાપક અને અસરકારક અમલ સુનિશ્ચિત થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી. તાજેતરમાં OTS Scheme (One Time Settlement Scheme) ને પુનઃપ્રારંભ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી, જેના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક અભિગમ દર્શાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
ખેડૂતોને આર્થિક રાહત પ્રદાન કરવા હેતુસર ₹25,000 દામદુપટ યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮ અથવા તે પહેલાં લેવાયેલા ₹25,000 સુધીના કૃષિ ધિરાણ ધરાવતા લોનધારકોને રાહત આપવાની જોગવાઈ અંગે માહિતી આપવામાં આવી.
તદુપરાંત, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન અને નીતિ-દ્રષ્ટિકોણને અનુરૂપ, ખેતી બેંક ખેડૂતોના કલ્યાણ, આર્થિક સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્યરત છે.