21/12/2025
સંસ્થાના સ્કોલર વિદ્યાર્થી શ્રી આદિત્ય હિતેશભાઈ કંસારા કે જેમણે M. Tech. નો અભ્યાસક્રમ IIT બોમ્બેથી કરેલ છે તેમને આજરોજ ગત વર્ષે જ અભ્યાસ પૂર્ણ કરેલો અને ચાલુ વર્ષે એપલ કંપનીમાં તેમને પ્રથમ જોબ મળતા તેમના પ્રથમ પગારથી જ કેળવણી મંડળની સંપૂર્ણ લોન ₹2,50,000 એટલુંજ નહીં પણ સાથે રૂપિયા 5000 ડોનેશન પણ ઉમેરી આજરોજ શ્રી સૌરાષ્ટ્ર મારુ કંસારા મંડળ અમદાવાદના ફંકશનમાં શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કંસારાને ચેક આપી લોન પરિપૂર્ણ કરેલ છે શ્રી આદિત્ય ભાઈ ઉતરોતર પ્રગતિ કરતા રહે અને આવી જ રીતે સમાજનું નામ રોશન કરતા રહે તેવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા