16/06/2024
. :- વાલમ સર્વોદય આશ્રમ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ની પ્રેરક ઉપસ્થિતિમાં
શિવનંદી ધામ તથા શિવનંદી વાન ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગ્રીન એમ્બેસેડર જીતુભાઇના અનુંભવ આધારીત પ્રેરણા પુસ્તક ભાગ 05નું વિમોચન કરાયું
મહેસાણા ના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદી ધામ નું આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ગુજરાત ના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ આવું જ નંદી વન દેરોલ ઋષિવન ખાતે બનાવવામાં આવ્યું છે ખાસ કરીને પ્રકૃતિ અને જીવ દયા પ્રેમી જીતુભાઈ પટેલ ના જણાવ્યા મુજબ સમાજ માં નંદી ને કારણે વધતા જતા અકસ્માત થી બચવા માટે નંદી ઓને સલામત જગ્યાએ રાખી શકાય ગરમી, ઠંડી અને વરસાદ માં જરૂરી સુરક્ષા મળી રહે એવા આશ્ય થી આજે આ નંદી વન બનાવ્યું છે.
તથા આજ રોજ તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદી વાન વિસનગર નગર પાલિકા ને ભેટ માં આપવામાં આવી હતી અને આ નંદી વાન નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી વિસનગર નગરપાલિકા ના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ને સોંપવામાં આવી હતી
આ વાન ની સુંદર ડિઝાઇન ને કારણે નંદી ને સરળતા થી એક સ્થળ થી બીજા સ્થળ પર લઈ જઈ શકાય છે
આ શિવનંદી ધામ થકી વિસનગર તાલુકામાં નંદીઓને એક સ્થળે રાખવાનો ખાસ અભિગમ છે.આ શિવનંદી ધામમાં હાલમાં 110 નંદી સચાવય તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જે માટે. ગુજરાત ગ્લોબલ બ્રિગેડ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન સંસ્થાએ વાર્ષિક રૂપિયા 01 લાખની જવાબદારી પણ સ્વિકારી છે. શિવનંદી વાન થકી વિસનગર તાલુકામાં જોવા મળતા નંદીઓને શિવનંદી ધામમાં લાવવામાં આવશે જે ધામમાં તેમને ખોરાક,રહેઠાણ સહિતની સવલતો પુરી પાડવામાં આવશે
આ પ્રસંગે શિવનંદી વાનનની ડિઝાઇન તૈયાર કરનાર હિમાન્શુભાઇ પંચાલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે શિવનંદી ધામ-વાનના સમારોહમાં ઉપસ્થિત આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના ઉમદા અને નવતર અભિગમની શરૂઆત વિસનગર તાલુકાથી થઇ છે જે અનેક સમાજશ્રેષ્ઠીઓને પ્રેરણા આપશે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇએ પર્યાવરણ,પાણી અને આજે જીવોની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દર્ઢ રાજકીય ઇચ્છા શક્તિથી નર્મદાના નીર રાજ્યના ગામડે સુધી પહોંચ્યા છે જેનાથી આજે ઉત્તર ગુજરાત રળીયામણું બન્યુ છે.
આરોગ્મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે ગ્લોબલ વાર્મિગના સમયમાં વૃક્ષના વાવેતરથી માંડીને તેના સંરક્ષણ અને સંવર્ધન સુધી આપણે સૌએ જવાબદારી લેવાની છે. તેમણે ઉમેર્યું હતું કે વાલમ સર્વોદય આશ્રમ દ્વારા શિક્ષણ,સામાજિક સુધારણા,રોજગારી,સેવાકીય પ્રવૃત્તિ,માનવસેવા અને વૃક્ષસેવા અનેક સેવાકીય કાર્યો થઇ રહ્યા છે જેનાથી સેવા અને સુવાસનું ઉત્તમ ઉદાહરણ માનવજાતને પુરૂ પડાયુ છે.
આરોગ્યમંત્રીશ્રીએ ઘરડાઘર એ “આશિર્વાદ ધર” જેવા બને તે માટે ખાસ અનુંરોધ કર્યો હતો
આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઇએ ગ્રીન એમ્બેસેડર જીતુભાઇના શિવનંદી ધામ તથા શિવનંદી વાનની પ્રેરણાદાયી પહેલની પ્રશંસા કરી હતી તેમજ તેમણે 01 મહિના સુધી શિવનંદી ધામમાં નંદીના ઘાસચારાના ખર્ચેની જવાબદારી પણ સ્વીકારી હતી
આ કાર્યક્રમમાં સંતશ્રી દશરથગીરી બાપુ,સંસ્થાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ, સર્વોદય આશ્રમના ટ્રસ્ટ્રીઓ,આશ્રમ વાસીઓ,સમાજશ્રેષ્ઠીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેના પ્રમુખ નીલેશભાઈ રાજગોર દ્વારા ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેના જે પાચં નીયમો છે એના સૌવ ને સપત લેવડાવ્યા હતા
Byte :-
જીતુ ભાઈ પટેલ :- ગ્રીન એમ્બેસેડર ગુજરાત