05/04/2026
આજે આપણે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર નેતા અને સામાજિક ન્યાયના અડગ યોદ્ધા બાબુ જગજીવનરામજી ને તેમની જન્મજયંતિ પર નમન કરીએ છીએ.
બાબુ જગજીવન રામજી નું સમગ્ર જીવન એક સંદેશ આપે છે
કે સંઘર્ષ, સંકલ્પ અને સચ્ચાઈથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે.
દલિત અને વંચિત સમાજમાંથી ઊભા થઈને દેશના સર્વોચ્ચ સત્તા કેન્દ્રોમાં પોતાની ઓળખ બનાવવી આ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ ભારતના લોકતંત્રની શક્તિનું જીવંત ઉદાહરણ છે.
તેઓએ જીવનભર એ વાત માટે લડત આપી કે ...
- સમાજમાં સમાનતા માત્ર શબ્દો સુધી સીમિત ન રહે
- બંધારણમાં આપેલા અધિકારો દરેક સુધી પહોંચે
- અને સત્તા હંમેશા અંતિમ માણસના હિતમાં કાર્ય કરે
બાબુજીની રાજનીતિ “સત્તા મેળવવાની” નહોતી,
પણ “સમાજ બદલવાની” હતી.
તેમણે સાબિત કર્યું કે સાચો નેતા એ છે, જે પોતાના માટે નહીં પરંતુ સમાજના નબળા વર્ગો માટે અવાજ ઉઠાવે.
આજના સમયમાં, જ્યારે સમાજમાં વિભાજન અને અસમાનતા ફરી માથું ઊંચું કરી રહી છે,ત્યારે બાબુ જગજીવન રામજી ના વિચારો વધુ પ્રાસંગિક બની જાય છે.
- શું આપણે તેમના દર્શાવેલા માર્ગ પર ચાલી રહ્યા છીએ?
- શું સામાજિક ન્યાય અને સમાનતા ખરેખર દરેક સુધી પહોંચી છે?
આ પ્રશ્નો માત્ર વિચારવા માટે નહીં, પરંતુ કાર્ય કરવા માટે છે.
ચાલો, તેમની જન્મજયંતિ પર સંકલ્પ કરીએ
એક એવું ભારત બનાવવાનું,
જ્યાં
- જાતિ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હોય
- દરેકને સમાન તક અને સન્માન મળે
- અને લોકતંત્ર માત્ર શબ્દ નહીં, પણ દરેકના જીવનમાં હકીકત બને
બાબુ જગજીવન રામજી ના આદર્શો આપણને માર્ગદર્શન આપે છે.
તેમને શત-શત નમન...!