04/01/2026
એક લબ્ધપ્રતિષ્ઠીત સામાજિક કાર્યકર (એડવોકેટ મોઇન ખોખર )ના શબ્દો માં અમવા ની કામગીરી….
અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ’અમવા' દ્વારા મહિલા સશકિતકરણના કાર્યક્રમનું આજરોજ આયોજન કરાયેલ જેમાં માઇક્રોફાઇનન્સની નિયમિત કામગીરી કરતી બહેનોને 6.43 લાખની વગર વ્યાજની લોનનું વિતરણ કરવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન પ્રોફેસર ડૉ. મહેબૂબ દેસાઈ સાહેબને લાઇવ સાંભળવાનો મોકો મળ્યો સાથે સાથે અમવા સંસ્થાની બહેનો ના કામ અને ખિદમત જોઈ વધુ એક યાદગાર દિવસને આપની સમક્ષ શેયર કરવા જઈ રહ્યો છું ભારતના સૌથી મોટા મુસ્લિમ વિસ્તારમાં આવેલ સંસ્થા 'અમવા' મહિલા ઉસ્થાન માટે સશક્તિકરણના અઢળક કાર્ય કરી સમાજમાં નામના સાથે એક અલગથી સિધ્ધિ ખ્યાતિ મેળવેલ છે. સંસ્થામાં કોમ્યુટર તાલીમ વર્ગો,સિલાઈ કામ, સ્ત્રી રોજગારી કે તેઓના લાભાર્થે દરેક વિષય પર વાંરવાર સેમિનારો તેમજ મેહર ક્રેડિટ સોસાયટી થકી વિના વ્યાજની લોન આપવા કેમ્પ વિગેરે આયોજન કરતા રહે છે. આજે પ્રોગ્રામનું આમંત્રણ મળેલ ત્યારે પ્રોગ્રામમાં હાજર રહીને જાણેલ કે અમવા સંસ્થા થકી સમાજની જરૂરિયાત વાળી બહેનોને પગભર થવાનો મૌકો મળ્યો છે. એવી બહેનો જે આજે પોતાના પૂરા ઘરની જવાબદારી આ સંસ્થા ના કોઈ રીતના સપોર્ટ થકી નિભાવે છે.એવી મહિલાઓની વાતો સાંભળવાનો મૌકો મળ્યો જે મહિલાઓ મેહર ક્રેડિટ સોસાયટીની લોન દ્વારા તેઓને રોજગારીની તક મળી છે ને સમાજમાં નાનો પણ સ્વમાનનો પોતાનો રોજગાર ધંધો ચલાવી રહી છે, આવી દરેક બહેનોને દિલ થી સેલ્યુટ છે. એવી બહેનોની પોઝિટીવ સ્ટોરી સાંભળવાનો મૌકો મળ્યો છે જેઓએ સમાજને લીધા કરતા વધુ પરત આપેલ છે. નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ વળવા માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી હોય તો શું કરવું? ગમે તેટલા ઉપાયો કરવા છતાં પણ હવા બહાર નીકળે નહીં. પણ જો બોટલને પાણીથી ભરી દેવામાં આવે તો હવા આપોઆપ બહાર નીકળી જાય. તેવી જ રીતે જે-જે બાબતમાં નેગેટિવિટી ઊભી થતી હોય તે દરેક બાબતમાં પોઝિટિવ ગોઠવતાં જઈએ તો નેગેટિવિટી આપોઆપ નીકળી જશે. છેવટે કોઈ પણ બાબતમાં આપણાં મન કે બુદ્ધિ નેગેટિવ કરે જ નહીં તેવી જાગૃતિમાં આવવું જોઈએ. આવો સાથે મળી આવી સંસ્થાઓ આવી બહેનો અને સમાજને આપનાર આવા પ્રોફેસરોનો લાભ સમાજને સુધી પહોંચતો કરીએ.