11/05/2026
આજે વડોદરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 'સરદારધામ-3' સંકુલનું ભવ્ય લોકાર્પણ કર્યું અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી.
આ ઐતિહાસિક અવસરે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સંકલ્પોને સાકાર કરી રહેલા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 'સરદાર ગૌરવ રત્ન'થી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન એ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું પ્રતીક છે.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.