22/08/2026
🌟 ઉમ્મીદ શિક્ષારથ સાથે પ્રેરણાની એક યાદગાર મુલાકાત! 🌟
એક્રોલોન્સ સાઇટ ખાતે શ્રી ડી.વી. મહેતા સાહેબ, શ્રી પરિમલભાઈ પરડવા, શ્રીમતી ગીતાબેન પરડવા અને ડૉ. સત્યાન્શી પરડવા દ્વારા ઉમ્મીદ શિક્ષારથના બાળકો સાથે આત્મીય મુલાકાત કરવામાં આવી. ❤️
બાળકો સાથે સમય વિતાવી તેમનો ઉત્સાહ વધાર્યો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું. ✨
આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેથી તેમના શિક્ષણની સફરને વધુ મજબૂતી અને નવી આશા મળે. 📚🎒
એક મુલાકાત... અનેક સ્મિતો... અને ભવિષ્ય માટે નવી ઉમ્મીદ! 🌱💫