17/09/2023
નિર્માણ અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા ને સમર્પિત શ્રી વિશ્વકર્મા પૂજા દિવસની હાર્દિક શુભકામનાઓ.
પ્રાચીનકાળમાં ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા, હસ્તિનાપુર, ઈન્દ્રપ્રસ્થ અને સોનાની લંકા જેવા મહાનગરોનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ જ કર્યું હતું. સાથે જ ભગવાન વિશ્વકર્માએ મનુષ્યની સુખ અને સુવિધા માટે અનેક યંત્રો અને ભૌતિક સાધનોનું નિર્માણ કર્યું. જે આજે પણ આપણા સહુ માટે વરદાનરૂપ છે. મારી ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના છે કે તેઓ આપ સહુના ના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે.