Government Public Library, Okha સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા

  • Home
  • India
  • Okha Port
  • Government Public Library, Okha સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા

Government Public Library, Okha  સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા ઓખા તથા આસપાસ ના વિસ્તારના લોકોને જ્ઞાન વર્ધક વાંચન સાહિત્ય પુરૂ પાડતી સરકારી સંસ્થા

ન્યાય મંદિર, ઓખા ના કર્મચારીશ્રી ઓ ના સહયોગ થી સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખા ના પ્રાંગણમાં ન્યાય મંદિર, ઓખાના કર્મચારીશ્ર...
27/09/2024

ન્યાય મંદિર, ઓખા ના કર્મચારીશ્રી ઓ ના સહયોગ થી સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખા ના પ્રાંગણમાં ન્યાય મંદિર, ઓખાના કર્મચારીશ્રી ઓ તથા સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખાના કર્મચારી શ્રી ચેતનભાઈ વરું Chetan Varu દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Mulubhai Bera Info Devbhumidwarka GoG Amazing Dwarka our_khambhalia DirectorateofLibrary Gujarat Lagdhir Gadhvi

એક અલગ જ શૈલી ના લેખક શ્રી અશ્વિની ભટ્ટ ની નોવેલ પર થી એક ગુજરાતી ફિલ્મ " કમઠાણ" ટુંક સમયમા દરેક સિનેમાઘર મા રજુ થઈ રહી ...
30/01/2024

એક અલગ જ શૈલી ના લેખક શ્રી અશ્વિની ભટ્ટ ની નોવેલ પર થી એક ગુજરાતી ફિલ્મ " કમઠાણ"
ટુંક સમયમા દરેક સિનેમાઘર મા રજુ થઈ રહી છે.
જે વાંચકો એ આ નોવેલ વાંચી હશે તેને આ ફિલ્મ જોવી જ રહી.. નોવેલ વાંચતા વાંચતા પણ દરેક દ્રષ્યો આંખો સામે જ ભજવાતા હોય તેવી અનુભૂતિ સહુને થઈ જ હશે..ને.. આ જ નોવેલ ના પાત્રો દરેકના મનમા હજી પણ ખળભળાટ, હાસ્ય, ને રહસ્ય ને સાચવીને બેઠા છે.. એ જ નોવેલ હવે મોટા પડદા પર જોવાની દરેક વાંચક આતુરતાથી રાહ જુવે છે..
ફિલ્મ ના દરેક કલાકારો, ગીતકાર, સંગીત કાર ને ડાયરેક્શન ટીમ ..બધા જ અભિનંદન પાત્ર છે.. ને આ ફિલ્મ દરેક વાંચક ગણ ની અપેક્ષા મા ખરી જ ઉતરશે જ તેની ખાતરી છે.. તો ચાલો આવી મસ્ત નોવેલ પર કંડારેલ ફિલ્મ જોવાનો લ્હાવો આપણે ચોક્કસ લઈયે..
- જગદીશ વરૂ
Jagdish Varu

26/12/2023

Pankajpuri Goswami Info Devbhumidwarka GoG Amazing Dwarka our_khambhalia Mulubhai Bera sir.

26/12/2023

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા સંચાલિત સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખા ખાતે આજરોજ તા. ૨૪/૧૨/૨૦૨૩ ના કોમ્પ્યુટરાઈઝલાઈબ્રેરીનું ઉદ્ઘાટન નિયામક ગ્રંથાલય, ગાંધીનગર ડો. પંકજ ગોસ્વામીના હસ્તે સંપ્પન થયું આ તકે પુસ્તકાલય ખાતે યોજવામાં આવેલ નવા આવેલા પુસ્તકોનું પ્રદર્શન પણ ડો પંકજ ગોસ્વામી એ જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું તથા પુસ્તક પ્રદર્શન નિહાળવા આવેલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ને પુસ્તકાલયનું સભ્યપદ ભેટમાં આપેલ તથા વર્ષો થી પુસ્તકાલયનો ઉપયોગ કરતા વાચકોનું સન્માન કરવામાં આવ્યું. પુસ્તકાલય કોમ્પ્યુટરાઈઝ થતા મહાનગરોના પુસ્તકાલયો માં મળતી આધુનિક સેવાઓ ૧૦૦૦૦ જેટલા પુસ્તકોનો સંગ્રહ ધરાવતા રાજાશાહી વખતના આ પુસ્તકાલયમાં પણ મળતી થશે.સરકારશ્રી ના છેવાડાના માણસ ને પણ સરકારશ્રી ની તમામ યોજનાઓ નો લાભ મળે તેના ભાગરૂપે આ પુસ્તકાલયનું પણ આધુનિકરણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે હાલમાં જ જામ-ખંભાળિયા ખાતે જિલ્લા પુસ્તકાલયની સેવાઓ શરુ કરવામાં આવેલ તથા ખંભાળિયા અને ભાણવડ ખાતે નવા ગ્રંથાલય ભવનો બનાવવાની જાહેરાત પણ કરવામાં આવેલ ત્યારે ઓખા ખાતે શરુ થયેલ આ નવી સુવિધા થી જિલ્લાના વાચકોને સુગમતા થી શિષ્ટ સાહિત્ય વાંચન અર્થે મળતું થશે.તંદુરસ્ત સમાજના ઘડતરમાં પુસ્તકાલયો જ દેવાલય સમાન હોય ભવિષ્યમાં સમાજના સામુહિક વિકાસથી વિકસિત રાષ્ટ્રનું ધ્યેય સિદ્ધ કરી શકાશે.
Pankajpuri Goswami Info Devbhumidwarka GoG Amazing Dwarka our_khambhalia Mulubhai Bera

ઓખા ખાતે આવેલું અને ગાયકવાડી સરકાર વખતે ઓખા પોર્ટની સાથે જ નિર્વાણ પામેલું પુસ્તકાલય એટલે કે સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખ...
22/12/2023

ઓખા ખાતે આવેલું અને ગાયકવાડી સરકાર વખતે ઓખા પોર્ટની સાથે જ નિર્વાણ પામેલું પુસ્તકાલય એટલે કે સરકારી તાલુકા પુસ્તકાલય, ઓખા હવે ટેકનોલોજી થી સજ્જ બની મહાનગરો ના પુસ્તકાલયો માં જોવા મળતી કોમ્પ્યુટરરાઈઝ સિસ્ટમ થી કાર્યરત થવા જઈ રહી છે, મળતી વિગતો મુજબ ૧૦૦૦૦ થી પણ વધુ અમૂલ્ય પુસ્તકોનો ખજાનો ધરાવતી ઓખાની સરકારી લાઇબ્રેરી નું કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું હોય વાચકો ને હવે ઉપલબ્ધ પુસ્તકો શોધવાની સાથે પુસ્તક આપ લે ની સેવાઓ પણ કોમ્પ્યુટર થી મળતી થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ દેવભૂમિ દ્વારકા ના મુખ્ય મથક જામ ખંભાળીયા ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા ના હસ્તે જિલ્લા કક્ષાના પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ સાથે જ મંત્રીશ્રી દ્વારા ખંભાળીયા અને ભાણવડ ખાતે પણ નવા અને આધુનિક પુસ્તકાલય ભવનો બનાવવાની જાહેરાત કરવામાં આવેલ આ સાથે જ ઓખામાં ચાલતા રાજાશાહી વખત ના પુસ્તકાલય ને પણ આધુનિક રંગરૂપ આપવાની કામગીરી થઇ રહી હોય આગામી સમયમાં જિલ્લા ના વાચકોને વિવિધ જગ્યાએ શિષ્ટ સાહિત્ય વાંચન સામગ્રી ખુબ સહેલાઇ થી મળતી થશે. કોઈપણ સમાજના સામૂહિક વિકાસમાં પુસ્તકાલયો મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે મોબાઈલ અને ઇન્ટરનેટ ના જમાના માં લોકોને જો સહેલાઇ થી વાંચન સામગ્રી મળતી થાય તો લોકો પણ આવા દુષણો માંથી બહાર આવી વાંચનની સારી ટેવ વિકસાવી શકે. સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ ડાંગરના જણાવ્યા મુજબ ગ્રંથાલય ખાતાના નિયામક ડો. પંકજ ગોસ્વામી સાહેબ આગામી સમયમાં સૌરાષ્ટ્રના પુસ્તકાલયો ની મુલાકાતે આવનાર હોય ત્યારે ઓખા ખાતેના પુસ્તકાલય માં કોમ્પ્યુટરાઈઝ સેવાઓ શરૂ કરવાનું આયોજન રહેલું છે.
Amazing Dwarka Info Devbhumidwarka GoG our_khambhalia Mulubhai Bera sir,

22/04/2023

જીવનમાં પુસ્તકોનું મહત્વ જાણીતા લેખક શ્રી જય વસાવડા ના શબ્દોમાં.
Mulubhai Bera Raja Rammohun Roy Library Foundation, Ministry of Culture, Govt. of India Dwarka Today Sports, Youth and Culture Gujarat

12/04/2023

આજના વ્યક્તિ વિશેષ :-   #વર્ષા_અડાલજાજન્મ :- April 10, 1940 વ્યવસાય :-  #લેખક,  #પ્રવકતાશિક્ષણ :-  બી.એ., એમ.એ.નોંધપાત્ર...
10/04/2023

આજના વ્યક્તિ વિશેષ :- #વર્ષા_અડાલજા

જન્મ :- April 10, 1940
વ્યવસાય :- #લેખક, #પ્રવકતા
શિક્ષણ :- બી.એ., એમ.એ.
નોંધપાત્ર સર્જનો :- #અણસાર
નોંધપાત્ર પુરસ્કારો :- #સાહિત્ય_અકાદમી_પુરસ્કાર (૧૯૯૫)
#રણજિતરામ_સુવર્ણચંદ્રક (૨૦૦૫)
સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)
ગુજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ
ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ
કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭)
નંદશંકર મહેતા ચંદ્રક
સરોજ પાઠક સન્માન
ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક
એવોર્ડ

#ગુણવંતરાય_આચાર્ય ‍(પિતા‌‌), #ઇલા_આરબ_મહેતા (બહેન)

તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મુંબઈ ખાતે ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય અને નીલાબેનને ત્યાં થયો હતો. ૧૯૬૦માં તેમણે ગુજરાતી અને #સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ની પદવી મેળવી હતી. ૧૯૬૨માં તેમણે #સમાજશાસ્ત્રમાં એમ.એ. કર્યું હતું. શિષ્યવૃત્તિ મેળવી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં #નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે મુંબઈમાં #આકાશવાણીના પ્રવક્તા તરીકે ૧૯૬૧ થી ૧૯૬૫ દરમિયાન કાર્ય કર્યું હતું. ૧૯૬૬માં તેમણે તેમની લેખન કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૬૫માંં તેમના લગ્ન મહેન્દ્રભાઇ અડાલજા સાથે થયા હતા. તેમની બહેન ઇલા આરબ મહેતા પણ નવલકથાકાર છે.

વર્ષા અડાલજાએ ૧૯૭૩-૭૬ દરમિયાન #સ્ત્રી સાપ્તાહિક સુધાના #તંત્રી તરીકે #સાહિત્ય કારકિર્દી શરૂ કરી હતી. પછીથી તેઓ ૧૯૮૯-૯૦ દરમિયાન ગુજરાતી ફેમિનાના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા છે. તેમણે કુષ્ઠ રોગીઓની વસાહત, જેલ જીવન અને આદિવાસીઓ સાથે કામ કર્યું છે.

નવલકથા :- શ્રાવણ તારાં સરવડાં (૧૯૬૮), આતશ, ગાંઠ
છૂટયાની વેળા (૧૯૮૦), બંદીવાન (૧૯૮૬),
માટીનું ઘર (૧૯૯૧), અણસાર (૧૯૯૨), મૃત્યુદંડ
(૧૯૯૬), શગ રે શકોરું (૨૦૦૪), પગલું માંડું હું
અવકાશમાં (૨૦૦૫), પ્રથમ પગલું માંડ્યું
(૨૦૦૮), ક્રોસરોડ

લઘુ નવલકથા :- તિમિરના પડછાયા (૧૯૬૯), એક પળની
પરખ (૧૯૬૯), પાંચ ને એક પાંચ (૧૯૬૯)
મારે પણ એક ઘર હોય (૧૯૭૧), રેતપંખી
(૧૯૭૪), અવાજનો આકાર (૧૯૭૫)
છેવટનું છેવટ (૧૯૭૬), નીલિમા મૃત્યુ પામી છે
(૧૯૭૭), પાછાં ફરતાં (૧૯૮૧), ખરી પડેલો
ટહુકો (૧૯૮૩), પગલાં (૧૯૮૩)
વાર્તાસંગ્રહ :- એ (૧૯૭૯), સાંજને ઉંબર (૧૯૮૩), એંધાણી
(૧૯૮૯), બિલીપત્રનું ચોથું પાન (૧૯૯૪), ગાંઠે
બાંધ્યું આકાશ (૧૯૯૮), અનુરાધા (૨૦૦૩),
કોઈ વાર થાય કે...(૨૦૦૪)
નાટકસંગ્રહ :- આ છે કારાગાર (૧૯૮૬), મંદોદરી (એકાંકી)
(૧૯૯૮), તિરાડ (૨૦૦૩), શહીદ (૨૦૦૩)
વાસંતી કોયલ (૨૦૦૬)
નિબંધસંગ્રહ :- પૃથ્વીતીર્થ (૧૯૯૪), આખું આકાશ એક
પિંજરામાં (૨૦૦૭), પ્રવાસવર્ણન સંગ્રહ
નભ ઝૂક્યું (૨૦૦૨), ઘૂઘવે છે જળ (૨૦૦૨)
શિવોહમ (૨૦૦૬), શરણાગત (૨૦૦૭)
શુક્રન ઈજિપ્ત
સંપાદન :- અમર પ્રેમકથાઓ
અન્ય :- લાક્ષાગૃહ, ત્રીજો કિનારો, એની સુગંધ, ન જાને
સંસાર, આનંદધારા, તું છે ને!

* તેમની નવલકથા મારે પણ એક ઘર હોય (૧૯૭૧) અને
#રેતપંખી (૧૯૭૪) એ ટૂંકી #ટેલિવિઝન #ધારાવાહિકમાં
પ્રસ્થાપિત થયેલ છે.
* તેમની લઘુનવલકથા #તિમિરના_પડછાયા (૧૯૬૯) એ
#નાટક સ્વરૂપે અંદાજે ૧૦૦૦ જેટલા મંચ પર ભજવાઈ ચુક્યું
છે.

* તેણીએ તેમના પિતા ગુણવંતરાય આચાર્યની નવલકથા
દરિદ્રનારાયણ ને ધારાવાહિક અને નાટક સ્વરૂપે રૂપાંતર કર્યું છે.

*તેમની નવલકથા અણસાર (૧૯૯૨) પરથી એવોર્ડ વિજેતા
ફિલ્મ #લેપરોઝી બની છે.
Varsha Adalja Varsha Adalja Books Mulubhai Bera Sports, Youth and Culture Gujarat Raja Rammohun Roy Library Foundation, Ministry of Culture, Govt. of India Ministry of Culture and Youth Dwarka Today

આજના વ્યક્તિ વિશેષ :-   #ચંદ્રવદન_ચીમનલાલ_મહેતાજન્મ :-  ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરતઅવસાન :-  ૪ મે, ૧૯૯૧વ્યવસાય :-   #નાટ્ય  #લેખ...
06/04/2023

આજના વ્યક્તિ વિશેષ :- #ચંદ્રવદન_ચીમનલાલ_મહેતા

જન્મ :- ૬ એપ્રિલ, ૧૯૦૧ સુરત
અવસાન :- ૪ મે, ૧૯૯૧
વ્યવસાય :- #નાટ્ય #લેખક, #વિવેચક, લેખક, #કવિ,
#પ્રવાસવર્ણન લેખક
શિક્ષણ :- બી.એ.
નોંધપાત્ર સર્જનો :- #નાટ્ય_ગઠરિયાં
નોંધપાત્ર પુરસ્કારો :- પદ્મશ્રી (૧૯૬૨)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૧)
સંગીત નાટક અકાદમી ફેલોશીપ (૧૯૮૪)

ચંદ્રવદન મહેતાનો જન્મ ૬ એપ્રિલ ૧૯૦૧ના રોજ દક્ષિણ ગુજરાતના #સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ #વડોદરામાં અને માધ્યમિક #શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૨૪ માં મુંબઈ #ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૨૮માં તેઓ #નવભારતના સંપાદક તરીકે જોડાયા હતા. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં #શિક્ષક હતા. ૧૯૩૮માં તેઓ મુંબઈ તેમ જ ૧૯૫૪માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની #નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં હતા. આજે તેઓ #નાટ્યકલાના #વિશ્વવિખ્યાત તદ્વિદ ગણાય છે. તેઓ ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.

*સર્જન*

મંચનક્ષમતા ધરાવતાં #નાટકો, #હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક #કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે. #રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. ટ્રેજેડી, કૉમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત #ઐતિહાસિક, #સામાજિક, #પૌરાણિક તેમ જ #જીવનચરિત્રવિષયક સામગ્રીનો એમણે ઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે.

*નાટ્યગ્રંથો*

એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે. ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭), ‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩), ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાંની દુકાન’ (૧૯૩૪) ‘નર્મદ’ (૧૯૩૭), ‘ #નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી’ (૧૯૪૬), ‘ #પાંજરાપોળ’ (૧૯૪૭), ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧), ‘રંગભંડાર’ (૧૯૫૩), ‘સોનાવાટકડી’ (૧૯૫૫), ‘માઝમરાત’ (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬), ‘હોહોલિકા’ (૧૯૫૭), ‘કપૂરનો દીવો’ (૧૯૬૦), ‘પરમ માહેશ્વર’ (૧૯૬૦), ‘સતી’ (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬), ‘ધરાગુર્જરી’ (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબોલા રાણી’ (૧૯૭૨), ‘ #સંતાકૂકડી’ (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪), ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).

*કાવ્યગ્રંથો*

એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. ‘યમલ’ (૧૯૨૬)માં ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે. ‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તો ‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું #કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. ‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે.

*કથાસંગ્રહો*

‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘ #વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો છે; તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એણની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં’ વિવિધ વિષયસંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરિયાં છે : ‘ #બાંધ_ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪), ‘ #છોડ_ગઠરિયાં’ (૧૯૫૬), ‘સફર ગઠરિયાં’ (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨), ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩), ‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં’ (૧૯૭૬).

Address

Okha Port

Opening Hours

Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 12am

Telephone

02892262296

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Public Library, Okha સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category