K J Choksi Public Library

K J Choksi Public Library Reading. Learning. Growing. Nurturing minds, inspiring readers.
55,000+ books | 40,000+ yearly readers
A non-profit initiative by K.J. Choksi Trust.

ડ્રેસિંગ રૂમહાલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટમેચ રમાઈ રહી છે. ગઈ કાલે વરસાદ પડવાન...
07/06/2026

ડ્રેસિંગ રૂમ

હાલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટમેચ રમાઈ રહી છે. ગઈ કાલે વરસાદ પડવાને કારણે મેચ રમવી શક્ય નહોતી. આ ખાલી સમય દરમિયાન ખેલાડીઓ તેમના ડ્રેસિંગરૂમમાં કેવો સમય વિતાવે છે તેનો વિડીયો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસારિત થયો હતો, જેમાં દરેક ખેલાડી સમયના સદુપયોગમાં વ્યસ્ત હતા. આ તસવીરમાં દેખાતો ખેલાડી જેકબ બેથેલ (Jacob Bethell) છે, જે શાંતિથી પુસ્તક વાંચી રહેલો નજરે પડે છે.

આ બાબત હું એટલા માટે જણાવું છું કે પશ્ચિમી દેશોમાં આજે પણ ફુરસતના સમયમાં પુસ્તક વાંચવાની સંસ્કૃતિ જીવંત જોવા મળે છે. લોકો દરેક સમયે મોબાઈલમાં નથી ગૂંચવાયેલા રહેતા. પછી એ બીચ હોય, એરપોર્ટ હોય, દરિયાઈ જહાજની મુસાફરી હોય કે કોમ્યુનિટી મેળાવડો હોય, ત્યાં તમને લોકો પુસ્તક વાંચતા નજરે પડશે.
પણ આપણે ત્યાં હવે તો વૃદ્ધો પણ ઘરની બહાર ઓટલે કે ગામના પાદરે બેઠા હોય, કે પછી મંદિરના પરિસરમાં બેઠા હોય, ત્યાં તેઓ મોબાઈલની જાળમાં ગૂંથાયેલા જ દેખાય છે. આજથી દસ વર્ષ પહેલાં હું સાંજના સમયે સોસાયટીના રોડ પરથી પસાર થતો, ત્યારે કોઈ વડીલ ઘરની બહાર બેઠા હોય તો તેઓ કંઈક તો વાંચતા હતા કે પછી પરસ્પર સારી ચર્ચા કરતા દેખાતા. હવે એ દ્રશ્ય દુર્લભ બન્યું છે.

રવિવારના દિવસે લાઇબ્રેરી એટલા માટે ખુલ્લી રાખવામાં આવે છે કે લોકો રજાના દિવસે નિરાંતે પુસ્તકો વાંચવા માટે આવે. બાળકો અને વૃદ્ધો જ્યારે લાઇબ્રેરીનું પગથિયું ચડતા હોય, ત્યારે એમને આવકારવાનો આનંદ જ અલગ હોય છે. હજી પણ અમારી લાઇબ્રેરીમાં આ વાંચન સંસ્કૃતિ જીવંત છે, તે એક સંતોષમય આશ્વાસન છે.
દુન્યવી ચર્ચાઓ, ધરણાં, રાજકારણીઓના સરઘસ, વિરોધ પ્રદર્શન વગેરે માટે આપણી પાસે સમય જ સમય છે! પણ જ્યારે એવું કહેવામાં આવે કે અઠવાડિયામાં એક દિવસ લાઇબ્રેરીમાં અચૂક જાવ, તો તરત કહેશે, “સમય જ ક્યાં મળે છે?” બહાનાઓ અને જૂઠાણાથી શરૂ થતો આપણો દિવસ બહાનાઓ અને જૂઠાણાથી જ પૂરો થાય છે!

તમારી જાણ હેતુ:

આ તસવીરમાં દેખાતો ખેલાડી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ઉભરતો ખેલાડી જેકબ બેથેલ છે. તે ૨૦૨૨ના અંડર-૧૯ (Under-19) વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત સામે રમ્યો હતો. ભલે એ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી, પણ આ યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓ મેદાન પર જેટલા સક્રિય છે, તેટલો જ રસ તેઓ પુસ્તકો વાંચવામાં પણ ધરાવે છે, જે આજના યુવાવર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

તસ્વીર સૌજન્ય : ECB CO.UK

ગ્રંથપાલ ,
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી





🌿 *અસ્તિત્વનું પર્યાવરણ*  🌿📖 *વાંચન* એ અસ્તિત્વના પર્યાવરણને જાળવી રાખનારું ઉત્તમ માધ્યમ છે. મન, કર્મ અને આચરણમાં જો વાં...
05/06/2026

🌿 *અસ્તિત્વનું પર્યાવરણ* 🌿

📖 *વાંચન* એ અસ્તિત્વના પર્યાવરણને જાળવી રાખનારું ઉત્તમ માધ્યમ છે.
મન, કર્મ અને આચરણમાં જો વાંચનનું સિંચન નિયમિત થતું રહે,
તો આપણા અસ્તિત્વનું પર્યાવરણ સદાકાળ ખીલેલું રહે !
૫ જુન , વિશ્વ પર્યાવરણ દિવસ

જેમ પ્રકૃતિને લીલીછમ રાખવા જળનું સિંચન જરૂરી છે, તેમ વ્યક્તિત્વને અને મનને જીવંત રાખવા વાંચનનું સિંચન અનિવાર્ય છે.

ગ્રંથપાલ ,
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી,
ભરૂચ

28-05-2026 Happy Birthday Dear K J Choksi Public Library  "એક ગ્રંથાલય જ્યારે પુખ્ત વયને પામે છે“ અહી વાત ભરૂચની કે. જે....
28/05/2026

28-05-2026
Happy Birthday Dear K J Choksi Public Library

"એક ગ્રંથાલય જ્યારે પુખ્ત વયને પામે છે“

અહી વાત ભરૂચની કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરીની છે જે ૨૮ -૦૫-૨૦૨૬ના રોજ એના ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે :

લોકો ફરિયાદ કરતા રહે છે કે વાંચન ઘટી રહ્યું છે પણ અહી અમારી કે જે ચોકસી પબ્એલિક લાયબ્રેરીમાં આવી અનુભવો તો સમજાશે કે વાંચન ઘટી નથી રહ્યું રહ્યું પણ વધી રહ્યું છે?

આપણું જીવન દિવ્ય છે અને આપણું આ કે જે ચોકસી સાર્વજનિક પુસ્તકાલય ભવ્ય છે

વર્ષ ૨૦૦૫માં જયારે આ પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો ત્યારે આ પુસ્તકાલયનું માત્ર ભવન હતું જે આજે 55000+ પુસ્તકોથી જ્ઞાનસજ્જ આ પુસ્તકાલય ભરૂચ જ નહિ અમો સૌ માટે વરદાન છે

આ પુસ્તકાલય એક એવી અખંડ જ્યોત છે જેમાં આપણે સૌએ પુરુષાર્થનું ઇંધણ પૂરતા રહેવાનું છે

લાયબ્રેરીની દસ્તાવેજી ફિલ્મ જોવા માટે નીચે આપેલ લીંકને ક્લિક કરશો :
ભાગ-1
https://youtu.be/ZncmhiGqXZ8

ભાગ -2
https://youtu.be/K0zqqtmjeZ4
ગ્રંથપાલ,
કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી,
ભરૂચ

18/05/2026

5 Must-Read Books 📚✨

Meet Krisha Mehta, an avid reader and a regular visitor at the KJ Choksi Library reading room. For Krisha, KJC Library is more than just a place filled with books it is a peaceful space that inspires learning, imagination, and meaningful discovery. She shares that the calm environment and diverse collection at KJC have made every visit a truly enriching experience.

After exploring the thoughtfully curated shelves at KJC Library, Krisha recommends these 5 unforgettable reads every book lover should experience:

1️⃣ Kafka on the Shore by Haruki Murakami
2️⃣ A Thousand Splendid Suns by Khaled Hosseini
3️⃣ The Last Song by Nicholas Sparks
4️⃣ The Notebook by Nicholas Sparks
5️⃣ The Laws of the Spirit World by Khorshed Bhavnagari

Don’t just turn pages, explore worlds. Begin your reading journey with the timeless collection at KJ Choksi Library. 📖✨

(KJ Choksi Library, library in Surat, must read books, book recommendations, Krisha Mehta, Kafka on the Shore, Haruki Murakami, A Thousand Splendid Suns, Khaled Hosseini, Nicholas Sparks books, The Notebook, The Last Song, Khorshed Bhavnagari, reading room Surat, book lovers community)

"શબ્દથી શિવોહમ સુધીની યાત્રા".આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી કેળવણીનું ઝરણું વહે છે આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી ક...
15/05/2026

"શબ્દથી શિવોહમ સુધીની યાત્રા".

આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી કેળવણીનું ઝરણું વહે છે

આપણા વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી કેળવણીનું ઝરણું વહે છે જે આગળ જતા વિશાળ નદી અને સમુદ્રનું સ્થાન પામે છે જેના કારણે થતી જ્ઞાનવર્ષા આપણા અસ્તિત્વને સમૃદ્ધ , વિવેક્મય અને કરુણાભાવથી સજ્જ કરે છે.

ભારતવર્ષ એ વેદ ,પુરાણ અને ઉપનિષદોમાંથી પ્રગટ થયેલી સંસ્કૃતિ સંપન્ન કેળવણીનો દેશ છે. ભારતવર્ષસે સૌને ખુલ્લા હ્રદયથી સ્વીકાર્યા છે અને તેથી જ તે મહાન દેશ છે. આ બધું જ્યારે હું બોલતો હતો ત્યારે સામે બેસેલા ૨૦ -૨૨ વર્ષના યુવાનો એને ખુબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા , નોટબુકમાં નોંધી રહ્યા હતા અને સમજી રહ્યા હતા. આ વિધાર્થીઓ ઝગડિયા તાલુકાના સેવા રૂરલમાં ચાલતા સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાંથી અમારી ભવ્ય ભરૂચની એવી ભવ્ય કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં મુલાકાતે આવ્યા હતા. એમની સાથે શિક્ષકો પણ આવ્યા હતા તેઓનો આગ્રહ હતો કે આ બાળકોને સમજાવો કે વાંચન થકી કેવી રીતે અસ્તિત્ત્વને શણગારિ શકાય.

જ્યારે તેઓ મુલાકાતે આવ્યા ત્યારે થોડા દિવસ પહેલા જ પુસ્તકાલયમાં આવેલા જગદગુરુ આદિશંકરાચાર્ય રચિત 15 ગ્રંથોનું આગમન થયું હતું જે બધા જ અદભૂત અને અલૌકિકઅનુભવ કરાવનારા છે. આ ગ્રંથોમાં સ્ત્રોત્રાવલી , વિષ્ણુસહસ્ત્રનામભાસ્યા , શ્રીમદભગવદ્ગીતાભાષ્ય , ઉપનિષદ ભાષાય , વિવકેચુડામણી , બ્રહ્મસૂત્ર ભાષ્ય , છાંદોગ્યોઉનીષભાષ્ય , ઉપ્દેશ્સાહ્સ્ત્રી,પ્રપંચસાર વગેરે વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આ ગ્રંથ માત્ર ધારણ કરવાથી જ આપણામાં એક અનોખી અનુભૂતિ થાય છે તો એનું વાંચન અને એનો અમલ કરવાથી કેટલું પુણ્ય આપણાભાગ્યમાં જમા થશે એની કલ્પના કરવી અશક્ય છે.

જગદગુરુ આદી શંકરાચાર્ય કે જેઓએ માત્ર આઠ વર્ષની આયુમાં ‘શિવોહમ શિવોહમ’નું તત્વજ્ઞાન આ વિશ્વને આપ્યું હતું
* ૮ વર્ષની ઉંમરે: ચારેય વેદોનું જ્ઞાન મેળવ્યું.
* ૧૨ વર્ષની ઉંમરે: તમામ શાસ્ત્રોમાં નિપુણતા મેળવી.
* ૧૬ વર્ષની ઉંમરે: પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર) પર ભાષ્યો લખ્યા.
* ૩૨ વર્ષની ઉંમરે: તેમણે આ લોકમાંથી વિદાય લીધી.
આટલા ટૂંકા આયુષ્યમાં તેમણે સમગ્ર ભારતમાં પદયાત્રા કરી અદ્વૈત વેદાંતનો પ્રચાર કર્યો અને ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી હતી.

ભારતની એકતા અકબંધ રાખવા અને ધર્મના સંરક્ષણ માટે તેમણે દેશની ચાર દિશામાં ચાર મુખ્ય મઠો સ્થાપ્યા:
* પૂર્વ: ગોવર્ધન મઠ (પુરી, ઓડિશા)
* પશ્ચિમ: શારદા મઠ (દ્વારકા, ગુજરાત)
* ઉત્તર: જ્યોતિર્મઠ (બદ્રીનાથ, ઉત્તરાખંડ)
* દક્ષિણ: શ્રૃંગેરી શારદા પીઠ (કર્ણાટક)

તેમણે વિખરાયેલા ભારતને ભૌગોલિક અને આધ્યાત્મિક રીતે એક કરવાનું અજોડ કાર્ય કર્યું છે. ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસે જઈને તેમણે નર્મદા કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રચલિત માન્યતાઓ અને ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર, તેઓ માત્ર ૩૨ વર્ષ જીવ્યા હતા.

હમણાં વેકેશનચાલે છે ત્યારે નવી પેઢીના માતા – પિતાઓ નવી પેઢીના બાળકોને પુસ્તકાલયની મુલાકાતે લાવવાનું ચૂકવું જોઈએ નહિ. કેમ કે જ્ઞાન જ તેમને ઉત્તમ થી સ્રવોત્તમ તરફ જવા માટે સહાયભૂત નીવડશે એ ભૂલવું જોઈએ નહિ. પુસ્તકો માત્ર માહિતી નથી આપતા પણ વિવેક અને કરુણા શીખવે છે.

નરેન કે સોનાર

28/04/2026

વેકેશન સ્પેશીયલ*

ગ્રીષ્મની ગરમીમાં વૃક્ષના છાયડે, વરંડામાં હિંચકે , આરામ ખુરશી પર બેસી સરસમઝાની વાર્તા વાંચવાની ખેવના રાખનારને માટે અમે કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી લઇ આવ્યા છે બાળવાર્તાઓ , સાહસ કથાઓ , રહસ્યમય નવલકથાઓ અને અન્ય ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ અને તે પણ ખાસ આપ સૌ માટે જ તો !
#નવલકથાઓ
#ગુજરાતીવાર્તાઓ
#ટૂંકીવાર્તાઓ

28/04/2026

*जगद्गुरु आदि शंकारचार्य* ના અદભૂત ગ્રંથો

વેદોની ભૂમિ એવા ભારત વર્ષના નવયુવાનોને શાશ્રોક્ત ત્વવ્જ્ઞાનથી તરબોળ કરવા જે ગ્રંથોનું પુન:મુદ્રણ કરવામાં આવ્યું છે એ ઉત્તમ થી સર્વોત્તમ તત્વજ્ઞાન પીરસતા *जगद्गुरु आदि शंकारचार्य* કૃત ગ્રંથો જે કુલ ૧૨ + ૩ એમ 15 ભાગમાં જેનો સમાંવેહ્સ કરવમાં આવ્યો છે એ અદભૂત ગ્રંથો ખાસ આપ સૌ માટે કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી લઇ આવી છે.
*जगद्गुरु आदि शंकारचार्य* કે જેમણે આ જગતને પ્રસ્થાનત્રયી - ઉપનિષદ , ગીતા અને બ્રહ્મહસૂત્રનાં અદભૂત ભાષ્યો આપ્યા અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને શાશ્વત બનાવ્યો છે.
અમને આ અદભૂત ગ્રંથો આપ સૌ માટે પ્રસ્તુત કરતા ખુબ આનંદ અનુભવાય રહ્યો છે જેણે આપ પામી અમારા અને આપનાં આનંદને બમણો કરશોજી.

#जगद्गुरुआदिशंकारचार्य

#તત્વજ્ઞાન
#ઉપનિષદ #પુરાણો
#તીર્થ
#ગ્રંથ

Proud to see K. J. Choksi Public Library featured in the media for promoting the importance of reading and lifelong lear...
25/04/2026

Proud to see K. J. Choksi Public Library featured in the media for promoting the importance of reading and lifelong learning. 📚✨

In a world driven by screens and fast-paced information, libraries continue to inspire knowledge, imagination, and meaningful growth for every generation.

Thank you to everyone who supports the culture of reading and learning with us. Together, let’s keep the love for books alive! 💙

25/04/2026

This World Book Day, the shelves at KJ Choksi Public Library, Bharuch didn’t just hold books they held curiosity, conversations, and new perspectives.

Students from Kalorex Future School stepped into a space where stories go beyond pages. They explored, reviewed, and connected with books under the Guidance of Mrs. Soni Garg, they discovered the library.

With 55,000+ books, 5,000+ yearly visitors, and 1,200+ active members, this isn’t just a library it’s a living ecosystem of knowledge that continues to shape generations.

Because real wisdom doesn’t come from scrolling. It comes from seeking.

Step in. Explore more. Become a part of something that actually grows your mind.

(library in Bharuch, World Book Day celebration, reading culture India, public library Gujarat, student library visit, Kalorex Future School, book reading habit, knowledge hub Bharuch, best libraries Gujarat, reading awareness, educational visit library, library membership benefits, book lovers community, youth reading engagement, learning beyond classroom)

Wordbook Dayતારીખ ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ છે જેનો હેતુ પ્રથમ તો જે લોકો વાંચે છે એમનો ઉત્ત્સાહ જળવાઈ રહે એ જોવ...
23/04/2026

Wordbook Day
તારીખ ૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ છે જેનો હેતુ પ્રથમ તો જે લોકો વાંચે છે એમનો ઉત્ત્સાહ જળવાઈ રહે એ જોવાનો છે અને બીજા નવા વાચકોને વાંચન પ્રત્યે વધુ જાગૃત કરવાનો છે જેમાં ભરૂચની ભવ્યતામાં એક યશ કલગી સમાન કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી મહદ અંશે સફળ થઈ છે અને આ લાયબ્રેરીએ વાંચન ઓછુ થયું છે એ વાત અહી ખોટી ઠરે છે એ વાતને ખોટી ઠેરવે છે કે લોકોનું વાંચન ઓછુ થયું છે , મોબાઈલના કારણે પુસ્તકોનું વાંચન ઓછુ થયું છે લોકોમાં વાંચન પ્રત્યે રૂચી નથી રહી.

આજ રોજ કેલોરેક્ષ ફ્યુચર સ્કુલના વિધાર્થીઓએ લાયબ્રેરીની મુલાકાત લીધી અને બાળકોએ જીવનમાં ઉતારવા લાયક પુસ્તકોના વિષે રીવ્યુ આપ્યા. આ પ્રસંગે લાયબ્રેરીના વાચક અને વ્યવસાયે શિક્ષક એવા સોની ગર્ગ મેડમે લાયબ્રેરીની વિશેષતા અને સેવા વિષે વિધાર્થીઓને વિસ્તૃતમાં માહિતી પીરસી.

Address

Near Collector's Office, Near District Industrial Centre
Bharuch
392001

Opening Hours

Tuesday 9:30am - 8pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 8pm
Friday 9:30am - 8pm
Saturday 9:30am - 8pm
Sunday 9:30am - 1:30pm

Telephone

+912642260888

Alerts

Be the first to know and let us send you an email when K J Choksi Public Library posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to K J Choksi Public Library:

Share

Category